yoga essay in gujarati

0
3060
yoga essay in gujarati
yoga essay in gujarati

યોગ પર નિબંધ:

yoga essay in gujarati
yoga essay in gujarati

ભારતીય પુરાણો ઉપનિષદો વેદો તેમ જ ભગવદ્ ગીતામાં પણ યોગ શબ્દનો ઉલ્લેખ થતો આવ્યો છે મહર્ષિ વ્યાસ અનુસાર યોગનો અર્થ સમાધિ છે. યોગ એટલે જોડવું સંયમપૂર્વક સાધના કરતા આત્માને પરમાત્મા સાથે યોગ કરીને એટલે કે જોડીને સમાધિનો આનંદ લેવો એ યોગ છે. સાવ સરળ શબ્દોમાં કહીએ તો શરીરનું મન સાથે જોડાણ એટલે યોગ. નિયમિત યોગ કરવા વાળા વ્યક્તિઓ માટે યોગ ખૂબ જ સારો અભ્યાસ છે. આ સ્વસ્થ જીવનશૈલી તેમજ હંમેશા માટે શ્રેષ્ઠ જીવન જીવમાં સહાયરૂપ બને છે .આપણે આપણા બાળકોને યોગના લાભ વિશે બતાવવું પણ જોઈએ તેમજ યોગનો  નિયમિત અભ્યાસ પણ કરાવવો જોઈએ.

યોગ પર નિબંધ:

યોગ એક પ્રાચીન કળા છે જેની ઉત્પત્તિ ભારતમાં લગભગ છ હજાર વર્ષ પહેલા થઈ હતી. પહેલાના સમયમાં લોકો જીવનમાં યોગ તેમજ ધ્યાન જીવનભર સ્વસ્થ રહેવા તેમ જ તાકાતવાન  રહેવા માટે કરતાં હતાં. તોપણ આ ભીડવાળા વ્યસ્ત વાતાવરણમાં યોગ કરવાનું કાર્ય દિન-પ્રતિદિન ઓછું થઈ રહ્યું છે. યોગ ખૂબ જ સુરક્ષિત ક્રિયા છે તેમજ કોઈપણ વ્યક્તિ દ્વારા અને કોઈપણ સમયે કરી શકાય છે ત્યાં સુધી કે નાના બાળકો પણ તેમનો લાભ લઈ શકે છે.

યોગથી આપણી સુષુપ્ત શક્તિનો વિકાસ થાય છે સુપ્ત તંતુ ફરી જાગે છે અને નવા તંતુઓ અને કોશિકાઓનું નિર્માણ થાય છે.યોગ આપણા સૂક્ષ્મ સ્નાયુતંત્રને ચુસ્ત રાખે છે. યોગ આપણને સંયમ અને માનસિક સંતુલન જાળવતા શીખવે છે.

યોગ એ ક્રિયા છે  જેનાથી શરીરના વિવિધ ભાગોને એકસાથે લાવીને  શરીર,મસ્તિષ્ક, આત્માને સંતુલિત કરી શકાય છે . પહેલાના સમયમાં યોગનો અભ્યાસ ધ્યાનની ક્રિયા સાથે પણ કરવામાં આવતો હતો.

યોગ પર નિબંધ:

ભગવદગીતામાં યુક્ત શબ્દનો પ્રયોગ થયો છે.” સમત્વં યોગ ઉચ્યતે”- જીવન વ્યવહારનું સંતુલન  એટલે યોગ “યોગ: કર્મશુ કૌશલમ”| કર્મકુશળતા એટલે યોગ.આપણે જે કંઈ કાર્ય કરીએ તેમાં ચોક્કસપણું હોવું એટલે જ યોગ.

