pustako ni maitri essay in gujarati

2
7024
pustako ni maitri essay in gujarati
pustako ni maitri essay in gujarati

“ પુસ્તક એ આત્મા ની સવારી માટે નો રથ છે.” આજના વિષમ બનેલા સમાજજીવનમાં કોઈ વ્યક્તિના જીવનમાં ક્યારે પરિવર્તન આવે તે નક્કી ન થઈ શકે. આપણામાં એક કહેવત છે કે ગધેડા સાથે ઘોડાને બાંધવામાં આવે તો તે લાતો મારતા જરૂર શીખે એક બગડેલી કેરી આખા કરંડિયા ની કેરી બગાડી નાખે છે.” સંગ તેવો રંગ.” એક સારા પુસ્તક નો સંગ એક સત્સંગ જેવો છે.

મિત્રોની જેમ જ પુસ્તકોનો પણ જીવન ઘડતરમાં નિર્ણાયક પ્રભાવ પડે છે. એક સારા મિત્ર ની જેમ પુસ્તક પણ વ્યક્તિને તેના સુખ દુઃખ માં સાથ આપે છે. ગમે તેવી મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો માર્ગ ચીંધે છે. સહનશીલતા ધીરજ જેવા ગુણ શીખવી ને જીવન ટકાવી રાખવાનો સહારો તેમજ સાંત્વના આપે છે.

pustako ni maitri essay in gujarati
pustako ni maitri essay in gujarati

અભ્યાસ ના પુસ્તકો માંથી મળતું  જ્ઞાન ઘણું જ મર્યાદિત હોય છે ઉપરાંત ઘણી વાર તો તે ફક્ત માર્ક્સ મેળવવા માટે જ વાંચવામાં આવે છે. જો આપણે આપણી જ્ઞાનની ક્ષિતિજ ને વિસ્તારવી હોય તો  પુસ્તક રૂપી નૌકામાં વગર ખર્ચે ને વગર તકલીફે સફર કરવી જોઈએ કે જે આપણને દૂર-દૂરના મુલકમાં માં લઈ જાય છે. એટલે જ અંગ્રેજીમાં એ જાણીતી ઉક્તિ છે કે: “ a good book is man’s  friend, philosopher, and guide.” મતલબ કે એક સારું પુસ્તક માનવીનો મિત્ર જ નહીં પણ તત્વચિંતક અને માર્ગદર્શક પણ બની શકે છે.

આમ પુસ્તક એક ખુબ જ વિસ્મયકારક માધ્યમ છે જાદુઈ દીવો છે આજના ચિંતાયુક્ત માનવ જીવનમાં સારું અને ઉત્તમ પુસ્તક શ્રેષ્ઠ મિત્ર ની ગરજ સારે છે.સારું ને ઉત્તમ પુસ્તક કંઈ રાતોરાત લખાઈ જતું નથી એના લેખકે એની સર્જન પ્રક્રિયા માં પોતાના વિચારો, લાગણીઓ મનોભાવો, જ્ઞાન, અનુભવ વગેરે કંઈ કેટલુંયે સંયોજીત કરીને ઠાલવ્યું હોય છે.

આ માટે આપણે થોડા એવા દ્રષ્ટાંત જોઇએ કે જેમાં પુસ્તકને લીધે વ્યક્તિના જીવનમાં પરિવર્તન આવ્યું હોય રસ્કિનના પુસ્તક ‘Un to the Last’   પુસ્તકમાંથી ગાંધીજીને સત્યાગ્રહ ની પ્રેરણા મળી રશિયન મહાન લેખક લિયો ટોલ્સટોય નું પુસ્તક what is to be done? નો ગુજરાતી અનુવાદ ત્યારે શું કરીશું? ના વાંચનથી પ્રેરાઈને “ દર્શક” માં પ્રકૃતિપ્રેમ વિકસ્યો એટલું જ નહીં રાજકારણમાં ન જતા તેમણે ખાડાટેકરાવાળી જમીનમાં આંબા, ચીકુ, નાળિયેરીના વૃક્ષો ઉગાડયાં અને પરિશ્રમની મહત્તા સિદ્ધ કરી.

જૈન મુનિ હેમચંદ્રાચાર્યના વ્યાકરણ ગ્રંથને રાજા સિદ્ધરાજ જયસિંહે હાથીની અંબાડી પર મૂકીને પાટણમાં તેની ભવ્ય શોભાયાત્રા કાઢી હતી.

જર્મન કવિ ગેટે કવિ કાલિદાસનું “અભિજ્ઞાન શાકુંતલ “માથે મૂકીને નાચ્યો તો હતો.

