પાઠ-2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો

0
1061
CLASS 12 ECONOMICS

પ્રસ્તાવના

આર્થિક વિકાસ સાધવો એ વિશ્વના દેશોનું આજે એક સૌથી મહત્ત્વપૂર્ણ ધ્યેય છે અને તેમાં પણ બીજા વિશ્વયુદ્ધ પછી તો આર્થિક ચિંતનના કેન્દ્ર બિંદુ તરીકે તેને ગણવામાં આવે છે. 1939 થી 1944 ના બીજા વિશ્વયુદ્ધ પછી દુનિયાના વિકાસમાન દેશો એ તેમની બેકારી, ગરીબી, અસમાનતા, ભૂખમરા ની સમસ્યાને ઉકેલવા માટે ઝડપી આર્થિક વિકાસ પર ભાર મુક્યો ત્યારથી આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ શબ્દ પ્રચલિત બન્યા છે.

વિકાસમાન રાષ્ટ્રો આર્થિક વિકાસ દ્વારા ગરીબી, બેકારી ઘટાડીને પ્રજા નું જીવનધોરણ સુધારવાનો ઉદેશ્ય ધરાવે છે, તો વિકસિત રાષ્ટ્રોમાં આર્થિક વિકાસ નો હેતુ જીવનધોરણ ને જાળવી રાખવાનો છે.

જેથી તેનું ઊંચું જીવનધોરણ એકધારું જળવાઈ રહે. આ રીતે જોતાં આર્થિક વૃદ્ધિ નો દર ની જાળવણી એ વિકસિત દેશોનો પ્રશ્ન છે. જ્યારે ઝડપી આર્થિક વિકાસ એ વિકાસમાન દેશની પ્રથમ આવશ્યક જરૂરિયાત છે.           

શ્રીમતી ઉર્સુલા હિક્સ ના મતે વિકાસમાન દેશોનો આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એ આર્થિક વિકાસ છે જ્યારે વિકસિત દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ આર્થિક વૃદ્ધિ છે. 

આર્થિક વૃદ્ધિ નો અર્થ (Meaning of Economic Growth)

વૃદ્ધિ એટલે આર્થિક વૃદ્ધિ. આર્થિક વૃદ્ધિને સમયના લાંબા ગાળા દરમિયાન અર્થતંત્રમાં ચીજવસ્તુઓના કુલ
ઉત્પાદન માં થતા વધારા સાથે સંબંધ છે.

 દેશના ઉત્પાદનનાં સાધનોના પુરવઠામાં, તેની પ્રાપ્તિ માં વધારો થતો હોય, સાધનો ની ઉત્પાદકતા-કાર્યક્ષમતા વધતી હોય અને તેનાથી વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક સતત વધતી હોય તો આર્થિક વૃદ્ધિ છે તેમ કહેવાય. આમ, આર્થિક વૃદ્ધિ પરિમાણાત્મક પરિવર્તન છે.

પ્રજાને વધુ અને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજવસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં લાંબા ગાળા માટે થતો વધારો આર્થિક વૃદ્ધિ છે.
                                                                                      – સાયમન કુઝનેટ્સ 

આર્થિક વૃદ્ધિ ના ખ્યાલ ની મર્યાદાઓ :


(1) આર્થિક વૃદ્ધિ માં માત્ર પરિમાણાત્મક પરિવર્તનો જ ધ્યાનમાં લેવાય છે.
(2)આર્થિક વૃદ્ધિ માં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે પણ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો યથાવત રહે છે.
(3) આર્થિક વૃદ્ધિ નો ખ્યાલ મર્યાદિત છે તે માત્ર ઉત્પાદન માં થતો વધારો અને વધારાનું પ્રમાણ દર્શાવે છે.
(4) લોકોનું કલ્યાણ તેમજ તે માં થતા ફેરફારો જાણવા માટે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ બહુ ઉપયોગી બનતો નથી.

આર્થિક વિકાસમાં આર્થિક વૃદ્ધિ, આર્થિક સુખાકારી, આર્થિક પ્રગતિ પણ સમાય જાય છે.

આર્થિક વિકાસ એ માત્ર પરિમાણાત્મક ફેરફારો નથી. તેમાં આવકના વધારાની સાથે કેટલાક ગુણાત્મક ફેરફારો
પણ થાય છે.

વિકાસ એ વૃદ્ધિ કરતા વિશેષ છે. બહુમુખી પ્રક્રિયા છે. વિકાસની પ્રક્રિયા દરમિયાન દેશનુ સામાજિક માળખું બદલાય છે. આર્થિક પ્રગતિ સાથે સામાજિક ક્ષેત્રમાં પણ પ્રગતિ થાય છે.