જ્યાં શરીર રહે ત્યાં મન પણ રહે તેનું નામ યોગ. કર્મયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ, ધ્યાનયોગ પ્રમુખ યોગ છે.એક સારા વિદ્યાર્થી, ગૃહસ્થી, એન્જિનિયર ,ડોક્ટર ,શિક્ષક, કલાકાર ત્યારે જ બની શકાય જ્યારે આપણું શરીર મન અને બુદ્ધિ સ્થિર હોય. યોગ શરીર અને મસ્તિષ્કને એક સાથે સંતુલિત કરીને પ્રકૃતિથી જોડાવાનું સૌથી સુરક્ષિત માધ્યમ છે.યોગ  વ્યાયામનો પ્રકાર છે જેમાં શરીરના સંતુલન તેમ જ આહાર અને શ્વાસની સાથે જ શરીરની આકૃતિ ને પણ નિયંત્રિત કરવી આવશ્યક છે. યોગ શરીર તેમજ મસ્તિષ્કને ધ્યાનથી જોડે છે અને તેમના માધ્યમથી શરીરને આરામ મળે છે તે શરીર ઉપર નિયંત્રણ રાખવાની સાથે તણાવ અને મસ્તિષ્કને સારૂ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવામાં મદદ કરે છે.

યોગ કોઈના પણ દ્વારા ખાસ કરીને કિશોર તેમજ વયસ્કો દ્વારા જીવનમાં સક્રિયતા માટે  દૈનિક આધાર પર વ્યાયામ રૂપમાં કરી શકાય છે. તે જીવન ના કઠીન સમય,શાળા, મિત્ર, પરિવાર તેમજ પડોશીઓ ના દબાવને  ઓછો કરવામાં મદદ કરે છે. યોગના માધ્યમથી એક વ્યક્તિથી બીજી વ્યક્તિને થવા વળી સમસ્યાઓ તેમજ તણાવને ગાયબ કરી શકાય  છે. તે શરીર મસ્તિષ્ક તેમજ પ્રકૃતિની વચ્ચે આસાનીથી સંપર્ક સ્થાપી શકે છે.

તન અને મન બંનેની તંદુરસ્તી માટે યોગ આવશ્યક છે. થોડા યોગાસનો પ્રાણાયામ અને ધ્યાનનો અભ્યાસ નિયમિત કરવામાં આવે તો આપણું શરીર હમેશાં સ્વસ્થ રહે છે. આપણે કામ, ક્રોધ, મોહ જેવા દુર્ગુણો પર યોગ દ્વારા વિજય મેળવી શકીએ છીએ.

યોગ પર નિબંધ:

yoga essay in gujarati
yoga essay in gujarati

યોગ બધાના  જીવનમાં ખૂબજ મહત્વપૂર્ણ છે કેમકે તે શરીર અને મસ્તિષ્કની વચ્ચે સંતુલન બનાવવામાં મદદ કરે છે તે વ્યાયામનો  એક પ્રકાર છે જેના નિયમિત અભ્યાસથી શારીરિક તેમજ માનસિક અનુશાસન શીખવામાં આપણને મદદરૂપ થાય છે. યોગ ની ઉત્પતિ ભારતની અંદર ઘણાં સમય પહેલાં થઈ હતી. પહેલાંના સમયમાં બૌદ્ધ ધર્મ હિંદુ ધર્મ થી જોડાયેલા લોકો યોગ તેમજ ધ્યાનનો પ્રયોગ કરતાં હતા યોગના ઘણા પ્રકાર છે જેમકે રાજયોગ, જનયોગ,ભક્તિયોગ,કર્મયોગ,હસ્તયોગ. સામાન્યતઃ હસ્તયોગ અંતર્ગત ઘણા બધા આસનોનો અભ્યાસ ભારતમાં નિયમિત રીતે કરવામાં આવે છે. યોગથી થવાવાળા લાભો તેમજ ફાયદાઓ વિશે લોકોમાં જાગૃતિ આવે તે માટે દરેક વર્ષે વિશ્વ સ્તર ઉપર એક આયોજન કરવામાં આવે છે તેમને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કહેવાય છે.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અથવા તો વિશ્વ યોગ દિવસની ઘોષણા સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં 21 જૂન પર ભારતની પહેલ  તેમજ ભારતના સૂચન બાદ કરવામાં આવી હતી. યોગમાં પ્રાણાયામ તેમ જ કપાલભાતિ યોગક્રિયાઓ નો સમાવેશ થાય છે. જેમાં સૌથી વધારે પ્રભાવી શ્વાસની ક્રિયાઓ છે તેમનો  નિયમિત અભ્યાસ કરવાથી લોકોને સ્વાસ્થ્ય સમસ્યાઓ તેમજ ઉચ્ચ કે નીચ રક્તનું દબાણ જેવી બીમારીઓથી આરામ મળે છે.

