Home STD 12 પાઠ-4 બેન્કિંગ અને નાણાકીય નીતિ

પાઠ-4 બેન્કિંગ અને નાણાકીય નીતિ

0
1159
CLASS 12 ECONOMICS

 બેન્કોનો ઉદ્ભવ અને અર્થ (Evolution and Meaning of Banks)

અંગ્રેજીમાં બેન્ક શબ્દનો અર્થ જથ્થો કે સમૂહ થાય છે. સંસ્કૃત ભાષામાં બેન્કને મળતો શબ્દ ભાંડ છે. જેનો
અર્થ મૂડી નો જથ્થો એમ થઈ શકે છે. અને આ શબ્દ પરથી ‘ભંડોળ’ શબ્દ બન્યો છે.

અંગ્રેજીમાં બૅન્ક શબ્દ ફાંસ અને ઇટાલીના શબ્દો ‘Banca’ અને ‘Banque’ પરથી ઉતરી આવ્યો છે.
યુરોપમાં પ્રાચીન  સમયમા શરાફો ઢળતી પાટલી પર નાણાની લેવડ-દેવડ અને જુદા-જુદા પ્રદેશોમાં નાણાંની ફેરબદલી કરતા હતા.
 આમ,પાટલી (bench) પર નાણાં ના જથ્થા ની ફેરબદલી થતી અને આમ બેંક” શબ્દ અંગ્રેજીમાં ઉપયોગ થવા લાગ્યો. 
 

વિશ્વની સૌ પ્રથમ બેન્ક તરીકે સ્પેઇનમાં 1401 માં સ્થપાયેલી ‘બેક ઑફ બાર્સિલોના’ ગણાય છે.

 નાણાં આધારિત અર્થ વ્યવસ્થામાં નાણાં ની સાચવણી, તેની હેરફેર અને તેના મૂલ્યની જાળવણી માટે કોઈ
સંસ્થા ની જરૂર પડી જે કાર્ય બેન્ક દ્વારા થતું જોવા મળે છે.

બેન્ક નો અર્થ :

(i) બેન્કિંગની સેવા આપતી સંસ્થા એટલે બેન્ક. એટલે કે

 (ii)“માંગવામાં આવે એટલે નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચત તો એકત્રિત કરતી સંસ્થાને બેન્ક કહે છે.’

(iii) “બેન્ક એટલે નફાના હેતુથી કાર્ય કરતી એવી ધંધાકીય સંસ્થા જે પ્રજાની બચતાને થાપણો તરીકે સ્વીકારે,
તેના બદલા માં વ્યાજ આપે, તે થાપણો સાચવે. વળી તે થાપણો માંથી જે લોકોને જરૂર હોય તેમને ધિરાણ આપે
અને ધિરાણ સામે વ્યાજ વસુલ કરે તથા અતિરિક્ત નાણાંનું દેશના વિકાસ માટે વિવિધ ક્ષેત્રોમાં રોકાણ પણ કરે.”

 કેમ કે ફરતા નાણાંનું મૂલ્ય વધતું રહે છે.

બેંકોનું વર્ગીકરણ (મુખ્ય પ્રકારો):

સામાન્ય રીતે   બેંકો બે પ્રકારની હોય  છે: (1) વાણિજ્ય/વેપારી બેંક (2) મધ્યસ્થ બેંક

વેપારી બેન્ક નો અર્થ આપી તેના કાર્યો સમજાવો

વેપારી બેંક, એટલે એવી સંસ્થા  જે બેંકિંગ અંગેના  વહેવાર કરે એટલે કે દેશમાં રોકાણ વધારવા માટે
પ્રજાની થાપણો સ્વીકારે છે જે ગ્રાહ કને જરૂર પડે ત્યારે પાછી મળે અને જેમાંથી ચેક,ડ્રાફ્ટ,પે ઓર્ડર વગેરે દ્વારા ઉપાડ થઈ શકે.

 વેપારી બેંક ધંધાદારી એકમ છે અને નફા માટે કાર્ય કરે છે. 

 થાપણો સ્વીકારવા માટે જે વ્યાજનો દર બેંક આપે તેના કરતા ધિરાણ પર ઉચો વ્યાજનો દર વસૂલ કરી
બેન્ક નફો કમાય છે.

આમ, બેન્ક ધંધાદારી સંસ્થાઓ છે.
બીજા શબ્દોમાં,  બેન્ક નાણાની હેરફેર કરી ને નફો કમાવા માટે નો ધંધો કરે છે તેથી જ તેમને વેપારી
બેન્ક કહેવાય છે.

