vruksho nu mahatva in gujarati essay

0
6445
vruksho nu mahatva in gujarati essay
vruksho nu mahatva in gujarati essay

vruksho nu mahatva in gujarati essay

                            વૃક્ષો આપણા સાચા મિત્રો

 

vruksho nu mahatva in gujarati essay
vruksho nu mahatva in gujarati essay

ધરતી નું ઢાંકણ અને અવની  ની શોભા એટલે વૃક્ષ. વૃક્ષો વગરની ધરતીની આપણે કલ્પના કરીએ તો! ધરતી શબ  જેવી લાગે! હવા અને પાણીની જેમ માનવ જીવન માટે વૃક્ષો પણ તેમના અભિન્ન અંગ સમાન છે. 

 

લીલાછમ ,હરિયાળા અને ઘટાદાર વૃક્ષો ની ધરતી ઉપર દૂર દૂર સુધી હારમાળા જો પથરાયેલી હોય તો, આપણી આ પૃથ્વી એ જાણે લીલી સાડી ન પહેરી હોય! એવું દૃશ્ય સર્જાય છે. કદી વિચાર્યું છે? 

 

વૃક્ષોનું આ ધરતી પરથી અસ્તિત્વ જો ચાલ્યું  જાય તો…આ પૃથ્વી પરની સમગ્ર સજીવ સૃષ્ટિ નું જીવન જોખમમાં આવી પડે !અને કદાચ તેથી જ વૃક્ષો આપણા  પરમ મિત્રો(best friends) છે.

 

હમણાં  હમણાંથી વ્યાપક બનેલું આ સૂત્ર ભારતની વર્તમાન સમસ્યાઓનું નિવારણ સૂચવે છે. 

‘બે બાળકો બસ’, ‘ઓછા બાળ ,જય ગોપાળ’ , ‘વૃક્ષો વાવો ,વરસાદ લાવો ‘જેવા ખૂબ જ પ્રચલિત બનેલા સુત્રો કરતાં આ સૂત્ર વધુ સચોટ અને દ્વિઅર્થી

અને અસરકારક સાબિત થયું છે.

 

આમ તો,  વિશ્વની તમામ ભાષાઓના કોઈને કોઈ  હેતુસર આવા સૂત્રો નો પ્રયોગ સદીઓથી થતો આવ્યો છે, પરંતુ ઉપર્યુક્ત સૂત્રનો ગર્ભિત અર્થ  છે તે એટલો માર્મિક અને હેતુલક્ષી છે કે આપણે તેનો અર્થ સાકાર કરવાની પ્રેરણા મળે છે.

પુસ્તકોની મૈત્રી નિબંધ


પ્રસ્તુત સૂત્ર ના   પ્રારંભના બે શબ્દો:’ એક બાળ’ વાંચીને તો કોઈને ઘડીભર        એમ જ લાગે કે આ સૂત્ર ‘ પરિવાર નિયોજન ‘ સાથે સંબંધ ધરાવે છે.

પરંતુ પાછળ ના બે શબ્દો: ‘એક ઝાડ’વાંચીને ખ્યાલ આવે છે કે,એક ઝાડ અને એક બાળ વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કરતું  આ સૂત્ર કંઈક બીજું જ કહેવામાં આવે છે અને વાત સાચી છે.

 

આ સૂત્ર બાળજન્મ અને વૃક્ષ જન્મને સાંકળે છે. એનો સાદો સીધો અર્થ એટલો જ કે ,તમે એક બાળકને જન્મ આપો તેની સાથે એક ઝાડને પણ જન્મ આપો .

બીજા શબ્દોમાં કહીએ તો ,આ દેશમાં દરરોજ જેટલા બાળકો જન્મે તેટલા જ વૃક્ષો રોપાવા જોઈએ.



આ પ્રકારનું સુત્ર આપવા પાછળનું મુખ્ય કારણ એ છે કે, અત્યારે આપણા દેશની બે મુખ્ય સમસ્યાઓ છે:એક ,વસ્તીનો બેફામ વધારો અને બીજી ,વૃક્ષોનું મોટે પાયે થઈ રહેતું છેદન.

 

ભારતમાં આજે દિન-પ્રતિદિન વસ્તીમાં વધારો થઈ રહ્યો છે. આપણે જ્યારે આઝાદ  થયા ત્યારે દેશની વસ્તી આશરે 36 કરોડ હતી. આજે વસ્તી ૧૦૨ કરોડનો આંક પણ વટાવી ગઈ છે.