દરેક ધર્મમાં યોગાસનની આ મુદ્રાઓ પોતપોતાની રીતે સ્વીકારાયેલી છે. આપણી પ્રાચીન સંસ્કૃતિમાં પલાઠીવાળીને નીચે બેસીને જમવાની જે પ્રથા હતી તે પણ યોગાસન જ છે. તે અવસ્થાથી ભોજન પચવામાં સરળતા રહે છે શ્વાસોચ્છવાસને  નિયમિત અને સંતુલિત રાખવા પ્રાણાયામ,પાચનક્રિયા માટે વજ્રાસન સુખાસન. અનુલોમ-વિલોમ જેવા આસન થી અસ્થમા જેવા શ્વાસના રોગોમાં પણ રાહત મળે છે. સૂર્યનમસ્કાર નિયમિત રીતે કરવાથી શરીરની ચરબી દૂર થાય છે ચામડીના રોગ નથી થતા અને શરીરમાં નવી તાજગી આવે છે.

યોગ એવો ઇલાજ છે જો તેનો  પ્રતિદિન નિયમિત રૂપથી અભ્યાસ કરવામાં આવે તો ઘણી બીમારીઓથી છૂટકારો મેળવવામાં મદદ કરે છે.તે આપણા આંતરિક શરીરમાં  સકારાત્મક બદલાવ લાવે છે તેમજ શરીરના અંગોની પ્રક્રિયાને નિયમિત કરે છે.વિશેષ પ્રકારના યોગ વિભિન્ન ઉદ્દેશ્યથી કરવામાં આવે છે એટલે ફક્ત આવશ્યક તેમજ સલાહ લઈને જ યોગનો અભ્યાસ કરવો જોઈએ.

યોગ પર નિબંધ:

યોગ ની ઉત્પત્તિ પ્રાચીન સમયમાં યોગીઓ દ્વારા ભારતમાં થઈ હતી. યોગ શબ્દની ઉત્પત્તિ સંસ્કૃત શબ્દ થી થઈ છે. જેમના બે અર્થ છે એક અર્થ છે જોડવું તેમજ બીજો અર્થ છે અનુશાસન. યોગનો અભ્યાસ આપણને શરીર તેમજ મસ્તિષ્કના જોડાણ દ્વારા શરીર તેમજ મસ્તિષ્કના અનુશાસનને  શીખવે છે યોગ આધ્યાત્મિક અભ્યાસ છે તે મન તો સંતુલિત કરે જ છે તેમની સાથે સાથે પ્રકૃતિની નજીક આવવા માટે ધ્યાન ના માધ્યમથી પણ કરવામાં આવે છે. યોગ પહેલાના સમયમાં હિંદુ-બૌદ્ધ તેમજ જૈન ધર્મના લોકો દ્વારા કરવામાં આવતો હતો યોગ-વ્યાયામનો એક અદભુત પ્રકાર છે જે શરીરને નિયંત્રિત કરી અને જીવનને બહેતર બનાવે છે.યોગ હંમેશા સ્વસ્થ જીવન જીવવાનું વિજ્ઞાન છે. યોગ દવા  જેવો છે જે આપણા શરીરના અંગોને યોગ્ય રીતે કાર્ય કરવા નિયમિત રીતે કાર્ય કરવા તેમ જ વિભિન્ન બીમારીઓને ધીરે-ધીરે ઠીક કરવામાં મદદરૂપ થાય છે.યોગ