 વેપારી બૅન્કોનાં કાર્યો : 

વેપારી બેંકો અનેક કાર્યો કરે છે જે નીચે મુજબના હોય છે 
 

વેપારી બૅન્કનાં મુખ્ય કાર્યો : 

(1) થાપણો સ્વીકારવી : પ્રજા પાસે રહેલી બચતોને બંન્ક સ્વીકારે છે અને તેને થાપણના સ્વરૂપે સાચવે છે વળી. પ્રજાની બચત પોતાની પાસે રાખે એટલે તેમને વ્યાજ ચૂકવે છે. બીજા શબ્દો માં કહીએ તો થાપણો ના સ્વરૂપે પ્રજા બૅન્ક ને ધિરાણ આપે છે જેના બદલામાં બૅન્ક વ્યાજ ચૂકવે છે.

થાપણો મુખ્યત્વે ત્રણ પ્રકારની હોય છે.

વેપારી બેંકના ખાતા- વિભાગ-C

ચાલુુ ખાતાની થાપણો:

આ ખાતું ધંધા પેઢી કે વ્યક્તિના નામે ખોલાવવામાં આવે છે. આ ખાતેદારને ચેકબુક મળે છે પરંતુ વ્યાજ મળતું નથી. 

ચત ખાતાની થાપણો :

આ ખાતામાં વ્યક્તિનો પોતાની ટૂંકા ગાળા માટે ની બચતો રાખે છે.
જ્યારે પૈસા પાછા જોઇએ ત્યારે ચેકબુક દ્વારા ઉપાડી શકે છે. વળી, આવી થાપણો પર તેમને વ્યાજ પણ મળે છે.
આજના સમયમાં ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ વગેરે થી પણ બચત ખાતામાંથી ઉપાડ કરી શકાય છે. 

રીકરિગ ખાતા ની થાપણો :

આ થાપણો પણ બચત ખાતાની થાપણો નો એક પ્રકાર છે. જે વ્યક્તિઓ
એક સાથે બચત કરવા ન ઈચ્છતા હોય કે ન કરી શકતી હોય તેવી વ્યક્તિઓ દર મહિને (અમુક સમયગાળા
દરમિયાન) કોઈ ચોક્કસ રકમ આ ખાતામાં જમા કરતી રહે છે, આમ, વ્યક્તિની થાપણ વધતી જાય છે.
ને જમા થયેલી થાપણ પર તેને વ્યાજ મળતું રહે છે. આવી થાપણોને રીકરિંગ થાપણો કહે છે.

મુદતી થાપણો (ફિક્સ ડિપોઝિટ) :

આ થાપણો ચોક્કસ મુદત માટે મૂકવામાં આવે  છે. આ થાપણો
પર બેન્ક સૌથી વધુ વ્યાજ ચૂકવે છે. જયારે લાંબા ગાળા માટે વ્યક્તિ બચત કરવા ઇચ્છતી હોય ત્યારે આવી
થાપણો રાખે છે અને જરૂર પડે ત્યારે અતિરિક્ત ઉપાડની સવલત (Over Draft) મેળવી શકે છે. 

 

 (2) ધિરાણ ની સવલતો પૂરી પાડવી :

અર્થતંત્રમાં ધંધા માટે કે ખાનગી કારણો માટે રોકાણ કર્તાઓને,
વ્યક્તિઓને, ખેડૂતોને તથા અન્ય વર્ગના લોકોને નાણા ની જરૂર પડે ત્યારે તેઓ બૅન્કો પાસે ધિરાણ લે છે. બેન્ક
વ્યાજ લઈને વિવિધ પ્રકાર ના ધિરાણ પૂરું પાડે છે. સમયના સંદર્ભમાં ધિરાણ ટૂંકા ગાળાનું, મધ્યમ ગાળાનું કે લાંબા
ગાળા નું હોઈ શકે. ટુંકા ગાળાનું ધિરાણ એટલે 1 વર્ષ સુધીનું, મધ્યમ ગાળાનું એટલે 1 થી વધુ અને 5 વર્ષ
સુધીનું અને લાંબા ગાળાનું 5 થી15 વર્ષ સુધીનુ.
વળી ધિરાણના હેતુના સંદર્ભમાં ધિરાણ,ખાનગી હેતુ માટે, ખેતી માટે, ધંધાકીય હેતું માટેનું હોઈ શકે.