 સામાન્ય રીતે રાષ્ટ્રીય આવક નું માળખું બદલાય છે. રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ટકાવારી ફાળો ઘટે છે.

“આર્થિક વિકાસ એ બહુપરિમાણિય પ્રક્રિયા છે.” આર્થિક વિકાસ એટલે સમયના લાંબા ગાળામાં આવકના વધારાની સાથે અર્થતંત્રની સુખાકારીમાં થતો વધારો.- માઈકલ ટોડેરો

આર્થિક વિકાસના લક્ષણો :

(1) આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે.

(2) પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન થાય છે.

(૩) માંગમાં પરિવર્તન આવે છે.

(4) શ્રમ ની ગતિશીલતા વધે છે.

(5) મૂડી સર્જનમાં વધારો થાય છે.

(6) ટેકનોલોજીમાં ફેરફાર થાય છે.

(7) અમુક તબક્કા બાદ વિકાસની પ્રક્રિયા સ્વયંભૂ હોય છે. 

આર્થિક વિકાસનો ખ્યાલ ની મર્યાદાઓ :
(1) આર્થિક વિકાસ દેશની પ્રગતિને દર્શાવી શકે છે. આર્થિક બાબતોની સ્થિતિ દર્શાવી શકે છે પરંતુ તે
સાચા અર્થમાં માનવ  વિકાસ ની ચર્ચા કરી શકતું નથી.માનવ પ્રગતિનું માપદંડ બની શકતું નથી.


(2) આર્થિક વિકાસને આર્થિક વૃદ્ધિ ની જેમ માપી શકાતું નથી.આર્થિક વિકાસને માપવાનું કાર્ય ખૂબ મુશ્કેલ છે કારણ કે આર્થિક વિકાસમાં સમાજમાં આવેલા પરિવર્તનનો પણ સમાવેશ થાય છે. તેનું માપ કાઢવાનું કાર્ય ખૂબ મુશ્કેલ છે.


(3) આર્થિક વિકાસ થાય તો પ્રજાનું જીવનધોરણ ઊંચું આવે ? આજે ભારતમાં આર્થિક વિકાસ થાય છે. છતાં પ્રજાનાં જીવન ધોરણમા ખૂબ સુધારો થયો નથી એટલે વિકાસ એટલે જીવનધોરણમાં સુધારો એવું કહી શકાય નહિ.

વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત (Difference between Growth and Development)
આર્થિક વૃદ્ધિ એ એવી પ્રક્રિયા છે જેમાં અર્થતંત્ર ની આવક વધે છે પરંતુ અર્થતંત્ર સંસ્થામાં પરિવર્તન આવતા નથી. લોકોના મનોવલણ બદલાતા નથી. જિરાલ્ડ મેયરે જણાવ્યું છે કે, ‘વિકાસ એટલે વૃદ્ધિ વત્તા પરિવર્તન.

આર્થિક વિકાસ આર્થિક વૃદ્ધિ
(1) આર્થિક વિકાસ પ્રક્રિયા છે. (1) આર્થિક વૃદ્ધિ એ ઘટના છે.
(2) આર્થિક વિકાસમાં પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન થાય છે. (2) આર્થિક વૃદ્ધિ માં પરિમાણાત્મક પરિવર્તનો
થાય છે.
(3) આર્થિક વિકાસમાં અર્થતંત્રમાં વણવપરાયેલ
સાધનો અને વપરાશમાં લેવાનો પ્રશ્ન ઊભો થાય છે.
(3) આર્થિક વૃદ્ધિ માં અર્થતંત્રમાં ઉપલબ્ધ સાધનોની
પુનઃફાળવણી પર ભાર મૂકવામાં આવે છે.
(4) આર્થિક વિકાસ વિકાસશીલ દેશો સાથે
સંકળાયેલ ખ્યાલ છે.
(4) આર્થિક વૃદ્ધિ વિકસિત દેશો સાથે સંકળાયેલ
ખ્યાલ છે.
(5) આર્થિક વિકાસને ચોક્કસ રીતે માપવાનુ કાર્ય
અતિ મુશ્કેલ છે.
(5) આર્થિક વૃદ્ધિને માપવાનું કાર્ય સરળ છે.
(6) વિકાસનો ખ્યાલ વિસ્તૃત છે. (6) વૃદ્ધિ નો ખ્યાલ સીમિત છે.
(7) આર્થિક વિકાસને માથાદીઠ આવક ઉપરાંત વહેંચણી સાથે સંબંધ છે. (7) આર્થિક વૃદ્ધિને માથાદીઠ આવક ના વધારા સાથે
સંબંધ છે.
(8) આર્થિક વિકાસની પ્રક્રિયા ધીમી હોય છે. (8) આર્થિક વૃદ્ધિ ઝડપી હોય છે.
(9) આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી. (9) આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ શક્ય છે.
(10) આર્થિક વૃદ્ધિ એ પરિણામ છે. (10) આર્થિક વિકાસ એ કારણ છે.