વાસ્તવમાં એક એવી ક્રિયા છે જે શરીરના અંગો ની ગતિવિધિઓ તેમજ આપણા શ્વાસોને   નિયંત્રિત કરે છે.યોગ શરીર તેમજ મન બંનેને પ્રકૃતિની સાથે જોડીને આપણી આંતરિક તેમજ બાહ્ય શક્તિને વધારે છે.યોગ  ફક્ત શારીરિક ક્રિયા નથી. યોગ એક મનુષ્યને માનસિક, ભાવનાત્મક ,તેમજ આત્મિક વિચારો પર નિયંત્રણ કરવા માટે પણ યોગ્ય બનાવે છે .

આજે આપણે દિવસના આઠથી દસ કલાક કોમ્પ્યુટર, મોબાઈલ જેવા ઉપકરણો વાપરીએ છીએ તો તેનાથી આંખોને થતાં નુકસાનથી બચવા પ્રાણાયામ અને સવાસન ખૂબ ફાયદાકારક છે.સર્વાંગાસનથી દમ, સ્થૂળતા, નબળાઈ અને થાક જેવા વિકારો દૂર થાય છે.પેટની ચરબી ઘટાડવા અને સ્નાયુઓ મજબૂત બનાવવા ભુજંગાસન, ધનુરાસન કે  પશ્ચિમોત્તાનાસન ખૂબ જ ઉપયોગી છે.

યોગનો અભ્યાસ લોકો દ્વારા કોઈપણ ઉંમરમાં થઈ શકે છે જેમ કે બાળપણ, કિશોરાવસ્થા, વયસ્ક તેમજ વૃદ્ધાવસ્થા તેમના માટે નિયંત્રિત શ્વાસ સાથે  સુરક્ષિત તેમ જ નિયંત્રિત શારીરિક ગતિવિધિઓની પણ આવશ્યકતા હોય છે.યોગ તેમજ તેના લાભોના વિષયમાં દુનિયાભરના લોકોને જાગૃત કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્તર પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કે વિશ્વ યોગ દિવસ કાર્યક્રમના  આયોજન કરવામાં આવે છે.

યોગ પર નિબંધ:

ભારતમાં તો વૈદિકકાળથી યોગનું મહત્વ રહ્યું  છે.આજે સમગ્ર વિશ્વ યોગના મહાત્મ્યને સ્વીકારે  છે આજના દોડધામ વાળા અને તણાવયુક્ત જીવનમાં જ સારી રીતે સ્વસ્થતા અને માનસિક શાંતિ પ્રાપ્ત કરવી હશે તો યોગથી શ્રેષ્ઠ કોઈ ઉપાય નથી યાદ શક્તિ અને બુદ્ધિમાં વધારો યોગથી થાય છે.સ્ફૂર્તિ  પ્રાપ્ત થાય છે. હૃદય અને ફેફસાંને બળ મળે છે અને લોહી શુદ્ધ બને છે.યોગાસન માણસનો ચતુર્મુખી વિકાસ કરે છે.

યોગ પ્રાચીન સમયથી મનુષ્યને પ્રકૃતિ દ્વારા આપવામાં આવેલ ખૂબ જ મહત્વપૂર્ણ તેમ જ અણમોલ ઉપહાર છે જે  જીવનભર મનુષ્યને પ્રકૃતિની સાથે જોડીને રાખે છે તે શરીર તેમજ મસ્તિષ્કની વચ્ચે સામંજસ્ય સ્થાપિત કરીને તે બંનેને સંયુક્ત કરવાનો ખૂબ જ સારો અભ્યાસ છે. વ્યક્તિને તમામ તબક્કા પર જેમ કે શારીરિક તેમજ ભૌતિક સ્તર પર નિયંત્રિત કરીને તેમને ઉચ્ચ સ્તરની સંવેદનશીલતા પ્રદાન કરે છે. સ્કુલ તેમજ કોલેજના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે તેમજ તેની એકાગ્રતામાં વધારો થઈ શકે તે માટે યોગ ના દૈનિક  અભ્યાસ પર ખૂબ જ ભાર મૂકવામાં આવે છે.યોગ લોકો દ્વારા કરવામાં આવતો વ્યવસ્થિત પ્રયાસ છે જે પુરા શરીરમાં ઉપસ્થિત બધા જ અલગ-અલગ પ્રાકૃતિક તત્વોના અસ્તિત્વ પર નિયંત્રણ કરીને વ્યક્તિત્વમાં સુધારો લાવવાનો પ્રયત્ન કરે છે.

