Home STD 10 પાઠ 2-એસિડ બેઇઝ અને ક્ષાર

પાઠ 2-એસિડ બેઇઝ અને ક્ષાર

0
1225
STD 10 VIGNAN LESSION 2

           વિજ્ઞાન પાઠ ૨-  એસિડ બેઇઝ અને ક્ષાર

આ પાઠ મા આવતા અગત્યના અણુસુત્રો.

હાઇડ્રોક્લોરિક એસિડ-HCl

સલ્ફ્યુરિક એસિડ-H2SO4

નાઈટ્રિક એસિડ-HNO3

એસિટીક એસિડ-CH3COOH

સોડિયમ હાઇડ્રોક્સાઇડ(કોસ્ટિક સોડા)-NaOH

પોટેશિયમ હાઈડ્રોકસાઇડ(કોસ્ટિક પોટાશ)-KOH

કેલ્શિયમ hydroxide-Ca(OH)2

મેગ્નેશિયમ હાઈડ્રોકસાઇડ-Mg(OH)2

એમોનિયમ હાઇડ્રોક્સાઇડ-NH4OH

સોડિયમ કાર્બોનેટ(સોડા એશ)-Na2CO3

(ધોવાનો સોડા)

સોડિયમ બાયકાર્બોનેટ(સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ)-NaHCO3

(ખાવાનો સોડા)(બેકિંગ સોડા)

સોડિયમ ઓક્સાઇડ-Na2O

કોપર ક્લોરાઇડ-CuCl2

ઝીંક ક્લોરાઇડ-ZnCl2

કેલ્શિયમ કાર્બોનેટ-CaCO3

ગ્લુકોઝ-C6H12O6

આલ્કોહોલ-C2H5OH

મિલ્ક ઓફ મેગ્નેશિયા-Mg(OH)2

પોટેશિયમ સલ્ફેટ-K2SO4

સોડિયમ સલ્ફેટ-Na2SO4

કેલ્શિયમ સલ્ફેટ-CaSO4

મેગ્નેશિયમ સલ્ફેટ-MgSO4

કોપર સલ્ફેટ-CuSO4

સોડિયમ ક્લોરાઇડ-NaCl

સોડિયમ નાઇટ્રેટ-NaNO3

એમોનિયમ ક્લોરાઇડ-NH4Cl

વિરંજન (બ્લીચીંગ) પાઉડર-CaOCl2

કળી ચૂનો (લાઇમ)-CaO

 જિપ્સમ-CaSO4.2H2O

સોડિયમ નાઇટ્રેટ-NaNO3

સોડિયમ નાઈ ટ્રાઈટ-NaNO2

સોડિયમ ઝિંકેટ-Na2ZnO2

વિદ્યાર્થીમિત્રો આપણે જાણીએ છીએ કે ખોરાકનો ખાટો અને તૂરો સ્વાદ તેમની અંદર રહેલા એસિડ અને બેઇઝ ના કારણે હોય છે.

આપણે અથવા આપણા ઘરના કોઈ પણ સભ્ય કોઈ પ્રસંગમાં ગયા હોય અને ત્યાં મનગમતું ભોજન ઠાંસી ઠાંસીને ખાઈ લીધું હોય તો તે એસિડિટીની સમસ્યાનો ભોગ બને છે. 

આવા વખતે એસીડીક અસર નિવારવા તેના પ્રતિ પદાર્થ બેઇઝ નો ઉપયોગ કરવો પડે ખરું ને? ચાલો આપણે આ પાઠમાં એસિડ બેઇઝ ની પ્રક્રિયાઓનો અભ્યાસ કરીશું તેમજ એ પણ જોઈશું કે એસિડ બેઇઝ એકબીજાની અસર ને કેવી રીતે નાબૂદ કરે છે…

એસિડ ની સામાન્ય ઓળખ: 

  • એસિડ સ્વાદમાં ખાટા હોય છે.
  • તે ભૂરા લિટમસ પેપર ને લાલ કરે છે
  • H+(aq) આયન મુક્ત કરે છે.
  • તેના  pH નું મૂલ્ય 7 કરતા ઓછું હોય છે.
  • તેના એસિડિક ગુણ માટે H+(aq) આયન જવાબદાર છે.

બેઇઝ ની સામાન્ય ઓળખ:

  • બેઇઝ સ્વાદમાં તૂરા હોય છે.
  • તે લાલ લિટ્મસ પેપરને ભૂરું કરે છે.
  • તે OH આયન મુક્ત કરે છે.
  • બેઇઝના  pH નું મૂલ્ય 7 કરતા વધુ હોય છે.
  • તેના બેઝિક ગુણ માટે OH આયન જવાબદાર છે.

સૂચક ની ઓળખ:

જે દ્રાવણ એસિડ અને બેઇઝ ની હાજરીમાં રંગ પરિવર્તન કરે છે તેને સૂચક કહે છે.

એસિડ અને બેઇઝ ની ઓળખ માટેના કુદરતી સૂચકો: હળદર, વેનીલા, ડુંગળી, લિટમસ પેપર લાલ કોબીજ ના પાન જેરાનિયમની રંગીન પાંખડીઓ, પેટુનિયા.

એસિડ અને બેઇઝ ની ઓળખ માટેના કૃત્રિમ સૂચકો:

મીથાઈલ ઓરેન્જ અને ફિનોલ્ફથેલીન.

પ્રશ્ન: તમને ત્રણ કસનળી આપવામાં આવે તેમાં એક કસનળીમાં નિસ્યંદિત પાણી હોય અને બાકીની બે માં એસિડિક અને બેઝિક દ્રાવણ હોય અને તમને માત્ર લાલ પેપર આપેલ હોય તો તમે દરેક કસનળીમાં રહેલા ઘટકો ની ઓળખ કેવી રીતે કરશો?

  1. સૌથી પહેલા કસનળીને A,B,C નામ આપો.
  2.  કસનળીના દ્રાવણમાંથી એક એક ટીપુ લાલ લિટમસ પેપર પર નાખો.
  3. જે કસ નળીના દ્રાવણ નું ટીપું લાલ લિટ્મસ પેપર ને ભૂરુ બનાવે તે કસનળીમાં બેઇઝ હશે તેમ કહી શકાય.
  4. બાકી રહેતી કસનળીના દ્રાવણમાં બેઇઝના દ્રાવણ નું એક ટીપું નાખો.
  5. જે કસનળી ના દ્રાવણનું ટીપુ બેઈઝના દ્રાવણના ટીપા સાથે મિશ્ર થઇ રંગીન બને તે એસિડ છે તેમ કહેવાય.
  6. જે ટીપાં ના રંગ માં કોઈ ફેરફાર થાય નહીં તે નિસ્યંદિત પાણી છે તેમ કહેવાય.