 

વસતીના વધતા અનેક પ્રશ્નો ઉભા થયા છે.વધતી જતી વસ્તીના રહેઠાણ માટે મકાનો બાંધવા ,શાળાઓ અને દવાખાનાની ઈમારતો બાંધવા, ઉદ્યોગ અને કારખાના વગેરે માટે વિશાળ જમીન ની જરૂર પડે.



આ માટે વૃક્ષ છેદન થતું રહયું છે .આમ ,વસ્તી વધારાને કારણે આપણે આડેધડ વૃક્ષો કાપ્યા. પરિણામે જંગલોના ઘટાડા જેવી મોટી સમસ્યા ઉભી થઇ .

vruksho nu mahatva in gujarati essay
vruksho nu mahatva in gujarati essay




વૃક્ષોની ઉપયોગીતા ઘણી જ છે .વૃક્ષો વાતાવરણને શુદ્ધ બનાવે છે. વૃક્ષો વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડને  ગ્રહણ કરીને આપણને પ્રાણવાયુ સમાન ઓક્સિજન પૂરો પાડે છે.

કહેવાય છે કે ‘જળ એ જીવન’ પણ વૃક્ષની ઉપયોગીતા જોતાં કહી શકાય કે’ વૃક્ષ છે તો જીવન છે!’

vruksho nu mahatva in gujarati essay



કેમ કે, આપણને પ્રાણવાયુ તો વૃક્ષો પુરો પાડે છે. વૃક્ષો વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે .જમીનનું ધોવાણ અને રણ ને આગળ વધતું અટકાવે છે. તેથી જ કહેવાય છે કે ,વૃક્ષો ‘વાવો વરસાદ લાવો.’



પણ આજે વૃક્ષો વવાતા નથી કપાય છે .પરિણામે વરસાદનું પ્રમાણ ઘટયું. ભૂગર્ભજળનું સ્તર સતત નીચે જઈ રહ્યું છે વળી વૃક્ષોના અભાવે વાતાવરણમાં પ્રદૂષણ વધતું જાય છે.



ઘેઘૂર વૃક્ષો મોટા વિસ્તારમાં છાયડો પુરો  પાડે છે ,જે થાકેલા- કંટાળેલા મુસાફરોને તેમજ પશુ-પક્ષીઓને સાંત્વના  પૂરી પાડે છે . વૃક્ષોની ઘટાઓ માં પક્ષીઓ કિલ્લોલ કરે છે, તેની ડાળીઓ પર માળા બાંધે છે.




વૃક્ષો છોડ અને વનસ્પતિ પશુઓને ઘાસચારો પૂરો પાડે  છે ,વરસાદ લાવીને ધરતીને લીલીછમ હરિયાળી બનાવી દે છે! પરંતુ આજનો માનવી કેવો સ્વાર્થી બની ગયો છે!તે પોતાની સગવડતા  વધારવા માટે વૃક્ષોનું મોટાપાયા પર નિકંદન કાઢી રહ્યો છે…!



સુકાની સાથે સાથે લીલાછમ વૃક્ષો પણ કાપી રહ્યો છે, ત્યારે તો તે જોઈને હૈયું રડી ઊઠે છે…! વૃક્ષોને બચાવવા માટેનું  ‘ચિપકો આંદોલન’ ખુબ જ પ્રેરક હતું., પ્રત્યેક બાળકના જન્મ સમયે એક વૃક્ષનું રોપણ.

વિશ્વ પર્યાવરણના દિવસે પ્રત્યેક માનવી એક વૃક્ષ વાવે તેવી અનેકવિધ પ્રવૃત્તિઓ ચાલી રહી છે.વાવેલા વૃક્ષો નું જતન અને રક્ષણ કરવું પણ એટલું જ જરૂરી બને છે.




આપણા દેશમાં  વૃક્ષોની જાળવણી એક પ્રાણપ્રશ્ન બની ગયો છે .માટે સરકારી અને બિનસરકારી રાહે ‘ વૃક્ષરોપણના ‘ કાર્યક્રમો  પ્રતિવર્ષ યોજાય રહ્યા છે.પરંતુ વૃક્ષારોપણ સપ્તાહ દરમિયાન રોપેલા છોડ , વૃક્ષ રુપે વિકસે ને પાંગરે તે પહેલાં  કોઈને કોઈ કારણસર કરમાઈ જાય છે , ઊખડી જાય છે .