ઉત્તમ પુસ્તકો ની મૈત્રી રાખનાર ક્યારેય ગમે તેવી મુસીબતમાં પણ મૂંઝાતો નથી કે દુઃખી થતો નથી. સારા પુસ્તકો થી ઘડાયેલું મહાપુરુષો નું જીવન દર્શન દુઃખના સમયે ધીરજ અને શાંતિ રાખતાં શીખવે છે તે માનવી ની વેદના ને હળવી બનાવી નાખે છે. શ્રેષ્ઠ પુસ્તકો માનવીના મનનો વહેમ અજ્ઞાન અને અંધશ્રદ્ધાને દૂર કરવામાં મદદરુપ બને છે. તેમને નવું નવું શીખવાડે છે. તેમની જ્ઞાનની સીમાઓ ને વિસ્તારવાની તક આપે છે.

pustako ni maitri essay in gujarati
pustako ni maitri essay in gujarati
CREDIT: PHOTODISC

બિલકુલ અજાણ બાબતથી પણ માહિતગાર બનાવે છે. સારા પુસ્તકો કદી દગો કરતા નથી તે હંમેશા આપણો સાથ નિભાવે છે. આ માટે એક અંગ્રેજ કવિએ લખેલી પંક્તિ યાદ આવે છે:

“My never failing friends are they

With whom I Converse day by day.”

પુસ્તકો અરીસા જેવા છે. તે આપણને આપણા વ્યક્તિત્વનો પરિચય કરાવે છે. એક લેખકે સાચું જ કહ્યું છે કે “તમે શું વાંચો છો એ મને કહો તો તમે કેવા છો એ હું તમને કહી શકીશ”. પુસ્તકો સાથે મૈત્રી રાખનાર માનવી ને કદી એકલાપણું સાલતું નથી કેમકે પુસ્તકો ના પાને પાને અક્ષરદેહે અમર થઈ ગયેલા મહાપુરુષો બિરાજે છે.

“સારા પુસ્તકોનો સંગ્રહ એ ખરેખર એક મોટી યુનિવર્સિટી છે”.

સારા પુસ્તકોના વાંચનથી આપણને આપણામાં પાંખો ફૂટી હોય તેવો અનુભવ થાય છે.કેટલાક સાહિત્યકારોના પુસ્તકો વાંચવાથી જીવનમાં પરિવર્તન આવી શકે છે. ગાંધીજીની આત્મકથા “સત્યના પ્રયોગો” માંથી આપણને જીવનમાં વિનમ્રતા કે નિખાલસતાનો પરિચય થાય છે. આવા તો અનેક દ્રષ્ટાંતો સાહિત્યમાંથી મળી શકે. કાકાસાહેબ કાલેલકર ના પ્રવાસ વર્ણન ના પુસ્તકો વાંચતા આપણે પણ તેમની સાથે એકરૂપતા અને ધન્યતા અનુભવીએ છીએ.

books are our best friends essay in gujarati
books are our best friends essay in gujarati

પ્રાચીન કાળ ના સમયમાં પણ પુસ્તકાલયોનું ખૂબ જ મહત્વ હતું.

જ્ઞાનની ક્ષિતિજોને વિસ્તારવામાં પુસ્તકોની ભૂમિકા ખૂબ જ અગત્યની છે. આજના સમયમાં તો અનેક સેવાભાવી સંસ્થાઓ વિનામૂલ્યે અથવા સાવ નજીવી ફી મા જ્ઞાનનો વિશાળ ખજાનો પુસ્તકાલયના રૂપમાં ખુલ્લો મૂકીને જનતાની મહાન સેવા કરી રહી છે!સારા પુસ્તકો સુવિકસિત જીવનનું પ્રતિબિંબ પાડે છે. પુસ્તકથી વંચિત રહેલો માનવ સમાજ પાછળ રહી જાય છે.

પુસ્તકો માત્ર મનોરંજન જ નહીં પરંતુ માનવીના જીવન ઘડતરનું પણ એક ઉત્તમ સાધન બની રહેવું જોઈએ. અમુક હલકી કક્ષાના તેમજ અશ્લીલ સાહિત્યનું વાંચન માનવીની વૃત્તિઓને બહેકાવી અને તેને અધઃપતન તરફ દોરી જાય છે.જાતીયવૃત્તિ ભડકાવતા પુસ્તકો આજના યુવાનોને અનૈતિક સંબંધો જોડવા તરફ પ્રેરે છે. આથી પુસ્તકોની પસંદગી પણ વિવેકપૂર્ણ રીતે થવી જોઈએ. પ્રજાનું સાંસ્કૃતિક ઘડતર કરવામાં પુસ્તક અત્યંત ઉપયોગી સિદ્ધ થઇ શકે એમ છે.