આર્થિક વિકાસના નિર્દેશકો દ્વારા બે સમયગાળા વચ્ચેના, બે દેશો કે રાજ્યો ના આર્થિક વિકાસ તુલના થઈ શકે છે. જેમ થરમૉમિટર શરીરના તાપમાનમાં થયેલા ફેરફારને માપે છે, નોંધે છે તેમ આ પરિબળો દેશના વિકાસ ને માપે છે. આર્થિક વિકાસના કેટલાક નિર્દેશકો નીચે મુજબના છે :
(1) રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર (2) માથાદીઠ આવક નો વૃદ્ધિ-દર (3) જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક (PQLI) (4) માનવવિકાસનો આંક (HDI)


રાષ્ટ્રીય આવક નો વૃદ્ધિ-દર (Growth Rate of National Income) :

  • આ નિર્દેશક મુજબ જો દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થઈ રહ્યો હોય, તો આર્થિક વિકાસ થયો છે તેમ ગણાય.

 

  • જો રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધી હોય તો વિકાસનો દર ઊંચો ગણાય અને જો રાષ્ટ્રીય આવક નીચા દરે વધી હોય તો આર્થિક વિકાસનો દર મંદ ગણાય છે, અને જો રાષ્ટ્રીય આવકમાં વધારો ન થતો હોય તો તે સ્થગિતતાની  અવસ્થા દર્શાવે છે.

 

 

  • જો રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થતો હોય તો તે આર્થિક વિકાસની પીછેહઠ ની સ્થિતિ ગણાશે. આ માપદંડ પ્રમાણે નાણાકીય આવક નહિ પણ વાસ્તવિક આવક ધ્યાનમાં લેવાની હોવા થી રાષ્ટ્રીય આવકની બજાર ભાવે નહિ પરંતુ સ્થિર ભાવે ગણતરી કરવામાં આવે છે.
  • નોર્વે, અમેરિકા, શ્રીલંકા, પાકિસ્તાન કરતાં વૃદ્ધિ-દર (2014) ભારતનો રાષ્ટ્રીય આવકનો વાર્ષિક વૃદ્ધિ દર ઊંચો છે. તેથી એમ કહી શકાય કે ભારતનો આર્થિક વૃદ્ધિ-દર પણ આ દેશો કરતાં ઊંચો છે. આજે ભારત વિશ્વમાં ઝડપથી વિકાસ પામતા અર્થતંત્રમાં ગણાય છે. આપણે એ યાદ રાખવું જોઈએ કે, નોર્વે અને અમેરિકાનો અગાઉ ખૂબ વિકાસ થઈ ચૂક્યો છે. હવે તેઓ 2 થી 3 ટકાના દરે વિકાસ કરી રહ્યા છે.

રાષ્ટ્રીય આવકની  મર્યાદાઓ : આમ છતાં રાષ્ટ્રીય આવકના વિકાસના એક નિર્દેશક તરીકે સ્વીકારવામાં કેટલીક મર્યાદાઓ છે જે નીચે મુજબની છે :

(૧) રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલી : બેવડી ગણતરી, સ્વ-વપરાશની વસ્તુઓ, ઘસારો જાણવાની મુશ્કેલી, ગેરકાયદેસર આવક, કર ટાળો, કર ચોરી જેવી પ્રવૃત્તિ, સાટા પદ્ધતિ, નિરક્ષરતા, એક કરતા વધારે વ્યવસાયમાં રોકાયેલા લોકો જેવા કારણોસર દેશની રાષ્ટ્રીય આવક અને તેનો સાચો વૃદ્ધિ દર જાણી શકાતો નથી તેથી રાષ્ટ્રીય આવક સાચો માપદંડ ગણાય નહિ.

(2) વસ્તી : એક માત્ર રાષ્ટ્રીય આવક જાણવાથી વિકાસનો સાચો ખ્યાલ આવી શકતો નથી જે-તે દેશની
વસ્તીને પણ ધ્યાનમાં લેવી જોઈએ. 