એસિડ અને બેઇઝ ના રાસાયણિક ગુણધર્મો ની સમજ:

વિજ્ઞાનની પ્રયોગશાળા માંથી આ પ્રમાણે નમૂના એકઠા કરો.

હાઇડ્રોક્લોરિક એસિડ(HCl), સલ્ફ્યુરિક એસિડ(H2SO4), નાઈટ્રિક એસિડ(HNO3), કેલ્શિયમ hydroxide(Ca(OH2), પોટેશિયમ hydroxide(KOH) ,મેગ્નેશિયમ હાઈડ્રોકસાઇડ(Mg(OH)2, અને એમોનિયમ હાઈડ્રોક્સાઈડ(NH4OH).

ઉપરના દ્રાવણમાંથી દરેકનું એક ટીપુ વોચ ગ્લાસ પર મૂકો.

લાલ લિટ્મસ પેપર, ભૂરું લિટમસ પેપર, ફીનોલ્ફથેલીન અને મી થાઈલ ઓરેન્જ જેવા સૂચકોની મદદથી થતું રંગ પરિવર્તન જુઓ.

એસિડ ના નમૂનાઓ લાલ લિટ્મસ પેપરમાં રંગ પરિવર્તન નહીં કરે.

બેઇઝના નમૂનાઓ લાલ લિટ્મસ પેપર ને ભૂરું બનાવશે.

એસિડ ના નમૂનાઓ ભૂરા લિટમસ પેપર ને લાલ બનાવશે. બેઈઝ ના નમૂનાઓ ભૂરા લિટમસ  પેપરમાં રંગ પરિવર્તન નહીં કરે.

ફિનોલ્ફથેલીન નું દ્રાવણ એસિડને રંગવિહીન કરશે અને બેઇઝ ને ગુલાબી બનાવશે.

મિથાઈલ ઓરેન્જનું દ્રાવણ એસિડને લાલ બનાવશે અને બેઇઝ ને પીળું બનાવશે.

ધ્રાણે ન્દ્રીય સૂચકો:કેટલાક પદાર્થો ની વાસ એ એસિડિક માધ્યમ માં અને બેઝિક માધ્યમમાં બદલાઈ જાય છે તેમને ધ્રાણેન્દ્રિય સૂચકો કહે છે.દા.ત. વેનીલા નો અર્ક, લવિંગનું તેલ અને ડુંગળી.

ધ્રાણેન્દ્રિય  સૂચકોની મદદથી એસિડ અને બેઇઝ ની પરખ:

  • સારી રીતે સુધારેલી થોડીક ડુંગળીને પ્લાસ્ટિકની એક થેલીમાં સ્વચ્છ કાપડના કેટલાક ટુકડાઓ સાથે લો.
  • થેલીને ચુસ્ત રીતે બાંધ્યા બાદ તેને આખી રાત ફ્રીજ માં રહેવા દો.
  • હવે કપડાં ના  ટુકડાઓને એસિડ અને બેઇઝ ની પરખ માટે ઉપયોગમાં લઇ શકાશે.
  • સૌપ્રથમ કપડાના ટુકડા માંથી બે ટુકડા લઈ તેની વાસ ચકાસો.
  • તેમને સ્વચ્છ સપાટી પર રાખી એક પટ્ટી પર મંદ HCl ના  દ્રાવણના થોડા ટીપા મૂકો અને બીજી પટ્ટી પર મંદ NaOH દ્રાવણ ના થોડા ટીપા મૂકો.
  • કાપડની બન્ને પટ્ટીઓને ચોખ્ખા પાણીથી ધોઈને ફરીથી તેની વાસ તપાસી ને અવલોકન નોંધો.
  • હવે થોડો મંદ વેનીલા અર્ક અને લવિંગનું તેલ લો તથા તેની વાસ તપાસી જુઓ.
  • હવે એક કસનળીમાં થોડું મંદ HCl દ્રાવણ અને બીજી કસનળીમાં થોડું મંદ NaOH દ્રાવણ લો. બંને કસનળીમાં મંદ વેનીલા અર્ક ના થોડા ટીપા ઉમેરો અને બરાબર હલાવો. ફરીથી વાસ તપાસો અને જો વાસ માં કોઈ પરિવર્તન હોય તો તેને નોંધો.
  • આ જ રીતે મંદ HCl  અને મંદ NaOH દ્રાવણ સાથે લવિંગના તેલની વાસ માં થતો ફેરફાર તપાસી જુઓ અને તમારા અવલોકનનો ની નોંધ કરો.

અવલોકન: 

અહીં આપણે વેનીલા અર્ક, ડુંગળી અને લવિંગનું તેલ એ ત્રણેયનો ઉપયોગ ધ્રાણેન્દ્રિય સૂચક તરીકે કરી શકીશું.

વેનીલા અર્ક, ડુંગળી અને લવિંગના તેલ ની વાસ મંદ HCl ઉમેરતા દૂર થતી નથી પરંતુ મંદ  NaOH ઉમેરતા ત્રણેયની વાસ દૂર થાય છે.

આના પરથી નક્કી થાય છે કે એસિડ ધ્રાણેન્દ્રિય સૂચક ની વાસ દૂર કરતો નથી પરંતુ બેઇઝ ધ્રાણેન્દ્રિય સુચકની વાસ દૂર કરે છે.

એસિડ અને બેઇઝ ની ધાતુ સાથે પ્રક્રિયા:

દાણાદાર ઝીંક અને મંદ સલ્ફયુરિક એસિડ સાથેની પ્રક્રિયા અને દહન દ્વારા ઉત્પન્ન થતાં હાઈડ્રોજન વાયુ ની ચકાસણી કરવી.

  • આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાધનો ગોઠવો.
  • કસનળીમાં આશરે 5 ml મંદ સલ્ફ્યુરિક એસિડ લો અને તેમાં દાણાદાર ઝીંકના થોડા દાણા ઉમેરો.
  • દાણાદાર ઝીંકની સપાટી પર હાઈડ્રોજન વાયુના પરપોટા દેખાશે.
  • આ ઉત્પન્ન થયેલા વાયુને સાબુના દ્રાવણમાંથી પસાર કરો.
  • અહીં દાણાદાર ઝિંક ના ટુકડા સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરી હાઈડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે જેને સાબુના દ્રાવણમાંથી પસાર કરતાં પરપોટા ઉત્પન્ન થાય છે.
  • વાયુ થી ભરેલા પરપોટા નજીક સળગતી મીણબત્તી લઇ જાવ.
  • સળગતી મીણબત્તીને હાઈડ્રોજન વાયુ ની નજીક લઈ જતા હાઇડ્રોજન વાયુ ધડાકા સાથે સળગી ઊઠે છે.
  • બીજા કેટલાક એસિડ જેવા કે HCl, HNO3  લઈને પણ આ પ્રવૃત્તિ કરી શકાય.