ખરેખર “સારા પુસ્તકો વિનાનું ઘર સ્મશાન જેવું હોય છે”. ધાર્મિક પુસ્તકોના વાંચનથી આપણને આપણો ભવ્ય વારસો ,સંસ્કૃતિ વગેરે જાણવા મળે છે. ભગવદ ગીતા, રામાયણ, મહાભારત, વેદો, પુરાણો, બાઈબલ, કુરાન, ગુરૂ ગ્રંથ સાહેબ ,અવેસ્તા આવા ધાર્મિક ગ્રંથોએ  માનવીના જીવનમાં ખૂબ જ મોટું પરિવર્તન લાવવામાં મોટો ફાળો આપ્યો છે.ભગવત ગીતાના બોજને જીવનમાં પચાવનાર વ્યક્તિ મૃત્યુ થી કદી ડરશે નહીં જૈન ધર્મના પુસ્તકો વાંચનાર અહિંસાનો ઉપાસક બનશે. મહાભારત ના પ્રસંગો માં થી બોધપાઠ લેવા જેવી અનેક ઘટનાઓ છે. રામાયણ તો આદર્શ જીવનનું ઉત્તમ મહાકાવ્ય છે.

બાળકોએ પણ નાની વયથી જ પુસ્તકો વાંચવાની ટેવ પાડી દેવી જોઈએ. બાળકોને આપણે ભેટો કે રમકડા ભલે આપીએ પણ સાથે સાથે સારા પુસ્તકો પણ વાંચવા આપવા જ જોઈએ. કારણકે નાની ઉંમરે સારા પુસ્તકોનો પ્રભાવ બાળકના ચિત્ત પર ખૂબ જ પ્રબળ અસર પાડે છે. એટલે જ પુસ્તકોની મૈત્રી ખૂબ જ જરૂરી છે.આ જ્ઞાનનો અખૂટ ભંડાર જેટલો  લૂંટાઈ એટલો લૂંટી જ લેવો જોઈએ. સારા પુસ્તકો મનની મલિનતા ને ધોઈ નાખે છે.

આજના હાઇટેક યુગમાં, ટેલિવિઝન ના જમાનામાં, ઈન્ટરનેટની આંધીમાં લોકોની વાંચન પ્રત્યેની રુચિ બિલકુલ ઘટી ગઈ છે. આજની યુવા પેઢી તેમજ મોટી ઉંમરના લોકો પણ પોતાનો મોટાભાગનો સમય મોબાઇલમાં, ટેલિવિઝનમાં, તેમજ વ્યર્થની ચર્ચાઓ કરવામાં પસાર કરે છે. પુસ્તકાલયો મોટાભાગે સૂમસામ હોય છે.પરંતુ સારા પુસ્તકોનું મહત્વ કાલે પણ હતું ,આજે પણ છે અને હંમેશને માટે રહેશે.

આમ પુસ્તકો બેશક સારા મિત્રો છે માનવ મિત્રોથી તો આપણે ગમે તે પડે અલગ થઇ જઈશું પણ પુસ્તક મિત્ર તો જીવનની તડકી છાયડી માં  પણ સદા ને માટે આપણો સાથ નિભાવશે.” આપણું વાંચન એ જ આપણા જીવનનું સાચું પ્રતિબિંબ છે”. જીવનને ઉમદા અને સમૃદ્ધ બનાવવા તથા પ્રગતિ સાધવા હંમેશા વિચારપ્રેરક અને ગંભીર પુસ્તકોનું  વાંચન કરવું જોઈએ યોગ્ય પુસ્તકો ઉત્તમ મિત્રની ગરજ સારે છે.

ખરેખર પુસ્તકોનો સંગ્રહ એ રત્ન ભંડાર છે. પુસ્તકોને ક્યારેય સ્થળ કાળનું બંધન નડતું નથી. પુસ્તકની સાચી કિંમત કોઈ આપી શકતું નથી માત્ર કાગળની અને છાપવાની કિંમત જ અપાય છે.

મહાન તત્વચિંતક ઉમર ખય્યામ કહેતા: ‘ વેરાન રણમાં, દરિયામાં, પહાડોમાં, ગુફામાં, જેલની કોટડીમાં માણસને જો એક પણ સારું પુસ્તક મળી જાય તો જાણે એને નવી દુનિયા મળી જાય છે!!’

મોહમ્મદ માંકડે પણ લખ્યું છે કે: ‘ માણસને પુસ્તકો સાથે જો મહોબ્બત બંધાઈ જાય તો તે પુસ્તક સાથે હસે છે, પુસ્તક સાથે ઉદાસ થઈ જાય છે, પુસ્તક સાથે આનંદ પામે છે અને પુસ્તકની હાજરીમાં પોતાની જાત સાથે વાતો પણ કરવા લાગે છે અને પોતાની જાતને પુસ્તક પાસે જ તે ખુલ્લી પણ કરે છે!!!’

અંતમાં તો એટલું જ કહેવું પડે કે, ફક્ત આજને માટે જ નહીં હંમેશના માટે આપણા સૌથી સાચા અને સારા મિત્રો જો કોઈ હોય તો તે પુસ્તકો છે, પુસ્તકો છે અને પુસ્તકો જ છે.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here