(3) રાષ્ટ્રીય આવક ગણવાની જુદી-જુદી પદ્ધતિઓ : રાષ્ટ્રીય આવક ગણવાની જુદી-જુદી પદ્ધતિઓનો વિશ્વમાં ઉપયોગ થાય છે. જેમાં ઉત્પાદન આવક અને ખર્ચ ની પદ્ધતિ મુખ્ય છે. કોઈ એક પદ્ધતિ કરતાં બીજી પદ્ધતિથી. રાષ્ટ્રીય આવકની ગણતરી કરતા. રાષ્ટ્રીય આવકમાં ફેર પડે છે. બધા દેશો જુદી-જુદી પદ્ધતિથી રાષ્ટ્રીય આવક ગણતા હોવાથી રાષ્ટ્રીય આવકની આંતરરાષ્ટ્રીય તુલના નું કાર્ય મુશ્કેલ બને છે.

માથાદીઠ આવક નો વૃદ્ધિ દર                                                                                                    આ નિર્દેશક મુજબ જો દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા ગાળા સુધી સારો વધારો થતો રહે તો આર્થિક વિકાસ થયો છે તેમ કહેવાય.

અહીં માથાદીઠ આવક એટલે સરેરાશ માથાદીઠ આવક.

દેશની કુલ રાષ્ટ્રીય આવક ની વસ્તી ના કુલ પ્રમાણ વડે ભાગતા જે સરેરાશ આવક આવે તે માથાદીઠ આવક છે.

આમ, આ નિર્દેશક દેશની વસ્તીને પણ ધ્યાનમાં લે છે અને તે દૃષ્ટિએ તે રાષ્ટ્રીય આવકના નિર્દેશક કરતાં ચઢિયાતો છે.

સંયુક્ત રાષ્ટ્રસંઘના નિષ્ણાતો માથાદીઠ આવક ના નિર્દેશકને સ્વીકારવાની હિમાયત કરે છે.

રાષ્ટ્રીય આવકની જેમ માથાદીઠ આવક વધારે હોય અને વધવાનો દર ઊંચો હોય તે દેશનો વિકાસનો દર ઊંચો ગણાય.

જો માથાદીઠ આવક નીચા દરે વધે તો વિકાસનો દર નીચો ગણાય અને જો માથાદીઠ આવકમાં વધારો ન થતો હોય તો વિકાસમાં સ્થગિતતા સ્થિતિ આવી છે તેમ કહેવાય, જો કોઈ દેશની માથાદીઠ આવક ઘટતી હોય તો વિકાસની પીછેહઠ ની સ્થિતિ દર્શાવે છે.

માથાદીઠ આવકમાં વધારો એ વ્યક્તિની ભૌતિક સુખાકારી માં વધારો લાવે છે અને તેથી તે વિકાસનો સાચો માપદંડ છે.

માથાદીઠ આવકના નિર્દેશકની મર્યાદાઓ
(1) માત્ર અંદાજો : દેશની રાષ્ટ્રીય આવક દર વર્ષે ગણાય છે તેથી તેના આંકડા આપણને લગભગ સાચા મળી રહે છે. પરંતુ દેશની વસ્તી દર વર્ષે ગણાતી નથી. ભારતમાં વસ્તી-દર 10 વર્ષ ગણાય છે. એટલે કે બાકીનાં વર્ષો માં વસ્તીના આંકડા ના માત્ર અંદાજો બાંધવામાં આવે છે. તેથી સાચી માથાદીઠ આવક મળતી નથી.                                (2) રાષ્ટ્રીય આવક-માથાદીઠ આવક ગણવાની મુશ્કેલીઓ : રાષ્ટ્રીય આવક ગણવાની મુશ્કેલી આપણે જોઈ ગયા તેવી રીતે માથાદીઠ આવક ચાલુ ભાવે ગણવી કે સ્થિર ભાવે ગણવી તેની મુશ્કેલીને કારણે સાચી સ્થિતિ જાણી શકાતી નથી..
(3) માથાદીઠ આવક માત્ર સરેરાશ દર્શાવે છે : માથાદીઠ આવક એ માત્ર સરેરાશ આવક દર્શાવે છે. આ
સરેરાશ ના આધારે કોઇ નિર્ણય ન લઈ શકાય કે દેશોના વિકાસની કક્ષા જાણી શકાય નહિ.
(4) સરખામણી ની મુશ્કેલી : દુનિયાના દેશોની માથાદીઠ આવક જે-તે દેશ ના ચલણમાં દર્શાવેલ હોય છે.
તેને પ્રથમ અમેરિકન ડોલર માં ફેરવવા પડે ત્યાર બાદ સરખામણી કરી શકાય કે ક્યા દેશનો આર્થિક વિકાસનો
દર ઊંચો કે નીચો છે.                                                                                                          (5) માથાદીઠ આવક જેટલા આવક  દેશના બધા નાગરિકોને મળે છે તેવું નથી હોતું. માથાદીઠ આવકનો નિર્દેશક જેટલું નિર્દેશ કરે છે તેના કરતા છુપાવે છે વધારે તેથી તે સાચો નિર્દેશક નથી.


જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારણા :
આર્થિક વિકાસના હેતુ હંમેશાં લોકોના જીવનધોરણ માં સુધારો કરવાનો હોય છે. તેથી કોઈ પણ દેશમાં
રિ આર્થિક વિકાસ થયો છે તે બીજા દેશો કરતાં કેટલો વધારે કે ઓછો છે. તે માપવા માટે નાનવજીવનની ભૌતિક
ગુણવત્તા ના નિર્દેશક સ્વીકારવામાં આવે છે.

જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું ? : માનવજીવનની ભૌતિક ગુણવત્તા વિવિધ વસ્તુઓ અને સેવાઓની વપરાશ ના ધોરણો પર આધારિત છે. વપરાશના ધોરણો એટલે સમયના કોઈ એક ગાળા દરમિયાન વ્યક્તિ અથવા વ્યક્તિના સમૂહ દ્વારા (1) વપરાશ માં લેવાયેલ ખોરાક, બળતણ તથા અન્ય બિન ટકા ઉ વસ્તુઓ. (2) વપરાશમાં લેવાયેલ ટકાઉ અને અર્ધ ટકાઉ વસ્તુઓ અને (3) વપરાશમાં લેવાયેલ સેવાઓ નો સમૂહ.

જીવનની ભૌતિક ગુણવત્તામાં સમાવિષ્ટ થતી બાબતો :

 (1) ખોરાક (કેલરી પ્રોટીન-ચરબી)
 (2) આરોગ્ય અને તબીબી સેવાઓ.                                            

 (3) રહેઠાણ અને કપડાં.
 (4)શિક્ષણ અને મનોરંજન વગેરે.
 (5) પરિવહન અને માહિતી પ્રસારણ સેવાઓ વસ્તી દીઠ રસ્તા-રેલવે ની લંબાઈ, ટેલિફોન સંખ્યા
 (6) ઊર્જાશક્તિ.           

 (7) દેશની વસ્તીને મળતું પીવાનું ચોખ્ખું પાણી                                                                                (8) સરેરાશ આયુષ્ય                                                                                                         (9) બાળ મૃત્યુ નું પ્રમાણ
(10) ડ્રેનેજ ની સુવિધા
જો ઉપર્યુક્ત 10 બાબતો માં સુધારો થઈ રહ્યો છે તો દેશમાં માનવજીવનની ભૌતિક ગુણવત્તા સુધરી છે તે તેમ કહી શકાય. જો સુધારો ન થયો હોય તો કયા ક્ષેત્રમાં સુધારાની જરૂર છે તે જાણી તેના ઉપાયો યોજી દેશના વિકાસ ને વધારી શકાય છે.

જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક (Physical Quality Life Index = PQLI) :
રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક નો વધારો એ આર્થિક વિકાસનો સાચો નિર્દેશક નથી તેમની અનેક મર્યાદા છે. દેશની વધતી આવક અમુક લોકોના હાથમાં કેન્દ્રિત થાય, તે વિકાસ નથી. દેશનો વિકાસ એવો હોવો જોઈએ જે ગરીબોનાં જીવનધોરણ ને ઊંચું લાવે. નાગરિકોના પ્રાથમિક જરૂરિયાત સંતોષાય. આ બાબતને ધ્યાનમાં રોપીને મોર ડેવિસ મોરીસે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની રજૂઆત કરી છે. જેને ટૂંકમાં PQLI તરીકે ઓળખવામાં આવે છે.

જીવનની ભૌતિક ગુણવત્તા ત્રણ બાબતો જ કેમ ?
(1) આ ત્રણેય બાબતો અંગે ના વિશ્વાસપાત્ર આંકડાઓ દરેક દેશમાં મેળવી શકાય છે.
(2) આ ત્રણેય નિર્દેશકો (પરિબળો) પ્રયત્નો નહિ પરંતુ પરિણામ દર્શાવે છે.                                              (3) આ ત્રણેય બાબતો વસ્તુલક્ષી હોવાથી કામગીરી ની તુલના માટે વ્યાજબી ધોરણો પૂરી પાડે છે
શિક્ષણ : જીવનની ભૌતિક ગુણવત્તા નો મહત્વનો માપદંડ છે.                                                          અપેક્ષિત આયુષ્ય : સામાજિક પરિસ્થિતિ અને સુખાકારી નું પ્રતિબિંબ છે. અપેક્ષિત આયુષ્યનો વધારો,  પોષણ તબીબી સારવાર તથા પર્યાવરણીય સંજોગોનું પરિણામ કે પ્રતિબિંબ છે.                                                                      બાળમૃત્યુદર : સામાજિક પરિસ્થિતિ અને સુખાકારી નું પ્રતિબિંબ છે ‘બાળમૃત્યુ દર પીવાના સ્વચ્છ પાણી, ઘરનું પર્યાવરણ, મહિલાઓની સ્થિતિ, માતૃત્વ ની કામગીરીનું સંવેદનશીલ પ્રતિબિંબ છે.