આમ ધાતુની એસિડ સાથે ની પ્રક્રિયા નો સાર નીચે મુજબ થાય.

એસિડ + ધાતુ→ક્ષાર+હાઈડ્રોજન વાયુ

અન્ય પ્રક્રિયા: 

2NaOH(aq)+Zn(s)→Na2ZnO2(s)+H2

Na2ZnO2→ સોડિયમ ઝીંકેટ

ખાસ: આવી પ્રક્રિયા બધી ધાતુ સાથે સંભવ નથી.

ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઈડ્રોજન કાર્બોનેટની એસિડ સાથેની પ્રક્રિયા:

  • બે કસનળી લો તેમને A અને B નામ આપો.
  • કસનળી A માં 0.5 ગ્રામ સોડિયમ કાર્બોનેટ અને કસનળી B મા 0.5 ગ્રામ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ લો.
  • બંને કસનળી ઓમાં આશરે 2 ml HCl  ઉમેરો.
  • સોડિયમ કાર્બોનેટ અથવા સોડિયમ હાઈડ્રોજન કાર્બોનેટની સાથે મંદ HCl ની પ્રક્રિયા થઈ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થશે.
  • દરેક કસનળીમાં ઉદભવતા વાયુને ચૂનાના પાણી માંથી પસાર કરો.
  • આમ કરવાથી કેલ્શિયમ કાર્બોનેટ ના સફેદ અવક્ષેપ મળશે.

પ્રક્રિયાના સમીકરણો:

Ca(OH)2+CO2→CaCO3+H2O

યાદ રાખો:  કુદરત માં મળી આવતા ચુનાનો પથ્થર, ચાક અને આરસ -પહાણ પણ કેલ્શિયમ કાર્બોનેટ ના વિવિધ રૂપો છે.

એસિડ અને બેઇઝ ની એકબીજા સાથે પ્રક્રિયા:

  • એક  કસનળીમાં આશરે બે ml મંદ સોડિયમ હાઈડ્રોક્સાઈડનું  દ્રાવણ લો અને તેમાં ફિનોલ્ફથેલીન દ્રાવણ ના બે ટીપા ઉમેરો.
  • આના લીધે દ્રાવણનો રંગ ગુલાબી થશે.
  • હવે દ્રાવણમાં થોડું થોડું મંદ હાઈડ્રોક્લોરિક એસિડ નું દ્રાવણ ઉમેરો.
  • આને લીધે શ્ દ્રાવણનો ગુલાબી રંગ દૂર થશે.
  • હવે આ મિશ્રણમાં સોડિયમ હાઈડ્રોક્સાઈડ ના થોડા ટીપા ઉમેરો.
  • ફિનોલ્ફથેલીન નો ગુલાબી રંગ ફરીથી દેખાશે.
  • આ રંગ પરિવર્તન થવાનું કારણ તટસ્થીકરણ પ્રક્રિયા છે આ પ્રક્રિયામાં એસિડ દ્વારા બેઇઝ ની અસર નાબુદ થાય છે.

સમીકરણ: NaOH+HCl→NaCl+H2O

તટસ્થીકરણ પ્રક્રિયા: 

જે પ્રક્રિયામાં એસિડ અને બેઇઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને છે તે પ્રક્રિયાને તટસ્થીકરણ પ્રક્રિયા કહે છે.

  1. NaOH+HCl→ NaCl + H2O
  2. 2KOH+H2SO4→K2SO4+2H2O

એસીડ + બેઇઝ→ક્ષાર+પાણી

ધાત્વિય ઓકસાઇડ ની એસિડ સાથેની પ્રક્રિયા:

  • એક બીકર માં થોડી માત્રામાં કોપર ઓક્સાઇડ  લો.
  • તેને હલાવવા નું ચાલુ રાખી તેમાં ધીરે ધીરે મંદ હાઈડ્રોક્લોરિક એસિડ ઉમેરો.
  • આમ કરતાં દ્રાવણ નો રંગ વાદળી લીલો થઇ જશે.
  • આમ થવાનું કારણ તેમાં ઉત્પન્ન થતો કોપર ક્લોરાઇડ છે.

સમીકરણ: CuO+2HCl→CuCl2+H2O

 યાદ રાખો: બેઈઝની એસિડ સાથેની પ્રક્રિયાની  માફક ધાત્વિય  એસિડ ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી આપે છે તેથી ધાત્વિય ઓક્સાઇડ ને બેઝિક ઓકસાઈડ કહે છે.

અધાત્વિય ઓક્સાઇડ ની બેઇઝ સાથે ની પ્રક્રિયા:

જે  ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી એસિડ બનાવતા હોય તેને એસિડિક ઓક્સાઇડ કહે છે.

આ રીતે ધાત્વિય ઓક્સાઇડ એસિડિક ઓક્સાઇડ છે કારણકે તેઓ પાણી સાથે પ્રક્રિયા કરી એસિડ બનાવે છે.

આ રીતે અધાત્વિય ઓક્સાઇડ સ્વભાવે એસિડિક હોય છે

  • ખાસ યાદ રાખો: દહીં તેમજ અન્ય ખાટા પદાર્થો જે એસિડ ધરાવતા હોય છે તે પિત્તળ અને તાંબાના વાસણો સાથે પ્રક્રિયા કરીને ઝેરી પદાર્થો બનાવે છે અને તે માનવ શરીર માટે હાનિકારક હોવાથી આવા પદાર્થોને પિત્તળ કે તાંબાના વાસણમાં રાખવા ન જોઇએ.
  • સામાન્ય રીતે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે આ વાયુની હાજરી ની કસોટી કરવા માટે ઝડપથી દીવાસળી કે મીણબત્તીને કસનળી ના મુખ પાસે રાખતા હાઈડ્રોજન વાયુ ધડાકા સાથે સળગે છે.
  • રાસાયણિક સમીકરણ: Zn+2HCl→ZnCl2+H2

એસિડ અને બેઇઝ માં સમાનતા:

  • ગ્લુકોઝ, સલ્ફ્યુરિક એસિડ, હાઇડ્રોક્લોરિક એસિડ, આલ્કોહોલ વગેરેના દ્રાવણ લો.
  • એક બૂચ ઉપર બે ખીલી લગાડો અને આ બૂચને  100 ml ના એક બીકર માં મુકો.
  • હવે ખીલીઓને બલ્બ અને સ્વીચ મારફતે છ વોલ્ટના વીજ કોષ ના બે છેડા સાથે જોડો.
  • હવે બિકરમાં થોડો મંદ હાઈડ્રોક્લોરિક એસિડ ઉમેરો અને વીજ પ્રવાહ પસાર કરો.
  • હવે મંદ સલ્ફ્યુરિક એસિડ વડે આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરો.