સુકાઈ જાય છે. પરિણામે એની  પાછળ ખર્ચેલા શ્રમ ,સમય ,શક્તિ ,સાધનસામગ્રી ને સંપત્તિ એળે છે.



આ ચિંતાજનક પરિસ્થિતિના નિવારણ માટે ‘એક બાળ ,એક ઝાડ’ નુ સૂત્ર પ્રચલિત બન્યું છે ને એને અમલમાં મુકવા અનુરોધ  થઈ રહ્યો છે. આ સૂત્રના બે ફલીતાર્થ;

એક ,જેના ઘેર એક બાળક જન્મે એણે એ દિવસે એક ઝાડ રોપવું અને પોતાના બાળકની સાથે સાથે, પોતે વાવેલા આ વૃક્ષની  પણ એવી માવજત કરવી કે એ વિકસીને મોટું થાય ,

 

બીજું, એક બાળ  = એક ઝાડ એ હિસાબે દેશમાં રોજ જેટલી વસ્તી વધે એટલી જ સંખ્યામાં વૃક્ષો પણ ઉગે એવું  સુવ્યવસ્થિત આયોજન થવું જોઇએ.

 

વૃક્ષો પૃથ્વી પરનું અણમોલ રતન છે .વૃક્ષોથી ધરતીમાતા હરીભરી લાગે છે.     વૃક્ષો જ ધરતીની શોભા છે .વૃક્ષો ધરતી નું આભૂષણ છે વૃક્ષોથી જ પ્રકૃતિની શોભા અનેરી છે.



વૃક્ષોથી જ સૃષ્ટિ હરિયાળી છે. વૃક્ષો થી સૃષ્ટી સોંદર્ય છે .મણિલાલ પટેલ કહે છે કે “વૃક્ષો તો ધરતી રૂપી શતરંજ ફલક પરના પ્યાદા સમાન છે”.



ડો.જગદીશ ચંદ્ર બોઝે કહ્યું છે કે ,’વૃક્ષમાં જીવ છે ‘,માટે આપણે બધાએ આપણા ઉજ્જવળ ભવિષ્ય માટે વૃક્ષોનું જતન કરવું જ રહ્યું.સ્વાધ્યાય પ્રવૃત્તિના પ્રણેતા પાંડુરંગ શાસ્ત્રી આઠવલે કહ્યું છે કે ‘,છોડમાં રણછોડ છે’.



મહાપુરુષોના આવા  વચનો જ વૃક્ષનું મહાત્મ્ય પ્રગટ કરે છે .વૃક્ષો તો સંતો જેવા પરોપકારી જીવ છે. વૃક્ષોનું જતન કરવું એ આજની તાતી જરૂરિયાત છે.





વૃક્ષોએ આપણા જીવનને હર્યુંભર્યું અને સમૃદ્ધ બનાવી દીધું છે .એક ગુજરાતી કવિએ કહ્યું છે કે, ‘તરુંનો બહુ આભાર જગત પર તરુનો બહુ આભાર’. વૃક્ષો ન હોય તો?



આખી ભૂમિ વેરાન રણપ્રદેશ  જેવી બની જવાની ને ! વરસાદ જ ક્યાંથી પડવાનો! અને વરસાદ જ  ન પડે તો અન્ન ,વસ્ત્ર, જળ જેવી પ્રાથમિક જરૂરિયાતો જ ક્યાંથી પ્રાપ્ત થવાની?



વૃક્ષોએ  આપણા જીવનને રંગબેરંગી અને આનંદદાયક બનાવ્યું  છે. વૃક્ષોના પાંદડા અને ફૂલો એ આપણને કેટકેટલા  રંગોની ભેટ આપી છે.વૃક્ષની છાયા આપણા જીવનને ‘હાશ ‘ બક્ષે છે.

વૃક્ષોનું મહત્વ,





       દુનિયાભરમાં આજે વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ મનાવાઈ રહ્યો છે. તેનો હેતુ કુદરતી સ્ત્રોતોને સુરક્ષિત રાખવા પ્રત્યે જાગૃતિ વધારવા નો છે. વૃક્ષો છોડ અને જંગલો કુદરતી સ્ત્રોતોનો અત્યંત મહત્વનો હિસ્સો છે.