જીવનના ભૌતિક ગુણવત્તાના આંકની રચના
• દરેક નિદર્શ (શિક્ષણ, આયુષ્ય, બાળમૃત્યુ-દર)ને 100નો ભાર (weight age) આપવામાં આવે છે.
• દેશની તે નિદર્શની કામગીરીના આધારે 0 થી 100 ના આંક ની વચ્ચેના ગુણ મૂકવામાં આવે છે.
• આ ત્રણ બાબતમાં એ દેશને મળેલા ગુણોનો સરવાળો થાય છે.
• સરવાળા ને 3 વડે ભાગી ને સરેરાશ કાઢવામાં આવે છે.
• જે આંક મળે તે PQLI ના આંક તરીકે ઓળખાય છે.

મહત્ત્વની બાબતો :                                                                                                               (1) જેમ દેશ નો PQLI નો આંક 100 ની નજીક તે દેશની ઉપર્યુક્ત ત્રણ બાબતો (નિદર્શ)માં કામગીરી ઉત્તમ છે તેમ કહેવાય.
(2) જેમ દેશનો PQLI  આંક ‘O’ ની નજીક, તે દેશની ઉપર્યુક્ત ત્રણ બાબતો (નિદર્શ)માં કામગીરી કનિષ્ટ (ઉતરતી કક્ષાની) છે તેમ કહેવાય.
(3) PQLI નો આંક 0 થી 100ની વચ્ચે હોઈ શકે છે.
(4) PQLI ના આંક થી એ કે જ દેશના બે રાજ્યો કે બે જુદા-જુદા દેશોની તુલના થઈ શકે છે.                          (5) જેમ PQLI નો આંક વધારે (ઊંચો) તેમ દેશનો આર્થિક વિકાસ વધારે તેમ કહેવાય.
(6) જેમ PQLI નો આંક નીચો તેમ દેશની આર્થિક વિકાસ નીચો છે તેમ કહેવાય.

સકારાત્મક બાબતો :                                                                                                               (1) PQLI માં માનવજીવનના ધોરણે સ્પર્શતા શિક્ષણ અને આરોગ્ય જેવી બાબતોનો સમાવેશ થાય છે.               (2) માથાદીઠ આવક ના નિર્દેશક કરતા PQLI ચડિયાતા છે.                                                                  (3) આર્થિક વિકાસના નિર્દેશક તરીકે PQLI રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક કરતાં ઓછી મર્યાદા વાળા છે.        (4)PQLI  થી જુદા જુદા દેશો, દેશોના જૂથો, એક  જ દેશનાં વિવિધ રાજયોની તુલના થઈ શકે છે.                      (5) શહેરી-ગ્રામીણ, સ્ત્રી-પુરુષના PQLI બનાવી તેની તુલના થઇ શકે છે.

મર્યાદા
(1) માત્ર ત્રણ જ બાબતો નો સમાવેશ કર્યો છે અને એ જ બાબતોના આધારે સચોટતાથી દેશના વિકાસ થયો છે કે નહિ તે કહી શકાય નહિ. સાચો  આંક  મેળવવા આ ત્રણ બાબતો સિવાયની બાબતોનો પણ સમાવેશ કરવો જોઈએ.

(2) માત્ર સરેરાશ દર્શાવે છે : 3 નિર્દેશકના મળેલા આંક ને 3 વડે ભાગવાથી મળતો આંક PQLI છે. જે સરેરાશ છે. સરેરાશ થી તે દેશની 3 બાબતમાં અગ્રિમતા કે પછાતતા કહી શકાય નહિં, સરેરાશથી નિર્ણયો લેવાતો નથી.

(3) કોઈ દેશ નો PQLI નો દર ઊંચો હોય (હાલમાં) તો દેશનો વિકાસ બીજા દેશો કરતા વધારે છે તેમ સામાન્યીકરણ કરી શકાય નહિ.                                                                                                             

(4) 3 ધોરણને માનવજીવન માં એકસરખું મહત્ત્વ (100 આંક ) અપાય છે જે અયોગ્ય છે. ત્રણેય બાબતો માનવ જીવનમાં એક સરખું મહત્વ ધરાવતી નથી.                                                                                 

(5) જીવનની ભૌતિક ગુણવત્તા આંકમાં આવક વૃદ્ધિ મહત્વની છે જેની ઉપેક્ષા કરી છે,

(6) ધનિક દેશ ની PQLI વધવાની ગતિ ધીમી હોય છે કારણ કે સરેરાશ આયુષ્ય અમુક હદથી વધારે વધારી શકાતું નથી.