અવલોકન: અહીં ગ્લુકોઝ અને આલ્કોહોલના દ્રાવણો વિદ્યુતનું વહન કરતા નથી.. એટલે બલ્બ પ્રકાશિત થતો નથી.

જ્યારે એસિડ ના કિસ્સામાં વિદ્યુતનું વહન થાય છે…અને બલ્બ પ્રકાશિત થશે. આ કિસ્સામાં એસિડિક ગુણધર્મ માટે H+ અને બેઝિક ગુણધર્મ માટે OHઆયન જવાબદાર છે.

આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજનો હાઇડ્રોજન ધરાવે છે પરંતુ તેઓ એસિડની માફક વર્ગીકૃત થતા નથી તે સાબિત કરતી પ્રવૃત્તિ:

  • આકૃતિમાં દર્શાવ્યા મુજબ સાધનો ગોઠવો.
  • દ્રાવણ તરીકે આલ્કોહોલ ઉમેરો અને અવલોકન નોંધો ત્યારબાદ આલ્કોહોલને બદલે ગ્લુકોઝનું દ્રાવણ ઉમેરો અને તેનું અવલોકન નોંધો.
  • અવલોકન કરતાં જોવા મળશે કે બંને દ્રાવણો વખતે બલ્બ પ્રકાશિત થતો નથી જે સૂચવે છે કે બંને દ્રાવણો માંથી  વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી.
  • આના પરથી ખ્યાલ આવે છે કે ઇથેનોલ અને ગ્લુકોઝનું આયનીકરણ થતું નથી. પરિણામે તેમાં H+ આયનો મુક્ત થતા નથી.જ્યારે એસિડના દ્રાવણમાં H+  આયનો મુક્ત થતા હોવાથી તેના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે.
  • એટલે આલ્કોહોલ અને ગ્લુકોઝમાં હાઈડ્રોજન હોવા છતાં તેનું એસિડ શ્રેણીમાં વર્ગીકરણ થતું નથી.

નિસ્યંદિત પાણી વિદ્યુતનું વહન કરતું નથી જ્યારે વરસાદી પાણી વિદ્યુતનું વહન કરે છે.

  • નિસ્યંદિત પાણી શુદ્ધ હોવાથી આયનો ધરાવતું નથી.
  • વરસાદનું પાણી એસિડ જેવી અશુદ્ધિઓ ધરાવતું હોવાથી પાણીમાં તે આયનો મુક્ત કરે છે.
  • નિસ્યંદિત પાણી માં આયનો ન હોવાથી તેમાં વિદ્યુતનું વહન થતું નથી જ્યારે  વરસાદી પાણીમાં આયનો હોવાથી તેમાં વિદ્યુતનું વહન થાય છે.

એસિડ અને બેઇઝ નું પાણીના દ્રાવણમાં શું થાય છે?

  • શુદ્ધ અને શુષ્ક કસનળીમાં આશરે એક ગ્રામ સોડિયમ ક્લોરાઇડ લો.
  • કસનળીમાં થોડો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઉમેરો.
  • ઉદભવેલા વાયુની ક્રમશઃ સૂકા અને ભીના ભૂરા લિટમસ પેપર વડે પરખ કરો.
  • પાણીની ગેરહાજરીમાં હાઇડ્રોક્લોરિક એસિડ ના અણુમાંથી H+ આયન નું અલગીકરણ થશે નહીં.
  • હાઈડ્રોજન આયનો સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવતા નથી પરંતુ તે પાણી સાથે સંયોજન બાદ અસ્તિત્વ ધરાવે છે આમ હાઈડ્રોજન આયનો ને હંમેશા H+ અથવા હાઇડ્રોનિયમ આયન H3O+  સ્વરૂપે દર્શાવવા જોઈએ.
  • હાઇડ્રોજન આયનોને હમેશા H+ અથવા H3O+ વડે દર્શાવાય છે. જ્યારે બેઝિક  ગુણધર્મ દર્શાવવા માટે OH

 આયન જવાબદાર છે.

 આલ્કલી એવો બેઇઝ છે કે જે પાણીમાં ઓગળે છે.તે સ્પર્શ થી સાબુ જેવા ચીકણા, કડવા અને ખવાઇ જાય તેવા હોય છે.

પાણીમાં દ્રવ્ય બેઇઝ આલ્કલી ના નામથી ઓળખાય છે.દા.ત.NaOH,KOH

પાણીને એસિડ અથવા બેઇઝ સાથે મિશ્ર કરવું.

  • એક બીકરમાં 10 ml પાણી લો.
  • તેમાં થોડા મંદ સલ્ફ્યુરિક એસિડના ટીપા નાખો અને બી કરને ધીરે ધીરે ગોળ ગોળ ફેરવો.
  • બીકર ના તળીયા ને સ્પર્શ કરતા તળિયું થોડું ગરમ થશે.
  • આ પ્રવૃત્તિનો સલ્ફ્યુરિક એસિડ ને બદલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ ની નાની ગોળીઓ લઈ ફરીથી પુનરાવર્તન કરો.
  • એસિડ અને બેઇઝ ની પાણીમાં ઓગળવાની પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક હોય છે.
  • આ પ્રક્રિયાથી દ્રાવણ ની સાંદ્રતા માં ઘટાડો થાય છે.

ખાસ યાદ રાખો:એસિડ અને બેઇઝ અને પાણી સાથે મિશ્રણ કરતા એકમદીઠ આયનોની સાંદ્રતા માં  ઘટાડો થાય છે આ પ્રક્રિયાને મંદન કહે છે… અને આવા એસિડ અને બેઇઝ અને મંદ એસિડ અથવા મંદ બેઇઝ કહે છે.

સાંદ્ર નાઈટ્રિક એસિડ અથવા સલ્ફ્યુરિક એસિડ ને પાણી સાથે મિશ્ર કરતી વખતે ખૂબ જ સાવચેતી રાખવી જોઈએ.

એસિડને હંમેશા પાણીમાં ખૂબ જ ધીમે ધીમે સતત હલાવતાં જઈને ઉમેરવો જોઈએ જો સાંદ્ર એસિડમાં પાણી ઉમેરવામાં આવે તો ઉત્પન્ન થતી ઉષ્મા મિશ્રણને બહાર તરફ ઉછાળીશકે છે અને દાઝી જવાનો ભય રહે છે.

અતિશય સ્થાનિક ઉષ્માને કારણે કાચનું પાત્ર પણ તૂટી જઈ શકે છે.