(3) ચુકવણી અને ઉપાડની સવલતો પૂરી પાડવાની કામગીરી:

બેંક ગ્રાહકોને સરળતાથી નાણાંની
ચુકવણી અને ઉપાડની સવલત વિવિધ રીતે પૂરી પાડે છે, જેમાં ચેક, ઉપાડ ચિઠ્ઠી,ડ્રાફ્ટ,પે-ઓર્ડર, ડેબિટ કાર્ડ,
ક્રેડિટ કાર્ડ , ATM (ઓટોમેટીક ટેલર મશીન), ઇન્ટરનેટ બેન્કિંગ વગેરે સુવિધાઓનો સમાવેશ થાય છે.

(4) શાખ સર્જનની કામગીરી:

નાણા નો પુરવઠો નાણાની માંગ ને અનુરૂપ રહે તે માટે બૅન્કો શાખસર્જનનું કાર્ય
 કરે છે. ‘શાખ સર્જન દ્વારા પ્રવર્તમાન નાણાંના જથ્થા માંથી (થાપણો માંથી) નવા નાણાંનું સર્જન થાય છે.
એટલે કે નાણાંનો પુરવઠો બને છે.

બેેક,  જ્યારે પોતાની પ્રાથમિક થાપણ માથી  ધિરાણ આપે ત્યારે ધિરાણનો ચેક વટાવવા માટે ધિરાણ લેનાર,
વ્યક્તિના નામનું ખાતું તે જ બેન્કમાં કે તેની બીજી શાખા માં ખુલે છે. આ ચેક જમા થતાં નવા ખાતામાં
તેટલા રૂપિયા જમા થાય છે. આ વ્યુત્પન્ન થાપણ માંથી તે જ પ્રમાણે ત્રીજી વ્યકિતને ધિરાણ મળે છે.નવું ખાતું ખુલે છે અને નવી જમા જમા  રકમ નોંધાય છે. આમ, એક થાપણ માંથી અનેક થાપણો સર્જાય છે.

(5) આંતર બેન્કિંગ વ્યવહારો કરવા: 

‘ એક બૅન્ક બીજી બેંકને ટૂંકા કે લાંબા સમય માટે ધિરાણ પૂરું પાડતી હોય છે.

ટૂંકા ગાળાનું ધિરાણ એક બેન્ક બીજી બૅન્કને મધ્યસ્થ બેન્ક દ્વારા આપે છે અને આને call money કહેવાય છે. તેની ઉપર લેવાતા વ્યાજનો દર ને call money rate કહેવાય છે. 

 વેપારી બેંક નાં ગૌણ કાર્યો : –

વેપારી બેંક નીચે મુજબ નાં ગૌણ કાર્યો કરે છે :

(1) ગ્રાહકો ના એજન્ટ તરીકે તથા ઉપયોગી સેવાઓ પૂરી પાડવા નું કાર્ય :


બેન્ક તેના ગ્રાહકોને વિવિધ સેવાઓ પૂરી પાડે છે.ગ્રાહકોને કીમતી વસ્તુઓ જેવી કે, દાગીના, મહત્ત્વના ડોક્યુમેન્ટ 
વગેરે સાચવવા માટે બેન્ક સેફ ડિપોઝિટ વોલ્ટ ની (લોકર) સુવિધા ભાડુ વસૂલ કરીને પોતાના ગ્રાહકોને પૂરી પાડે છે.

નાના કદ ની આર્થિક પ્રવૃત્તિઓ માટે અમુક વર્ગને ખૂબ નાના ધિરાણ (માઇક્રો ફાઇનાન્સ) પૂરું પાડે છે.

ધંધામાં કે વ્યક્તિગત સોદાઓમાં ચુકવણી બાબત વિશ્વસનિયતા પૂરી પાડવા માટે બૅન્ક ડ્રાફટ અથવા પે-ઓર્ડરની સુવિધા પણ  પૂરી પાડે છે.

(2) બદલાતા સમય સાથે આધુનિક સેવાઓ પૂરી પાડવા નું કાર્ય :

બેન્કોનો ખ્યાલ અને કાર્યપદ્ધતિ સમય સાથે સતત બદલાતા રહે છે, બેકિંગ કાર્યોમાં સતત નવીનીકરણ થતું રહે છે. આજના સમયમાં ચલણ કેચેક વાપર્યા વગર એક બેંક ના ખાતા માંથી કોઈ અન્ય બેંકના ગ્રાહકના ખાતામાં મિનિટોમાં નાણાની ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફર માટે NEFT (National Electronic Fund Transfer) અને RTGS (Real Time Gross settlement) 
જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. આ બંને સુવિધાઓ CORE (Centralized Online Real
Time Exchange; બેન્કિંગ ના લીધે શક્ય બની છે.