 

માનવ વિકાસ આંક

વિકાસનો અદ્યતન નિર્દેશક  માનવ વિકાસ આંક છે.

1990માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમમાં (UNDP) દ્વારા માનવ વિકાસ અહેવાલ HDR રજૂ થયો. આ અહેવાલમાં વિકાસના માપદંડ તરીકે માનવવિકાસનો આંક (HDI) રજૂ કરવામાં આવ્યો.

HDI માં આર્થિક માપદંડ ની સાથે બિનઆર્થિક  માપદંડ ઉપર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. HDI તૈયાર કરવામાં મહત્વની ભૂમિકામાં ભારતના અર્થશાસ્ત્રી નો ફાળો પણ છે.

જુદા-જુદા દેશોમાં થતા વિકાસના પ્રયત્નોનું મૂલ્યાંકન કરીને ખાંક તૈયાર કરાય છે.

1990 થી HDI ને માપવા માટે જે વિવિધ ન્યૂનતમ અને મહત્તમ મૂલ્ય નો ઉપયોગ થતો હતો જેમાં 2010 માં સુધારો કરવામાં આવ્યો છે,

માનવ વિકાસ આંક ના ઘટકો                                                                                                 

HDI તૈયાર કરવામાં સુગમ બને એ માટે માત્ર ત્રણ જ પરિબળો ધ્યાનમાં લેવાય છે.

આ પરિબળોના આંક ની યાદી આપવાને બદલે તેની સરેરાશ ઉપર આધારિત સંયુક્ત આંક તૈયાર કરાય છે :

(1) અપેક્ષિત આયુષ્ય (2) શૈક્ષણિક સિદ્ધિ (જ્ઞાન)નો એક સામાજિક સિદ્ધિ દર્શાવે છે જ્યારે (3) જીવનધોરણ દર્શાવતો આવક નો આંક આર્થિક સિદ્ધિઓ દર્શાવે છે.

HDI

અપેક્ષિત આયુષ્ય જ્ઞાન (શિક્ષણ) સારું જીવન ધોરણ
જન્મ સમયે વસ્તીનું અપેક્ષિત
આયુષ્ય કેટલું છે તેને આધારે
આંક અપાય છે. જો 50 વર્ષથી
ઓછું આયુષ્ય તો તંદુરસ્તીથી
વંચિત ગણાય છે. જેમ આયુષ્યનો
આંક ઊંચો તે સ્થિતિ સારી માનવામાં આવે છે.
જ્ઞાન નું પ્રમાણ જાણવા પુખ્ત
શિક્ષિતો ની ટકાવારી કેટલી છે તે
જાણવા મા આવે છે. આમાં 15 વર્ષ
અને તેનાથી વધુ ઉંમર વ્યક્તિના
અક્ષરજ્ઞાન ને ધ્યાનમાં લેવાય છે. જેમાં બે બાબતોનો સમાવેશ થાય છે :(A) સ્કૂલિંગના સરેરાશ વર્ષ અને
(B) સ્કૂલિંગનાં અપેક્ષિત વર્ષ દેશમાં
શાળા કક્ષા માટે કેટલા વર્ષ અપેક્ષિત છે.                                           તેમાં થી બાળક શાળામાં સરેરાશ કેટલા વર્ષ ગાળે છે તેના અંક મેળવવામાં આવે છે.

જીવનધોરણ એટલે મળતી
સગવડતા જેમાં પીવાનું શુદ્ધ
પાણી, આરોગ્યની સેવા સેનિટેશન સેવા, બાળમૃત્યુ-દર, ઓછા વજન વાળા બાળકો ની ટકાવારી, માથાદીઠ દૈનિક કૅલરી,5 વર્ષથી નીચેના બાળકો નો મૃત્યુ-દર, પ્રોટીન અને ચરબીની પ્રાપ્તિને જોવાય છે અને સારા જીવનધોરણનો આધાર આવક ઉપર હોય છે. આવકનો સૂચક આંક માથા દીઠ કાચી રાષ્ટ્રીય આવક (GNI), PPP સમખરીદ શક્તિના ધોરણે મપાય છે.