આથી જ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડના પાત્ર અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ ની નાની ગોળીઓ ની શીશી પર ચેતવણીના સંકેતો આપેલા હોય છે.

  • ખાસ યાદ રાખો: HCl HNO3 વગેરે જલીય દ્રાવણ માં H+ આયન મુક્ત કરે છે તેથી તે એસિડિક લક્ષણ ધરાવે છે.

જ્યારે આલ્કોહોલ તેમજ glucose વગેરે જલીય દ્રાવણ માં H+ 

આયન મુક્ત કરતા નથી એટલે તે એસિડિક લક્ષણો ધરાવતા નથી

  • એસિડ જ્યારે પાણીમાં ઓગળે છે ત્યારે એસિડનું આયનીકરણ થાય છે પરિણામે ઉદભવતા આયનોની હાજરીને કારણે તેમાંથી વિદ્યુતનું વહન થાય છે.
  • શુષ્ક HCl વાયુ H+ આયન ઉત્પન કરી શકતો નથી આથી તે એસિડિક લક્ષણો ધરાવતો નથી એટલે લિટમસ પેપર નો રંગ બદલતો નથી.
  • સાંદ્ર એસિડ ને મંદ કરતી વખતે જો  એસિડ માં પાણી ઉમેરવામાં આવે તો ઉત્પન્ન થતી ઉષ્મા મિશ્રણને બહારની તરફ ઉછાળી શકે છે અને દાઝી શકાય છે.આથી એસિડ ને   મંદ   કરવા માટે એસિડ માં પાણી ઉમેરો અને બદલે એસિડને હંમેશા પાણીમાં ખૂબ જ ધીરે ધીરે સતત હલાવતા રહીને ઉમેરવો જોઈએ જેથી ઉત્પન્ન થતી ઉષ્મા સમગ્ર પાણીમાં પ્રસરી જાય.
  • જ્યારે એસિડના દ્રાવણને  મંદ કરવામાં આવે છે ત્યારે hydronium (H3O+)આયનોની  સાંદ્રતા માં ઘટાડો થાય છે.
  • જ્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડ ના દ્રાવણમાં વધુ પ્રમાણમાં બેઇઝ ઓગાળવામાં આવે ત્યારે એકમ કદ દીઠ hydroxide આયનો (OH) ની સાંદ્રતા માં વધારો થાય છે.

એસિડ અને બેઇઝ દ્રાવણ ની  પ્રબળતા: 

pH માપક્રમ

  • દ્રાવણમાં રહેલા હાઈડ્રોજન આયન ની સાંદ્રતા માપવા માટેના માપક્રમ ને pH  માપક્રમ કહે છે.
  • pH મા p જર્મન શબ્દ પોટેન્ઝ એટલે કે શક્તિ સૂચવે છે.
  • pH માપક્રમ દ્વારા આપણે  0 થી 14 pH સુધી નું માપન કરી શકીએ છીએ.
  • જેમકે pH માપક્રમ પર 7થી ઓછા મૂલ્યો એસિડિક દ્રાવણ નું સૂચન કરે છે જ્યારે 7થી વધુ મૂલ્ય બેઝિક દ્રાવણનું સૂચન કરે છે જ્યારે 7 મૂલ્ય એ તટસ્થ દ્રાવણ નું સૂચન કરે છે.
  • વધુમાં જેમ pH મૂલ્ય 7થી 14 સુધી વધે છે તેમ તે દ્રાવણમાં OH  આયનની સાંદ્રતા માં વધારો થાય છે અર્થાત આલ્કલી ની પ્રબળતા માં વધારો થાય છે આથી દ્રાવણ વધુ બેઝિક બને છે.
  • જેમ હાઈડ્રો નિયમ આયન (H+) ની સાંદ્રતા વધુ તેમ એસિડિકતા વધુ પણ pH નું મૂલ્ય ઓછું અને જેમ હાઈડ્રો નિયમની સાંદ્રતા ઓછી તેમ એસિડિકતા ઓછી પણ pH નું મૂલ્ય વધુ.

યાદ રાખો: સાર્વત્રિક સૂચક એ કેટલાક સૂચકો નું મિશ્રણ છે તેનો ઉપયોગ કરીને દ્રાવણ માં રહેલા હાઇડ્રોકસિલ કે hydroxide આયનની જથ્થાત્મક માત્રા જાણી શકાય છે.

એસિડ અને બેઇઝ ની પ્રબળતા નક્કી કરવી:

  • એસિડ અને બેઇઝ ની પ્રબળતા અનુક્રમે તેમાંથી ઉદ્ભવતા H+આયનો અને OH અાયનોની સંખ્યા પર આધાર રાખે છે.
  • જે એસિડ પાણીમાં વધુ માત્રામાં H+ આયનો આપે છે તેને પ્રબળ એસિડ કહે છે
  • જે એસીડ પાણીમાં ઓછી માત્રામાં H+ આયનો આપે છે તેને નિર્બળ એસિડ કહે છે.
  • જે બેઇઝ પાણીમાં વધુ માત્રામાં OH  આયનો આપે છે તેને પ્રબળ બેઇઝ કહે છે.
  • જે બેઇઝ પાણી માં ઓછી માત્રામાં  OH આયનો આપે છે તેને નિર્બળ બેઇઝ કહે છે.

ખાસ યાદ રાખો:

પાંચ દ્રાવણ A,B,C,D,E ને સાર્વત્રિક સૂચક દ્વારા તપાસતા:

A- pH 4-નિર્બળ એસિડિક

B-pH 1- પ્રબળ એસિડિક

C-pH 11-પ્રબળ બેઝિક

D-pH 7- તટસ્થ

E-pH 9- નિર્બળ બેઝિક

  • એક દ્રાવણ લાલ લિટમસને ભૂરું બનાવે છે તો તેની pH લગભગ 10 હશે.
  • એક દ્રાવણ ઇંડાના પીસેલા કવચ સાથે પ્રક્રિયા કરી વાયુ ઉત્પન્ન કરે છે જે ચૂનાના પાણીને દૂધિયું બનાવે છે તો તે દ્રાવણ HCl  ધરાવે છે.
  • પાણીની ગેરહાજરીમાં એસિડ H+ આયનો મુક્ત કરી શકતા નથી. એસિડિક વર્તણૂક માટે H+આયનો જવાબદાર છે આમ, પાણીની ગેરહાજરીમાં એસિડ H+ આયનો મુક્ત કરી શકતા ના હોવાથી તે એસિડિક વર્તણૂક દર્શાવતા નથી.
  • કસનળી A અને B માં સમાન લંબાઈની મેગ્નેશિયમની પટ્ટીઓ લીધેલી છે કસનળી A માં હાઇડ્રોક્લોરિક એસિડ (HCl)ઉમેરવામાં આવે છે અને કસનળી B માં એસિટીક એસિડ (CH3COOH) ઉમેરવામાં આવે છે.અહી HCl એ એસિટીક એસિડ કરતા વધુ પ્રબળ એસિડ હોવાથી તેનું પ્રક્રિયા દરમિયાન H+ અને Cl આયનો માં સંપૂર્ણ આયનીકરણ થતા વધુ H+ આયનો ઉત્પન્ન થાય છે આથી કસનળી Aમાં અતિતીવ્ર H2 હાઈડ્રોજન વાયુના ઉભરા મળશે.
  • તાજા દૂધની pH 6 છે જો તેનું દહીં માં રૂપાંતર થાય તો લેક્ટિક એસિડ બને છે તેને લીધે તેનું pH મૂલ્ય ઘટે છે અને દહીં સ્વાદે ખાટું લાગે છે.
  • દૂધવાળો તાજા દૂધમાં ખૂબ જ અલ્પમાત્રામાં બેકિંગ સોડા(ખાવાનો સોડા) ઉમેરે છે કેમકે જો તાજા દૂધમાં બેકિંગ સોડા ઉમેરવામાં આવે તો દૂધનું pH મૂલ્ય 6 થી વધે છે કારણ કે બેકિંગ સોડા બેઝિક ગુણ ધરાવે છે.
  • આમ કરવાથી દૂધમાં રહેલ લેક્ટિક એસિડનું તટસ્થીકરણ થાય છે અને તેથી દૂધ દહીં માં રૂપાંતરિત થવા માટે વધુ સમય લે છે.

દૈનિક જીવનમાં pH નું મહત્વ:

  1. સજીવના અસ્તિત્વમાં: માનવ શરીર 7 થી 7.8  pH ની મર્યાદામાં કાર્ય કરે છે સજીવો માત્ર pH ના મર્યાદિત ફેરફારમાં ટકી શકે છે.

જ્યારે વરસાદી પાણીની પીએચ 5.6 કરતા ઓછી હોય ત્યારે તેને એસિડવર્ષા કહે છે જ્યારે નદીમાં વહે છે ત્યારે તે નદીના પાણીની pH ઘટાડે છે આવી નદીઓમાં જળચર જીવોનું અસ્તિત્વ મુશ્કેલ બને છે.

     (2) જમીનમાં pH નું મહત્વ: 

જે જમીનની pH 6.5 થી 7.3 ની વચ્ચે હોય તેવી જમીનમાં છોડની વૃદ્ધિ અને વિકાસ ખુબ જ સારો થાય છે.

એટલે ખેડૂત એસિડિક જમીનને તટસ્થ કરવા જમીનમાં લાઈમ ઉમેરે છે અને બેઝિક જમીનને તટસ્થ કરવા જમીનમાં જિપ્સમ ઉમેરે છે.

   (3) પાચનતંત્ર માં pH નું મહત્વ:

ખોરાકના પાચનમાં જઠર અગત્યનો ભાગ ભજવે છે. જઠર હાઈડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન કરે છે.કે જઠરને નુકસાન પહોંચાડ્યા વગર ખોરાકનું પાચન કરવામાં મદદ કરે છે. અપચા દરમિયાન ખૂબ વધુ માત્રામાં એસિડ ઉત્પન્ન કરે છે જે દર્દ અને બળતરા નુ કારણ બને છે.

આ પ્રકારના દર્દથી છુટકારો મેળવવા લોકો બેઇઝ નો ઉપયોગ કરે છે જેને એન્ટાસિડ કહે છે.આ એન્ટાસિડ નું કાર્ય વધારા ના 

એસીડ ને  તટસ્થ કરવાનું છે.આ ઉપરાંત મેગ્નેશિયમ હાઈડ્રોકસાઇડ (મિલ્ક ઓફ મેગ્નેશિયા) કે જે મંદ બેઇઝ છે તે પણ આ હેતુ માટે અવારનવાર ઉપયોગમાં લેવામાં આવે છે.

 (4) દાંતનું ક્ષયન રોકવામાં pH નું મહત્વ: 

જ્યારે મોઢાની pH 5.5 કરતાં ઘટી જાય ત્યારે દાંતનો સડો શરૂ થાય છે.

દાંતનુ ઉપરનું આવરણ કે જે કેલ્શિયમ ફોસ્ફેટ નું બનેલું છે તે શરીરનો  સૌથી સખત પદાર્થ છે.

તે પાણીમાં દ્રાવ્ય થતો નથી પરંતુ મોઢાની અંદરની પીએચ 5.5 કરતા ઘટી જાય ત્યારે તેનું ક્ષયન થાય છે.

મોઢામાં હાજર બેક્ટેરિયા જમ્યા પછી મોઢા માં બાકી રહી ગયેલા ખોરાકના કણો અને શર્કરાના વિઘટન દ્વારા એસિડ ઉત્પન્ન કરે છે.

ખોરાક ખાધા પછી દાંત સાફ કરવા તેને અટકાવવાનો ઉત્તમ માર્ગ છે.દાંત ચોખ્ખા કરવા માટે વપરાતી ટુથપેસ્ટ કે જે સામાન્ય રીતે બેઝિક હોય છે તે વધારાના એસિડને તટસ્થ  કરે છે અને દાંતનો સડો અટકાવે છે.

પ્રાણીઓ અને વનસ્પતિઓ દ્વારા થતાં રાસાયણિક હુમલાથી સ્વરક્ષણ:

મધમાખી જ્યારે ડંખ મારે છે ત્યારે તેનો ડંખ એસિડ મુક્ત કરે છે જેને લીધે દર્દ અને બળતરા થાય છે. ડંખ મારેલા ભાગમાં હળવા બેઇઝ નો ઉપયોગ જેમકે બેકિંગ સોડાનો ઉપયોગ રાહત પૂરી પાડે છે.

કૌવચ વનસ્પતિ ના પાંદડા ના ડંખ મારતા રોમ મિથેનોઇક એસિડ મુક્ત કરે છે આથી તેના સ્પર્શથી દાહક દર્દ અનુભવાય છે.

ખાસ યાદ રાખો: જે માટી માટે pH નું મૂલ્ય 5.6 થી ઓછું હશે તે માટી એસિડિક ગુણ ધરાવશે.

એસિડિક જમીનને તટસ્થ કરવા લાઇમ જેવો બેઇઝ ઉમેરાય અને બેઝિક જમીનને તટસ્થ કરવા જિપ્સમ જેવો એસિડ ઉમેરાય.

જમીનમાં છોડની વૃદ્ધિ અને વિકાસ સારો થાય તે માટે જમીન ની pH 6.5 થી  7.3 ની વચ્ચે હોવી જોઈએ.