      





      જંગલોની ઘટતી  સંખ્યાના કારણે તેની સુરક્ષા પર ભાર મૂકવો  વધુ જરૂરી બની રહ્યો છે . એક વૃક્ષ ફક્ત છાંયડો , નહીં ઓક્સિજન પણ આપે છે . તેનું મૂલ્ય કેટલું હોય ,તે જાણવાના પ્રયાસ ભારતમાં જ  થયા હતા.




        ૧૯૭૯ માં કોલકાતા યુનિવર્સિટીના પ્રો. તારક મોહન દાસે એક  સંશોધન કર્યું હતું, જેમાં તેમણે એક વૃક્ષની કિંમતનું અનુમાન કર્યું હતું.ડો. દાસે કહ્યું હતું કે, એક વૃક્ષ  ૫૦ વર્ષના આયુષ્યમાં બે લાખ ડોલરની સેવા આપે છે .








        તેમાં ઓક્સિજનનું ઉત્સર્જન ,જમીનનું ધોવાણ અટકાવવું , માટીનેં ફળદ્રુપ બનાવવી, પાણી રિસાયકલ  કરવું અને હવા શુદ્ધ કરવી જેવી અનેક સેવા સામેલ છે.








       જો ૧૯૭૯ ના મોંઘવારી દરને ધ્યાનમાં રાખીને ગણતરી કરીએ તો ,આજે એક વૃક્ષની સેવાની  કિંમત આશરે રૂ. પાંચ કરોડ છે. 2013મા દિલ્હીની એક એનજીઓ ‘ દિલ્હી ગ્રીન્સ ‘ ના અભ્યાસ પ્રમાણે ,એક સ્વસ્થ વૃક્ષ વર્ષમાં જેટલો ઓક્સીજન આપે છે, તેને ખરીદવામાં આવે તો તેની કિંમત રૂ. 30 લાખથી વધુ હશે. 



       આમ  ,એક –એક વૃક્ષ અમૂલ્ય છે ,પરંતુ આ આંકડા કહે છે કે એક વૃક્ષ વાવવાનો આપણો પ્રયાસ અત્યંત મહત્વનો સાબિત થશે.





     પાણીથી વરાળ બનાવાની પ્રક્રિયા .જળસ્ત્રોત સાથે વૃક્ષોના પાંદડા થી પણ બાષ્પીભવન થાય છે. તેનાથી હવામાં ભેજ વધે છે .

 

    વરાળ ઠંડી પડી પાણીમાં રૂપાંતરિત થાય છે .મોટા અને ગાઢ વૃક્ષો હવાના ભેજ ને વધારે  રોકે છે તેનાથી વરસાદ પડે છે.



     વૃક્ષ જેટલું પાણી સંકોચે છે એટલા નો ઉપયોગ નથી કરતું . પાંદડાં વધારે પાણીને   વરાળ તરીકે હવામા છોડે છે.



     પાણી શોષાઈને જમીન માં જવું .વૃક્ષો ઝડપી વરસાદના પાણીને વહેતા અટકાવે છે .તેનાથી જમીનમાં પાણી શોષાઈ  શકે છે.





      પુરને રોકી શકે છે ,વૃક્ષો કપાય તો પૂરની  શકયતા ૨૮% વધી શકે છે. આઇ.આઇ.ટી ખરગપુરના અભ્યાસ પ્રમાણે ,દેશના જે રાજ્યોમાં જંગલો ઓછા છે ત્યાં પૂરથી  વધુ નુકસાન થયું છે .



      એવી જ રીતે, નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપોરના 56 દેશના આકડાના વિશ્લેષણમાં પણ આ વાત સામે આવી છે .તે પ્રમાણે જે દેશોમાં કુદરતી જંગલોનું ક્ષેત્ર ૧૦%સુધી ઓછું થયું  છે ,ત્યાં પૂરની શક્યતા ૪ થી ૨૮ %સુધી વધી 

ગઈ છે.








      બીમારીઓથી બચાવે છે .અસ્થમાની શકયતા 33% ઓછી કરે છે ૩૪૩ વૃક્ષ યુકેમાં થયેલા અભ્યાસ   પ્રમાણે ,એક ચોરસ કિ.મી.માં ૩૪૩ વૃક્ષ લગાવવાથી બાળકોમાં અસ્થમાની શક્યતા ૩૩% સુધી ઘટે છે.