યોગ ના બધાજ આસનથી  લાભ પ્રાપ્ત કરવા માટે તેના સુરક્ષિત તેમજ નિયમિત અભ્યાસની આવશ્યકતા છે. .યોગનો અભ્યાસ આંતરિક ઊર્જાને નિયંત્રિત કરીને તેમના દ્વારા શરીર તેમ જ મસ્તિષ્કમાં આત્મવિકાસ ના માધ્યમથી આત્મિક પ્રગતિ કરવાનો છે. યોગ દરમિયાન શ્વસન ક્રિયામાં   ઓક્સિજન લેવો તેમજ છોડવો સૌથી મુખ્ય વસ્તુ છે. દૈનિક જીવનમાં યોગનો અભ્યાસ કરવો તે આપણને ઘણી બધી બીમારીઓથી તો બચાવે છે પરંતુ ઘણી ભયાનક બીમારીઓ જેમ કે કેન્સર, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, લો બ્લડપ્રેશર, હૃદયરોગ, કિડનીનું ખરાબ થવું , લિવરનું ખરાબ થવું, ગળાની સમસ્યાઓ તેમજ બીજી ઘણી બધી માનસિક બીમારીઓથી પણ આપણો બચાવ કરે છે.

આજકાલ લોકોના જીવનને શ્રેષ્ઠ કરવા માટે યોગનો અભ્યાસ કરવાની આવશ્યકતા છે. દૈનિક જીવનમાં યોગનો અભ્યાસ શરીરને  આંતરિક તેમજ બાહ્ય તાકાત પ્રદાન કરે છે. યોગ શરીરની પ્રકૃતિ પ્રણાલીને મજબૂતી પ્રદાન કરવામાં મદદ કરે છે.આ રીતે તે વિભિન્ન અલગ-અલગ બીમારીઓથી આપણા શરીરનો બચાવ કરે છે. જો યોગ નિયમિત રૂપથી કરવામાં આવે તો તે દવાઓનો બીજો શ્રેષ્ઠ વિકલ્પ થઈ શકે છે દરરોજ ખાવામાં આવતી ભારે દવાઓ તેમજ તેના દુષ્પ્રભાવને પણ ઓછો કરી નાખે છે. પ્રાણાયામ તેમજ  કપાલભાતિ જેવા યોગ કરવા માટે શ્રેષ્ઠ સમય સવારનો છે કેમકે તે શરીર તેમ જ મનપર નિયંત્રણ કરે જ છે તે આપણને શ્રેષ્ઠ વાતાવરણ પણ પ્રદાન કરે છે.

યોગ પર નિબંધ:

કોઈપણ જાતની સમસ્યા વગર જીવનભર તંદુરસ્ત રહેવા માટે સૌથી સારો સુરક્ષિત, સરસ તેમ જ સ્વસ્થ વિચાર યોગ  છે.તેમના માટે કેવળ શરીરના ક્રિયાક્લાપ તેમ જ શ્વાસ લેવાની સાચી રીતે નિયમિત અભ્યાસ કરવાની આવશ્યકતા છે.  શરીરના બધા જ અંગો ના કાર્ય-કલાપ ને નિયમિત કરે છે તેમ જ ખરાબ પરિસ્થિતિઓ તેમ જ અસ્વાસ્થ્યકર જીવનશૈલીને કારણે શરીર તેમજ મસ્તિષ્કની પરેશાનીઓથી આપણો બચાવ કરે છે.  યોગ સ્વાસ્થ્ય તેમજ આંતરિક શાંતિ ને બનાવી રાખવામાં મદદરૂપ થાય છે. સારા સ્વાસ્થ્ય પ્રદાન દ્વારા તે આપણી ભૌતિક આવશ્યકતાઓને પૂરી કરે છે. જ્ઞાનના માધ્યમથી તે માનસિક આવશ્યકતાઓને પૂરી કરે છે અને આંતરિક શાંતિ ના માધ્યમથી તે આત્મિક  આવશ્યકતાઓને પૂરી કરે છે. આ રીતે તે આપણને બધા જ સાથે સામંજસ્ય બનાવી રાખવામાં મદદરૂપ થાય છે.