In-text  પ્રશ્નો:

  • દ્રાવણ A ની pH 6 અને દ્રાવણ B ની pH 8 છે. આ સંજોગોમાં દ્રાવણ A એસિડીક છે તેમાં હાઈડ્રોજન આયન ની સાંદ્રતા વધુ હશે તેમજ દ્રાવણ B બેઝિક છે તેમાં હાઈડ્રોજન આયન ની સાંદ્રતા ઓછી હશે.
  • જે દ્રાવણમાં H+ આયનની સાંદ્રતા વધુ હશે તે દ્રાવણ એસિડિક સ્વભાવ ધરાવશે અને  જે દ્રાવણમાં H+ આયન ની સાંદ્રતા ઓછી હશે તે દ્રાવણ બેઝિક સ્વભાવ ધરાવશે.
  • ઘણીવાર બેઝીક દ્રાવણ પણ H+ આયનો ધરાવતા હોય છે પરંતુ બેઝિક દ્રાવણ માં વધુ  પ્રમાણમાં OH આયનો હોવાથી તેઓ સ્વભાવે બેઝિક હોય છે.
  • ખેતર ની માટી ની pH જ્યારે 6.5 થી ઓછી હોય ત્યારે તે એસિડિક  ગુણ ધરાવે છે આ એસિડિક માટીને તટસ્થ કરવા માટે ખેડૂત તેમાં બેઝિક આ પદાર્થો જેવા કે ક્વિક લાઇમ, ફોડેલો ચૂનો કે ચાક ઉમેરે છે.

ક્ષાર પરિવાર: એક સમાન ધન અથવા ઋણ આયન (મૂલકો) ધરાવતા ક્ષારોને ક્ષાર પરિવાર કહે છે.

સોડિયમ ક્ષાર પરિવાર ના ઉદાહરણ:NaCl, Na2SO4

ક્લોરાઇડ ક્ષાર પરિવારના ઉદાહરણ:NaCl,KCl

પ્રબળ એસિડ અને પ્રબળ બેઇઝ માંથી બનતા તટસ્થ ક્ષારની pH 7 હોય છે.

બીજી  તરફ પ્રબળ એસિડ અને નિર્બળ બેઇઝ ના ક્ષાર pH નું 7થી ઓછુ મુલ્ય ધરાવતા એસિડિક ક્ષાર હોય છે.

જ્યારે પ્રબળ બેઇઝ તેમજ નિર્બળ એસિડ ના ક્ષાર pHના 7 થી વધુ મૂલ્ય ધરાવતા સ્વભાવે બેઝિક હોય છે.

સામાન્ય ક્ષાર માંથી મળતા રસાયણ:

હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ ના દ્રાવણના સંયોગીકરણ થી ઉદભવતા ક્ષારને સોડિયમ ક્લોરાઇડ કહે છે.

આ સોડિયમ ક્લોરાઇડ મહાત્માગાંધીની દાંડીકૂચમાં અગત્યનું પ્રતીક હતું!!!

ખનીજ ક્ષાર (રૉક સોલ્ટ): વિશ્વના અનેક ભાગોમાં ઘન ક્ષારનું નિક્ષેપન થયેલું જોવા મળે છે આ મોટા સ્ફટિકો અશુદ્ધિઓને કારણે ઘણીવાર કથ્થાઈ રંગના હોય છે તેને ખનીજ ક્ષાર કહે છે.ભૂતકાળમાં જ્યારે દરિયાનું પાણી સુકાઈ ગયું ત્યારે ખનીજ ક્ષારની ચાદર ઉદ્દભવી.

સોડિયમ હાઇડ્રોક્સાઇડ: જ્યારે સોડિયમ ક્લોરાઇડ ના જલીય દ્રાવણ માંથી વિદ્યુત પસાર કરવામાં આવે ત્યારે તે વિઘટિત થઈ સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે. આ પદ્ધતિને કલોર- આલ્કલી ક્રિયા કહે છે.કારણકે તેમાં ઉત્પન્ન થતી નીપજો કલોર એટલે ક્લોરિન અને આલ્કલી એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે.

સમીકરણ: 2NaCl + 2H2O→2NaOH+Cl2+H2

અેનોડ પર કલોરીન વાયુ મુક્ત થાય છે અને કેથોડ પર હાઈડ્રોજન વાયુ મુક્ત થાય છે કેથોડ પાસે સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ બને છે. (આકૃતિ પાઠ્યપુસ્તક page:30)

વિરંજન પાવડર: (બ્લીચિંગ પાઉડર-CaOCl2)

બનાવટ: ક્લોરીનની શુષ્ક ફોડેલા ચૂના સાથે ની પ્રક્રિયા દ્વારા વિરંજન પાઉડર બને છે.

સમીકરણ: Cl2+Ca(OH)2→CaOCl2+H2O

વિરંજન પાઉડર ના ઉપયોગો:

  • ટેક્ષટાઈલ ઉદ્યોગમાં સુતરાઉ તેમજ લીનન ના વિરંજન માટે.
  • કાગળ ઉદ્યોગ માં લાકડાના માવાના વિરંજન માટે.
  • લોન્ડ્રીમાં ધોયેલા કપડાં ના વિરંજન માટે.
  • રાસાયણિક ઉદ્યોગોમાં ઓક્સિડેશન કર્તા તરીકે.
  • પીવા ના પાણી ને જંતુ મુક્ત કરવા જંતુનાશક તરીકે.

બેકિંગ સોડા: રસોઈઘરમાં સામાન્ય રીતે સ્વાદિષ્ટ કરકરા પકોડા બનાવવા માટે ઉપયોગી ખાવાનો સોડા એટલે બેકિંગ સોડા.

ઘણીવાર ખોરાક ઝડપથી રાંધવા માટે બેકિંગ સોડા ઉમેરવામાં આવે છે. આ સંયોજન નું રાસાયણિક નામ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ (NaHCO3) છે.

સોડિયમ ક્લોરાઇડ ના જલીય દ્રાવણ માં CO2 અને NH3 પસાર કરતાં બેકિંગ સોડા બને છે.

સમીકરણ: NaCl+H2O+CO2+NH3→NH4Cl+ NaHCO3

 બેકિંગ સોડા મંદ બિન ક્ષારીય બેઈઝ છે.

ખોરાક રાંધતી વખતે તેને જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે નીચેની પ્રક્રિયા થાય છે.