મુખ્ય બાબતો :
• ત્રણ ધોરણોને આધારે ગણાતા HDI નું મહત્તમ મૂલ્ય 1 ગણાય છે.
માનવ વિકાસ આંક HDI નું મૂલ્ય 0 થી 1 ની વચ્ચે હોય છે.
• જે દેશનો HDI આંક 1 ની નજીક તે વધુ વિકસિત ગણાય છે. તેને HDI માં ઊંચો ક્રમ મળે છે.
• જે દેશનો HDI નો આંક 1 થી દૂર તે ઓછો વિકસિત છે. તેને HDI માં ક્રમ નીચો મળે છે.
• વર્ષ 2014માં દુનિયાના 188 દેશોમાં HDI માં છે,944 આંક સાથે નોર્વે દેશ પ્રથમ ક્રમે અને ભારત 0.609 આંક સાથે 130 માં ક્રમે હતો.  ભારત ની માથાદીઠ આવક 5497 ડૉલર હતી.

વિશ્વના દેશોના માનવવિકાસ આંક                                                                                      

(1) સૌથી વધુ માનવવિકાસ ધરાવતા રાષ્ટ્ર : 1 થી 49 રાષ્ટ્રોનું સરેરાશ માનવવિકાસનું મૂલ્ય 0.890 છે.
(2) વધુ માનવવિકાસ ધરાવતા રાષ્ટ્ર : 50 થી 105 રાષ્ટ્ર સરેરાશ 0.735 HDI
(3) મધ્યમ માનવવિકાસ ધરાવતા રાષ્ટ્ર : 106 થી 143 રાષ્ટ્ર સરેરાશ 0.614 HDI
(4) નીચો માનવવિકાસ ધરાવતા રાષ્ટ્ર : 144 થી 188 રાષ્ટ્ર સરેરાશ 0.493 HDI

2015 ના માનવવિકાસ અહેવાલનાં તારણો
(1) 2014 માં માનવ વિકાસની દ્રષ્ટિએ 0.944 ના મૂલ્ય સાથે નોર્વે નો પ્રથમ નંબર છે.
(2) ભારતનો માનવ વિકાસ આંક 0.609 છે અને તેનું 188 દેશોમાં 130મું સ્થાન છે.
(3) ભારતનો HDI ના વર્ગીકરણ મા મધ્યમ માનવવિકાસના ગ્રુપમાં સમાવેશ થાય છે.
(4) 2015માં HDI માં છેલ્લા ક્રમે આફ્રિકા ખંડ માં આવેલ 0.348ના આંક સાથે નાઇઝરનું સ્થાન છે.

માનવવિકાસ આંકનું મહત્ત્વ :

(1) આર્થિક વિકાસના HDI ના માપદંડમાં માત્ર આર્થિક નહિ સામાજિક કલ્યાણના શિક્ષણ અને આરોગ્ય જેવા માપદંડનો પણ સમાવેશ કર્યો છે. તેથી તે પરિપૂર્ણ બને છે.
(2) HDI આર્થિક નીતિ ઘડનારાઓને સૂચવે છે કે આર્થિક વિકાસ સાધન છે અને માનવકલ્યાણ અંતિમ ઉદેશ્ય છે.
(3) સાચી પ્રગતિ = આર્થિક પ્રગતિ + સામાજિક પ્રગતિ હોય છે.
(4) HDI નો આંક વિધેયાત્મક છે. HDI વધે તેનો અર્થ દેશમાં શિક્ષણ અને આરોગ્યની સ્થિતિ સુધરી રહી છે.
(5) HDI ના આંક થી વિકાસ માને દેશો ને કયા વિકાસની શક્યતા વધારે છે. ક્યાં સરકારે વધારે કામ કરવાનું છે તેનો ખ્યાલ આવે છે.
(6) HDI નો આંક વધારે પ્રગતિશીલ ખ્યાલ છે.

મર્યાદા :
(1) HDI મા ત્રણ જ સામાજિક નિર્દેશકોનો સમાવેશ કરાયો છે, જે ઓછા છે. બીજા સામાજિક નિર્દેશકો નો સમાવેશ કરવો જોઈતો હતો.
(2) HDI માં ત્રણેય પરિબળોને સરખું મહત્ત્વ અપાયું છે. ખરેખર ત્રણેયનું જુદી-જુદી પરિસ્થિતિમાં જુદું જુદું  મહત્વ હોય છે.
(3) માનવ વિકાસનો આંક નિરપેક્ષ સ્થિતિ દર્શાવતો નથી. કોઈ એક દેશ અન્ય દેશોની તુલનાએ કયા સ્થાને છે તે દર્શાવવામાં આવે છે, જેમાં સાપેક્ષ પ્રગતિ જ દર્શાવાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here