સવારના સમયમાં યોગનો  નિયમિત અભ્યાસ કરવાથી આપણે અગણિત શારીરિક તેમજ માનસિક તત્વોથી થવાવાળી મુશ્કેલીઓને આપણે દૂર રાખવામાં સફળ થઈએ છીએ.  તે આપણને બાહરી તેમજ આંતરિક રાહત પણ પ્રદાન કરે છે. યોગના વિવિધ આસન માનસિક તેમજ શારીરિક મજબૂતીની સાથે સારી ભાવનાઓનું પણ નિર્માણ કરે છે માનવ મસ્તિષ્કને તેજ  કરે છે. ભૌતિક સ્તરમાં સુધારો લાવે છે.તેમ જ આપણી ભાવનાઓને સક્રિય રાખી અને ઉચ્ચ સ્તર પર એકાગ્રતામાં મદદરૂપ થાય છે.

યોગનો અભ્યાસ કોઈપણ વ્યક્તિ દ્વારા થઈ શકે છે. યોગ અનુશાસન તેમ જ શક્તિની ભાવના માં સુધારો લાવે છે તેમજ જીવનને કોઈપણ જાતની શારીરિક કે માનસિક સમસ્યાઓથી દૂર રાખીને સ્વસ્થ જીવન જીવવાનો અવસર પ્રદાન કરે છે. પૂરી દુનિયામાં યોગ વિશે જાગૃતિ ફેલાવવા માટે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત સંઘની સામાન્ય બેઠકમાં ૨૧ જૂનને  આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રૂપમાં બનાવવાની ઘોષણા કરવાનો પ્રસ્તાવ આપેલો હતો કે જેથી બધા જ યોગ વિશે અને તેમના પ્રયોગો વિશે લાભ લઇ શકે.યોગ ભારતની પ્રાચીન પરંપરા છે જેની ઉત્પત્તિ ભારતમાં થઇ હતી તેમજ યોગીઓ દ્વારા તંદુરસ્ત રહેવા માટે તેમજ ધ્યાન કરવા માટે યોગનો વર્ષોથી નિરંતર અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.આ રીતે મનુષ્યના જીવનમાં યોગનાં અનેક લાભો જોઈને સંયુક્ત સંઘ ની સભા એ  21 જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કે વિશ્વ યોગ દિવસના રૂપમાં મનાવવાની ઘોષણા કરી દીધી છે.

આપણે યોગથી થવાવાળા લાભોની ગણના તો કરી જ ન શકીએ ,બસ આપણે તેને ફક્ત  એક ચમત્કાર જ સમજવો રહ્યો, જે માનવ પ્રજાતિ ને ભગવાને ભેટરૂપે આપેલો છે. યોગ શારીરિક તંદુરસ્તી તો બનાવી રાખે છે પણ તેનાથી તણાવ પણ દૂર  થાય છે, ભાવનાઓ નિયંત્રિત થાય છે, નકારાત્મક વિચારો નિયંત્રિત થાય છે, તેમજ ભલાઈની ભાવના, માનસિક શુદ્ધતા, આત્મ સમજ આ બધાને વિકસિત કરી અને યોગ આપણને પ્રકૃતિ સાથે જોડે છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here