Home Education Online Pradushan Essay In Gujrati

Pradushan Essay In Gujrati

0
2704
Pradushan Essay in Gujarati
Pradushan Essay in Gujarati

પ્રદૂષણ :  એક સમસ્યા 

  આપણામાં રહેલી દુષ્ટતા એટલે આપણી અંદર નું પ્રદૂષણ


કેટલીક સમસ્યાઓ મનુષ્ય માટે કુદરતસર્જિત હોય છે, અસાધારણ હોય છે, જ્યારે કેટલીક માણસે પોતે  મૂર્ખ બનીને,અને ઘેલછામાં થી પેદા કરી હોય છે.

પ્રદૂષણનો પ્રશ્ન એ માનવસર્જિત મહાપ્રશ્ન છે. 

પ્રદૂષણ એ શેતાન છે. જે સમગ્ર માનવજાતને ભરખી જશે. માનવે જાતે જ પેટ ચોળીને શૂળ –દૂષણ કર્યું તે પ્રદુષણ. માનવના મનમાં રહેલી વિકૃતિનું સંસ્કૃત રૂપ તે પ્રદુષણ, વિજ્ઞાને આપેલા ફળમાંથી પ્રગટેલો કચરો એટલે  પ્રદૂષણ.

વિશ્વ આજે પ્રદૂષણની સમસ્યાથી ત્રસ્ત છે. ભારત જેવા દેશોમાં પ્રદૂષણ ચિંતાજનક રીતે વધી રહયું  છે. આપણે એકવીસમી સદીમાં પ્રવેશી ચૂૂક્યા છીએ.

આ સદીમાં કદાચ આપણે વધુ સારી  સુખ સગવડો મેળવી શકીશુ. પરંતુ તેની સાથે સાથે આપણે અનેક સમસ્યાઓનો સામનો પણ કરવો પડશે. એમાં પ્રદૂષણની સમસ્યા આપણા અસ્તિત્વ માટે સૌથી વધુ ખતરનાક સાબિત થાય તેમ  છે.

સૌપ્રથમ ‘પ્રદૂષણ’ કોને કહેવાય તે જોઈએ. પ્રદૂષણ એટલે બગાડ, સ્વચ્છ ચોખ્ખું કે નિર્મળ છે તેને મેલુ, ગંદુ કે મલિન કરવું તે એટલે પ્રદૂષણ.

જેકુદરતી રીતે મળેલું છે તેને બગાડવું, તેમાં બગાડ કરવો, પ્રાકૃતિક સૌંદર્ય ને નષ્ટ કરવું તે એટલે પ્રદૂષણ.

કુદરતી ચક્રમાં આડખીલીરૂપ બનવું તે એટલે પ્રદૂષણ. માનવીએ પોતાની ગાડી વિકાસ રૂપી પાટા ઉપર દોડાવવા કુદરતને પણ છોડી નથી! માનવી આજે કુદરતની આગળ નીકળી જવા માંગે છે તેનાથી સર્જાય છે અનેક સમસ્યાઓ!

આ પ્રદૂષણનું ઝેર આવ્યું ક્યાંથી એમ તમે પૂછશો તો તમને જવાબ મળશે કે, અણુ બોમ્બ કરતાંય સોગણી વિનાશક શક્તિ ધરાવતા અણુશસ્ત્રોના પ્રયોગાત્મક અખતરા વિશ્વની મહાસત્તાઓ એ રણમાં,  દરિયામાં ને અવકાશમાં કર્યા,  તેને લીધે જે કિરણોત્સર્ગી રજકણો ઊંડયા, તેણે પ્રદૂષણની ‘ માં ‘ થઈને પ્રદૂષણને જન્મ આપ્યો.

માણસે વિજ્ઞાનનો સહારો લઇને અને સંશોધન ની પાંખે ઉડી ને છેલ્લા ચાર પાંચ દાયકામાં અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે એની આપણે ક્યાં ના કહીએ છીએ? 

