Monghvari Essay In Gujarati

0
3213
monghvari essay in gujarati
monghvari essay in gujarati

Monghvari Essay In Gujarati

હાય રે મોંઘવારી

પુસ્તકમાં  વાંચેલું અને બાપ-દાદાઓને  મોઢે સાંભળેલું કે ભારતમાં એક સમયે   દૂધ ઘીની નદીઓ વહેતી હતી. તે તો આજની કાળઝાળ  મોંઘવારી ને જોઈને અવાસ્તવિક જ લાગે છે.

નિરંકુશ રીતે વધતી જતી મોંઘવારી દેશના અર્થતંત્ર પર  કારમાં ઘા સમાન છે. ‘ગુલામીના મિષ્ટાન્ન કરતા આઝાદીનો સૂકો રોટલો અમને વધુ મીઠો લાગશે ‘.

નેતાજી એ આઝાદ હિન્દ ફોજની રેલીને  સંબોધતા કહેલા આ શબ્દો, આઝાદી મળ્યા પછીના ૪૭ વર્ષોમાં એવા તો ફળ્યાં છે કે હવે તો સૂકો રોટલો પણ મિષ્ટાન્ન  જેવો થઈ પડ્યો છે!

એક બાજુ મોંઘવારીએ માઝા મૂકી છે અને બીજી બાજુ ‘ગરીબીની રેખા નીચે’ જીવતા  લાખો કુટુંબો ,કાળી મજૂરી કરવા છતાં એક ટંકનું ધાન પણ મેળવી શકતા નથી.

આજે મોંઘવારીએ માઝા મૂકી છે .આઝાદી પહેલા જે આઝાદ ભારત ના સ્વપ્નો જોવાતા  હતા ,જે. સુખસાહેબી ની કલ્પના કરી હતી તે બધું આજે પત્તાના મહેલની જેમ કડડભૂસ થઈ ગયું !આજે મોંઘવારી ચોતરફ પ્રસરી ગઈ છે.

બીજી બાજુ ‘ગરીબીની રેખા ‘નીચે જીવતા લોકો તનતોડ મહેનત કરવા છતાં બે ટંકનું  પૂરતું ભોજન મેળવી શકતા નથી.

 

monghvari essay in gujarati
monghvari essay in gujarati

મોંઘવારીની ઝપટમાં માત્ર ગરીબો જ નહીં પણ મધ્યમવર્ગના લોકો પણ આવી ગયા છે .મોંઘવારી એટલી  વ્યાપી ગઈ છે કે માનવીનો મોંઘો દેહ લાચાર બની ગયો  છે.

સામાન્ય રીતે મોંઘવારી નો જન્મ કોઈક  કુદરતી આફત કે યુદ્ધમાં થી થાય છે. તે અમુક ચોક્કસ દિવસે જ શરૂ થાય છે એવું નથી પરંતુ તેની ગતિ સામાન્ય રીતે ધીમી હોય છે .

તે ઉપરાંત, એકાદ ચીજની મોંઘવારી હોય તો તે મોંઘવારી કહેવાય નહીં પરંતુ જીવનની પ્રાથમિક મૂળભૂત જરૂરિયાતોમાં મોંઘવારી હોય ત્યારે જ મોંઘવારી છે એમ કહેવાય. યુદ્ધ હોય ત્યાં મોંઘવારી હોવાની જ યુદ્ધ દરમિયાન દુનિયાના મોટા ભાગના દેશો યુદ્ધ સામગ્રી ના ઉત્પાદનમાં પડ્યા અને અન્ય જરૂરિયાતો જેવી કે દવાઓ ,યંત્રો, રસાયણો ,રંગો વગેરેનું ઉત્પાદન ઘટયું.

monghvari essay in gujarati

પરિણામે એ  વસ્તુઓ મોંઘી થઇ ગઈ પછી તો એના કારણે દેશમાં થતી ઉત્પન્ન  થતી ચીજો જેવી કે કાગળ,ઘી , ગોળ, ખાંડ , કાપડ વગેરે ચીજો પણ મોંઘી થતી ગઇ, અને આ યુગમાં વેપારીને મોંઘવારીનો ઘણો ફાયદો થયો.

પ્રાચીન કાળથી માંડીને અર્વાચીન સમય સુધીમાં માનવીએ ખૂબ જ પ્રગતિ કરી છે .માનવીની જરૂરિયાતો પણ તેમ તેમ વધતી ગઈ છે . માનવી ને એની ત્રણ મૂળભૂત જરૂરિયાતો જો સહેલાઇથી ના મળે, રોટલો, કપડા અને મકાન માટે એને ભીખ  માંગવી પડે લાચાર બનીને દેહનું નીલામ કરવું પડે એ દેશોમાં આઝાદી હોય તોયે શું ને  ના હોય તોય શું?

એક જમાનો એવો હતો કે જ્યારે ‘રૂપિયો ગાડાના પૈડા જેવો  લાગતો હતો!’ એક રૂપિયામાં આખા ઘરની જરૂરિયાતો સંતોષાતી હતી. 

ક્યાં ગયું આ બધું ?અંગ્રેજો આમાંનું  કશું લઈ નથી ગયા. જે કંઈ કર્યું કે થયું તેના માટે આપણે પોતે જવાબદાર છીએ, આપણી સરકાર જવાબદાર છે. આપણા વેપારીઓ જવાબદાર છે .

માનવીને મોંઘો ,સસ્તો  ને લાચાર બનાવનારા અને મોંઘવારી નું એક ભયંકર ષડયંત્ર રચનારા આપણા દેશબંધુઓ  જ છે એ પણ એક કિસ્મતની કમનસીબી જ છે ને ?