      આ જ રીતે જંગલો બીમારીઓથી ફેલાતા જીવો ,ખાસ કરીને મચ્છરો ને  રહેણાંક વિસ્તારમાં આવતા રોકે છે .જેમ કે ,૯૦ના દસકામાં પેરુમાં રસ્તા બનાવવા જંગલો કપાયા હતા .તેનાથી ત્યાં મેલેરિયાના દર્દીઓની સંખ્યા દર

 વર્ષે ૬૦૦ થી વધીને ૧.૨ લાખ થઈ હતી.










     વર્ષે ૩૬હજાર  જીવન બચી શકે છે, ખરાબ પર્યાવરણથી બચાવે છે. પર્યાવરણ  ક્ષેત્રે કામ કરતી સંસ્થા નેચર કન્ઝવેન્સીના એક અભ્યાસ પ્રમાણે ,શહેરોમાં જો વધુને  વધુ વૃક્ષો વાવવામાં આવે તો ખરાબ પર્યાવરણ થી થતા મૃત્યુ ૯% સુધી ઘટાડી શકાય અને દર વર્ષે ૩૬ હજાર લોકોની જાન બચાવી શકાય .

 

  

 એક અભ્યાસ કહે છે કે ,એક વૃક્ષ વર્ષે 20 કિલો સુધી  ધૂળ શોષી લે છે







      તાપમાન નિયંત્રિત કરે છે , સીઓટુ   ઘટાડે છે .વૃક્ષ કોઈ વિસ્તારનું તાપમાન 

૧ થી ૫  ડિગ્રી સુધી ઘટાડી શકે છે .એક વૃક્ષ એક વર્ષમાં ૨૨ કિલો સુધી કાર્બન ડાયોક્સાઈડ શોષી શકે છે.







        દર વર્ષે ૧૦૦ કિલો ઓક્સીજન આપે છે .એક વૃક્ષ એક વર્ષમાં ૧૦૦ કિલો સુધી ઓક્સીજન આપે છે .એક વ્યક્તિને એક વર્ષમાં ૭૪૦કિલો ઓકિસજન ની જરૂર પડે છે.









           વરસાદ લાવે છે, ભૂગર્ભજળ વધારે છે. એક  વૃક્ષ ની મદદથી વાર્ષિક ૩૫૦૦ લિટર પાણી વરસી શકે છે. દરેક વૃક્ષ અંદાજે ૩૭૦૦ લિટર  પાણી રોકીને જમીનમાં પહોંચાડે છે .તેનાથી ગ્રાઉન્ડ વોટર વધે છે.








      પાણીનો સંગ્રહ કરે છે ,શહેરમાં પુર અટકાવે છે .વાતાવરણ માં પાણી જાળવી રાખે છે .તેનાથી દુકાળનું જોખમ  ઘટે છે. શહેરોમાં ૫૩૦ લિટર પાણી વહી જતું અટકાવી પૂરતી બચાવે છે.







     હવા શુદ્ધ કરી ફેફસાંને બચાવે છે .એક વૃક્ષ ૬ ટકા સુધી સ્મોગ  (ધુમાડો અને ધુમ્મસ) ઘટાડે છે. પૂર્ણ વિકસિત વૃક્ષ પ્રદૂષિત હવા માંથી ૧૦૮ કિલો સુધીના નાના કણો  અને ગેસ શોષી શકે છે.






       શાંતિ અને બચત પૂરા પાડે છે .ઘરની આસપાસ યોગ્ય સ્થળે વૃક્ષો વાવવાથી એસી ની જરૂરિયાત 30 % ઘટી જાય છે .તેનાથી 20 –50 %  વીજળી બચી શકે. અંદર આવતો ઘોંઘાટ ૫૦% સુધી ઘટાડી શકો છો.







      માટી માંથી ઝેરીલા  પદાર્થ શોષે છે .એક વૃક્ષ માટીમાંથી અંદાજે ૮૦ કિલો  પારો , લિથિયમ, લેડ વગેરે જેવી ઝેરીલી ધાતુઓ શોષી લે છે .તેનાથી માટી વધુ ખાતર અને ખેતીલાયક બને છે.








        જૈવ વિવિધતા બચાવવામાં મદદ કરે છે. એક અભ્યાસ મુજબ, માત્ર એક વૃક્ષ વાવીને પક્ષીઓની ૮૦ પ્રજાતિ બચાવી શકાય છે .વિશ્વમાં ૨૯૯૬  પ્રાણી લુપ્ત થવાના આરે છે ,જેમાંથી ૮૪ ભારતમાં છે.










LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here