પરંતુ એક એકથી ચડીયાતા વિનાશક શસ્ત્રો બનાવવાની આંધળી દોટમાં થી જેમ આર્થિક કટોકટી, અનાજની તંગી, મોંઘવારી, હાડમારી, ભ્રષ્ટાચાર ,ભેળસેળ વગેરેની ‘ આડપેદાશ ‘ પ્રાપ્ત થાય ;તેમ પ્રદૂષણની ભયંકર વિષવેલ પણ પ્રાપ્ત થઈ.

આજે તો ઝેર પણ ચોખ્ખું મળતું નથી.એટલી હદે જેમ ભેળસેળ વ્યાપક બની છે તેમ  ‘હવા અને પાણી પણ ચોખ્ખા મળતા નથી’  એટલી હદે પ્રદૂષણનું ઝેર ચારે બાજુ પ્રસરી ચૂક્યું છે.

Pradushan Essay In Gujrati

જેમ બંદુક સ્ટેનગનની ગોળીએ મહાત્મા ગાંધી અને ઇન્દિરા ગાંધી જેવાને પણ નથી છોડ્યા તેમ, પ્રદૂષણના ઝેરે  પણ ગંગા જેવી પવિત્ર નદીને અને તાજમહેલ જેવી બેનમૂન અજાયબીને પણ છોડ્યા નથી.

હવા, પાણી તથા ઘ્વનિ આ ત્રણ પ્રદૂષણો એ આજની  પ્રચંડ સમસ્યાઓ છે. એમાં સૌથી ખતરનાક પ્રદૂષણ હોવાનું છે. હવાના પ્રદૂષણથી માનવીની જિંદગી નિરર્થક બની જાય છે.

કદાચ ખોરાક વિના જીવાય, પાણી વિના પણ કેટલાક દિવસ જીવાય ,પણ હવા વિના તો એક  પળ પણ ન જીવી શકાય. શુદ્ધ હવા નું વાતાવરણ પૃથ્વી પર ચોતરફ લહેરાય છે.

જે નિસર્ગની માનવીને અમૂલ્ય ભેટ છે. આ વિના મૂલ્ય ની અનોખી દોલત છે જેની માનવ ઉપેક્ષા કરે એ મહા દુઃખની વાત છે. નગરીની ગીચતા કારખાનાઓ માથી વહેતા ઝેરી  ધુમાડા ઓ તથા ઝડપી ઉદ્યોગીકરણ થી થતી ઝેરી હવા એ શુદ્ધ હવા ની સમસ્યા ઉભી કરી છે.

વૃક્ષો પર નિબંધ ગુજરાતી

તાજમહેલ પણ ધુમાડાને કારણે કલંકિત બની રહ્યો છે. અણું અખતરાઓ ને લીધે ઝેરી  રજકણો હવાને પ્રદૂષિત બનાવે છે. ઓક્સિજન થી સભર પરિશુદ્ધ પવનના ફાંફાં પાડવા લાગ્યા છે. જીવલેણ રોગો એ હવાના પ્રદૂષણ ના સંતાનો છે.

વીસમી સદીમાં બે વિશ્વ યુદ્ધો થયા હતા, તેમાં અણુ બોમ્બનો ઉપયોગ થયો હતો .જાપાનના હિરોશીમા અને નાગાસાકી જેવા શહેરો નો સંપૂર્ણપણે નાશ થઈ ગયો હતો.

અને હજારો માણસો મૃત્યુ પામ્યા. પરંતુ આજે તો પ્રદૂષણ જ અણુ બોમ્બ જેવું ભયજનક બની ગયું છે. પ્રદૂષણને લીધે આજે એવી સ્થિતિનું નિર્માણ થયું છે કે બોમ્બ ઝીંકયા વગર પણ માનવી પ્રદૂષણના કારણે રીબાઈ રિબાઈને કમોતે મૃત્યુ પામે.