મીઠા થી માંડી મીઠાઈ સુધી તમામ ખાદ્યચીજો; પાણીથી માંડીને પેટ્રોલ સુધીના તમામ પ્રવાહી;.ખીલી થી માંડીને ખાસડા સુધીની તમામ ચીજવસ્તુઓના ભાવ આસમાને ચડતાં જાય છે.અને માનવી મોં પહોળું કરીને, આખો ઝીણી કરીને, અને પેટે પાટા બાંધીને આ બધું જોયા કરે છે.

મધ્યમ વર્ગ ,જેની પાસે ઉત્પાદનનું  કોઈ સાધન નથી તેને મોંઘવારીની ભીંસ ખૂબ જ દુઃખ દાયક નીવડે છે.માંદગીમાં દવા જેવી કિંમતી ચીજના ભાવ આસમાને ચઢે છે.ભારતના કરોડો માણસોને કડકડતી ઠંડીમાં અંગ ઢાંકવા કપડાના ટુકડા માટે ફાફા મારવા પડે છે

આજની મોંઘવારીથી લોકો બે ટંક પૂરૂ ખાવા. પામતા  નથી .મોંઘવારી તો આનિષ્ટ છે જ પણ તે પોતાની સાથે બીજા અનિષ્ટો ને પણ જન્મ આપે છે. તેમાંથી સંગ્રહખોરી પેદા થાય છે .

સંગ્રહખોરીથી અન્ય બાબતોને પ્રોત્સાહન મળે છે. તેમાંથી લાંચરૂશ્વતવધે છે. રાષ્ટ્રીય વિકાસને નામે સરકાર કરવેરામાં વધારો કરવા માંડે છે. અને મધ્યમ વર્ગ મોંઘવારીના સાણસામાં  બૂરી રીતે સપડાઈ જાય છે.

મોંઘવારીને સોંઘી બનાવી દેનારા, હાથે કરીને કૃત્રિમ અછત ઉભી કરનારા, જીવનજરૂરિયાતની ચીજ-વસ્તુઓની સંગ્રહખોરી કરનારા, કાળા નાણાને ફરતું રાખવા માટે દરેક વસ્તુના ‘કાળા બજાર’ રચનારા અને માનવીને અસહ્ય લાચાર સ્થિતિમાં, પશુથી પણ બદતર જીવન જીવવા માટેની ફરજ પાડનારા ‘નરાધમો ‘ એક વસ્તુ ભૂલી જાય છે કે તુલસી હાય ગરીબ કી કભી ન ખાલી જાય એ ન્યાયે એમને પણ એક દિવસ કૂતરાના મોતે તે મરવાનો જ વારો આવવાનો છે.

જેને કોઈની આંતરડી ઠારી  નથી ;કેવળ બાળી જ છે ,એને અંત  ઘડીએ એનો પૈસો કે પદ કશું જ કામ  આવવાનું નથી.

લાખો માનવીઓના નિસાસા  લેનારો એ જ્યારે આખરી શ્વાસ લેતો હશે ત્યારે એણે કરેલી આ ભયંકર કુસેવાના  પરિણામો એનો પીછો છોડવાના નથી!!

પ્રશ્ન થાય  કે મોંઘવારીને નાથવાનો કોઈ ઉપાય નથી ?હોય તો છે પણ તેનો અમલ  કડક થવો જોઈએ .સરકારે કાળાબજાર સંગ્રહખોરી, નફાખોરી, ભેળસેળ, કૃત્રિમ ,અછત ઓછું તોલમાપ  જેવા અપરાધો આચરનારા સામે કડક હાથે કામ લેવું જોઈએ.

શોષણખોર વેપારીઓને  ખુલ્લા પાડવા જોઈએ .વેપારી અનીતિ  કરતા પકડાય તો સરકારે કડકમાં કડક સજા કરીને દાખલો બેસાડવો જોઈએ . સરકારે પણ બધાને પ્રાથમિક જરૂરિયાત રોટી-કપડા અને મકાનની સગવડ મળી રહે તેનું ધ્યાન રાખવું જોઈએ.

આજે તો બધું જ મોંઘુ થઇ રહ્યું છે . ફક્ત માણસ સસ્તો થઈ રહ્યો છે. કેટલાક શ્રમિકોને પૂરેપૂરું વળતર મળતું નથી.

મોંઘવારીના વિષચક્રમાંથી બહાર નીકળવું  ઘણું મુશ્કેલ છે પણ અશક્ય તો નથી જ .સમયની નાડ પારખીને   સૌએ જીવન જીવવું જોઈએ અને સરકારે પણ પોતાની પ્રજા સુખ-શાંતિથી જીવન ગુજારે તેવી વ્યવસ્થા  પોતાની તરફથી કરવી જોઈએ .

વેપારીઓએ પણ પોતાની નૈતિક ફરજ સમજીને બેફામ ભાવવધારો અટકાવવો જોઇએ .બીજી બાજુ સરકાર તરફથી જે  કાયદો કે નિયમ આવે તેનો આપણ સૌએ  માનવતાવાદી અભિગમ અપનાવી સક્ષમ કરવો જોઈએ.

આપણા સૌના સહિયારા પ્રયત્નો થકી જ મોંઘવારીને અંકુશમાં લાવી શકાશે એ સનાતન સત્ય કદી ભૂલવું જોઈએ નહીં.


યોગ પર નિબંધ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here