સમીકરણ: 2NaHCO3→Na2CO3+H2O+CO2

બેકિંગ સોડા ના ઉપયોગો:

  • બેકિંગ સોડા અને ટાટૅરિક એસિડ જેવા મંદ ખાદ્ય એસિડનું મિશ્રણ બેકિંગ પાવડર ની બનાવટ માં વપરાય છે.
  • બેકિંગ પાઉડર ને ગરમ કરવામાં આવે અથવા પાણી સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે ઉત્પન્ન થતા કાર્બન ડાયોક્સાઈડના કારણે પાઉ અથવા કેક  ફૂલે છે અને નરમ તેમજ પોચી બને છે.
  • બેકિંગ સોડા એન્ટાસિડ નો પણ એક ઘટક છે આલ્કલાઈન હોવાના કારણે તે પેટમાં રહેલા વધારા ના એસીડ ને તટસ્થ કરી રાહત આપે છે.
  • બેકિંગ સોડાનો ઉપયોગ સોડા- એસિડ અગ્નિશામક માં પણ કરવામાં આવે છે.

ધોવાનો સોડા: (Na2CO3.10H2O)

  • બેકિંગ સોડા ને ગરમ કરવાથી સોડિયમ કાર્બોનેટ પ્રાપ્ત થઇ શકે છે.
  • સોડિયમ કાર્બોનેટ નું પુનઃ સ્ફટિકીકરણ કરવાથી ધોવાનો સોડા મળે છે તે પણ બેઝિક ક્ષાર જ છે.

સમીકરણ: Na2CO3+10H2O→Na2Co3.10H2O

ધોવાના સોડા ના ઉપયોગો:

  • ધોવાના સોડા નો ઉપયોગ કાચ, સાબુ અને કાગળ ઉદ્યોગમાં થાય છે.
  • તેનો ઉપયોગ બોરેક્ષ જેવા સોડિયમ સંયોજનની બનાવટમાં થાય છે.
  • ધોવાના સોડાનો ઉપયોગ ઘરોમાં સફાઇના હેતુ માટે થાય છે .
  • તેનો ઉપયોગ પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવા માટે થાય છે.

સ્ફટિક જળ: સ્ફટિક જળ એ ક્ષાર ના સ્ફટિકમય સ્વરૂપમાં પ્રત્યેક એકમ સૂત્ર દીઠ રાસાયણિક રીતે જોડાયેલા પાણીના અણુઓ ની નિશ્ચિત સંખ્યા છે.

દા.ત. કોપર સલ્ફેટ CuSO4.5H2O આ સૂત્રમાં પાણીના પાંચ અણુઓ હાજર છે. તેમજ જિપ્સમ CaSO4.2H2O  પાણીના બે અણુઓ ધરાવે છે.

પ્લાસ્ટર ઓફ પેરિસ: 

બનાવટ: જ્યારે જિપ્સમ ને 373K તાપમાને ગરમ કરતા તે પાણીના અણુઓ ગુમાવે છે અને કેલ્શિયમ સલ્ફેટ હેમી હાઈડ્રેટ (CaSO4.½ H2O) બને છે તેને પ્લાસ્ટર ઓફ પેરિસ કહે છે.

પ્લાસ્ટર ઓફ પેરિસ સફેદ પાવડર છે અને પાણી સાથે મિશ્ર કરતા તે ફરી એકવાર સખત ઘન પદાર્થ  જિપ્સમ માં ફેરવાય છે.

પ્લાસ્ટર ઓફ પેરિસ અને પાણી વચ્ચે થતી પ્રક્રિયા દર્શાવતું સમીકરણ: CaSO4.½ H2O+1½ H2O→CaSO4.2H2O

ઉપયોગો:

  • પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ દાક્તરો ભાંગી ગયેલા હાડકાને યોગ્ય સ્થિતિમાં ગોઠવવા માટે પ્લાસ્ટર તરીકે કરે છે.
  • પ્લાસ્ટર ઓફ પેરિસ રમકડાં ,સજાવટની સામગ્રી અને સપાટીને લીસી બનાવવા માટે ઉપયોગી છે.
  • પ્લાસ્ટર ઓફ પેરિસ(POP) બાંધકામ ઉદ્યોગમાં તથા પ્લાસ્ટર માં ઉપયોગી છે.
  • દાંત ના ચોકઠા માટેના બીબા બનાવવા માટે ઉપયોગી છે.

ખાસ યાદ રાખો: 

  • CaOCl2 સંયોજન નું સામાન્ય નામ બ્લીચિંગ પાઉડર છે.
  • સખત પાણી ને નરમ બનાવવા માટે સોડિયમ કાર્બોનેટ Na2CO3 ઉપયોગી છે.
  • સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટના દ્રાવણને ગરમ કરતાં સોડિયમ કાર્બોનેટ, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ પ્રાપ્ત થાય છે.સમીકરણ:
  • 2NaHCO3→ Na2CO3+H2O+CO2

સ્વાધ્યાય ના પ્રશ્ન 5 સમીકરણ સમતુલિત કરો નો અલગથી વિડિયો બનાવેલો છે.

આ પાઠમાંથી આ મુદ્દાઓ ખાસ યાદ રાખો:

  • આપેલ pH પરથી કયુ દ્રાવણ વધુ એસિડિક છે અને કયુ દ્રાવણ વધુ બેઝિક છે. કયુ દ્રાવણ તટસ્થ છે.
  • એસિડ બેઇઝ ની લિટમસ પેપર પર અસર.
  • રોજિંદા જીવનમાં pH નું મહત્વ.
  • એસિડ અને બેઇઝ ની પ્રક્રિયાઓ.
  • બ્લીચીંગ પાઉડર, બેકિંગ સોડા, ધોવાનો સોડા તેમજ પ્લાસ્ટર ઓફ પેરિસ ની બનાવટ તેમજ તેમના ઉપયોગો
  • pH માપક્રમ.

ખાસ યાદ રાખો

  • દૂધમાંથી દહીં બને ત્યારે લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે.
  • ખાટા ફળોમાં સાઈટ્રિક એસિડ હોય છે. કીડી ના ડંખ માં મીથેનોઇક એસિડ હોય છે.
  • મેલી ટીન 26  એમિનો એસિડ ધરાવતો પોલીપેપટાઈડ છે.
  • ખાવાનો સોડા પ્રતિ એસિડ પદાર્થ છે.
  • H2O ઊભય ધર્મી ગુણધર્મ ધરાવે છે.
  • મીઠા નું જલીય દ્રાવણ તટસ્થ સ્વભાવ ધરાવે છે.
  • સામાન્ય રીતે pH માપવા માટે સાર્વત્રિક સૂચક સાથે અંતભારિત કાગળનો ઉપયોગ થાય છે.
  • શુક્ર ગ્રહનું વાતાવરણ સલ્ફ્યુરિક એસિડના સફેદ અને પીળાશ પડતા જાડા વાદળોનું બનેલું છે.

                                 

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here