પ્રદૂષણ થી માનવ જીવન પર ઘાતક અસરો થાય છે. હવા, પાણી, અવાજ અને ઝેરી ગેસના પ્રદૂષણના કારણે માનવજીવન જોખમાયું છે. વિશ્વના પ્રકૃતિ પ્રેમી અને સમજદાર લોકો તેનાથી ચિંતિત છે.

હવા પ્રદુષણ ને કારણે શ્વાસ ના રોગો, આંખના રોગનું પ્રમાણ વધવા લાગ્યું છે. અવાજ પ્રદુષણ ને કારણે હવે કાનની બહેરાશ એ તો સામાન્ય રોગ બની ગયો છે. 

આ ઉપરાંત મગજનો ઉશ્કેરાટ બી.પી.  હૃદયરોગના હુમલાનો ભોગ બની રહ્યા છે. પ્રદૂષિત પાણીને કારણે કોલેરા, કમળો, વાળો જેવા રોગો થાય છે.

આમ પ્રદુષણને કારણે માનવીનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે.

Pradushan Essay In Gujrati

સમગ્ર વાયુમંડળ ની ભૂમિ, જળ, નગર, ગામ વન, વન્ય જીવો, નદીઓ તથા જળાશયો નો પર્યાવરણમાં સમાવેશ થાય છે. આ પર્યાવરણ પણ  પ્રદૂષણ નો ભોગ બનેલ છે.

પર્યાવરણને પ્રદૂષણ રહિત રાખવા પ્રાચીન કાળમાં યજ્ઞયાગાઆદિ થતાં ઋષિઓ વાતાવરણને પરિશુદ્ધ રાખતા અને વિવિધ પ્રકારના સુગંધિત દ્રવ્યો ની યજ્ઞમાં આહુતિ આપતા.

વાનપ્રસ્થ લોકો જંગલમાં જીવન વિતાવતા. ગૃહસ્થી લોકો તપપૂણૅ જીવન  જીવતા, સાધનો ઓછા, સંતાનો ઓછા, જેથી પ્રદૂષણનો પ્રશ્ન જ ઉભો થતો નથી, સંધ્યા વંદના તથા સ્નાનાદિ કાર્યો સરિતા તટે થતાં.

સરિતાકે સરોવર નો સમગ્ર વિસ્તાર સ્વચ્છ રખાતો. અશુદ્ધિ ક્યાંય ન પ્રવેશે તે માટે તેઓ સજ્જ રહેતા.

હવા ,પાણી ,અવાજ અને ઝેરી ગેસના પ્રદૂષણને લીધે આજે માનવ જીવન ભયમાં મુકાઈ ગયું છે. આ ભય ઘટાડવાના ઉપાયો પણ કરવામાં આવી રહ્યા છે. 

૫મી જૂન  ‘વિશ્વ પર્યાવરણ દિન ‘ તરીકે ઉજવવામાં આવે છે .વળી દર વર્ષે ‘વૃક્ષારોપણ દિન ‘ ઉજવવામાં આવે છે. હવા, પાણી અને અવાજનું પ્રદૂષણ ઘટે તેવા ઉપાયો નો લોકોમાં પ્રચાર કરવામાં આવે છે.

“જ્યોત સે જ્યોત જલે”

આ સૂત્ર પ્રમાણે દરેકે શરૂઆત કરવી જોઈએ, અને આવા ભગીરથ કાર્યમાં ઝંપલાવવું  એ આજની જરૂરિયાત છે .

પ્રદૂષણ અજગરને નાથવાની જવાબદારી માત્ર સરકારની કે વહીવટ તંત્ર ની જ નથી. દરેક માનવીએ આ બાબત પ્રત્યે ધ્યાન રાખવું પડશે.

નહીં તો સમગ્ર વિશ્વમાં શુદ્ધ હવા પણ વેચાતી મળતી શરૂ થઈ જાય તો નવાઈ નહીં! પ્રદૂષણ રૂપી રાક્ષસને અંકુશમાં નહીં લેવાય તો બોમ્બ ઝીક્યા વગર પણ માનવી રિબાઈ રિબાઈને ને કમોતે મૃત્યુ પામશે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here