વળી, ઇન્ટરનેટ બેંકિંગ તથા મોબાઇલ ફોનના બેન્કિંગ એપ’ દ્વારા ગ્રાહક પોતાના ખાતાની બધી વિગતો.
કમ્યુટર અથવા મોબાઇલ ફોન પર મેળવી શકે છે. વસ્તુઓની ખરીદી કરી શકે છે અને ટિકિટો પણ બુક કરી
રોકે છે. બેંક DEMAT ખાતાની પણ સગવડ પૂરી પાડે છે.

DEMAT ખાતું એટલે શેર, ડિબેન્ચર, બૉન્ડ,
જામીનગીરી વગેરેને ભૌતિક સ્વરૂપ ના સાચવવા પડે તે માટેનું ઇલેક્ટ્રૉનિક ખાતું. જેથી આવું ખાતું
ધરાવનાર લોકો પોતાના શેર, ડિબેન્ચર, બોન્ડ વગેરે e (ઇલેક્ટ્રોનિક) સ્વરૂપે સાચવી શકે. 

ભારતમાં વેપારી બૅન્કોનું અસ્તિત્વ : 

ભારતમાં વેપારી બેન્ક જાહેર તેમજ ખાનગી માલિકીની જોવા મળે છે. 1991ના આર્થિક પરિવર્તનો પછી
ખાનગી ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય બેંકોનો  પ્રવેશ પણ થયો છે.

બેન્કિંગ ના કાર્યો કરતી જે સંસ્થાઓ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના 1934ના  ધારાની બીજી  અનુસૂચિમાં પ્રવેશ પામી હોય તેને સિડ્યુલ બેંક કહેવાય છે અને તે જ ખરી બેન્ક છે. આવી બેંકને રિઝર્વ બેંક ના બધા જ નિયમો અને ધારાધોરણોને લાગુ પડે છે.

મધ્યસ્થ બેંક:

દુનિયાના દરેક દેશમાં એક મધ્યસ્થ બેંક હોય છે જે દેશની તમામ બેંકોની કામગીરીનું સંચાલન ,મૂલ્યાંકન અને અંકુશ ની કામગીરી બજાવે છે.

આર. પી. કેન્ટના શબ્દોમાં મધ્યસ્થ બૅન્ક એટલે, એવી સંસ્થા કે જેને દેશના (પ્રજાના) સામાન્ય હિત માટે અર્થતંત્રમાં નાણાંના જથ્થાના વિસ્તરણ અને સંકોચન ની જવાબદારી સોંપવામાં આવી હોય.

આમ, મધ્યસ્થ બેંક એટલે દેશની સર્વોચ્ચ બેન્ક

જેના મુખ્ય કાર્ય નાણાબજાર અને બૅન્કિંગ ક્ષેત્રને મદદ
ક૨વાનું તેનું નિયંત્રણ કરવાનું અને તેને પ્રોત્સાહન આપવાનું છે તથા દેશના આર્થિક હિત માટે નાણાકીય સ્થિરતા જાળવવાનું છે. 

 ભારતીય રિઝર્વ બૅન્ક :

ભારતની મધ્યસ્થ બેંક રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના નામે ઓળખાય છે. 

1934 ની રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ધારા મુજબ RBI ની સ્થાપના એપ્રિલ 1, 1935માં થઈ હતી ₹ 5 
કરોડના ખાનગી મૂડીરોકાણ થી RBI સ્થપાઇ હતી જાન્યુઆરી 1, 1949માં RBI નું રાષ્ટ્રીયકરણ કરવા માં આવ્યું.

 RBI દેશની સર્વોચ્ચ બેન્ક (Apex Bank) છે જે સમગ્ર બેન્કિંગ કોત્રની કામગીરી પર ધ્યાન રાખે
તેનું નિયંત્રણ કરે છે અને સાથે-સાથે ભારતની નાણાકીય નીતિ ઘડે છે.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ( મધ્યસ્થ બેંક)નાં કાર્યો :
ભારતની સર્વોચ્ચ બેન્ક તરીકે RBI નીચેના કાર્યો કરે છે :
 

RBI ની નાણાકીય જવાબદારીઓ/RBI નાં નાણાકીય કાર્યો : (પરિમાણાત્મક કાર્યો)

(1) ચલણ બહાર પાડવા નું કાર્ય :₹2 અને 2 થી વધુ રકમની નોટો છાપવાની અને બજારમાં     
મૂકવાની ફરજ RBI બજાવી છે. જ્યારે ચલણી સિક્કા અને 1 ₹ ની કાગદી નોટ ભારત સરકારના નાણાં 
ખાતા દ્વારા બહાર પાડવામાં આવે છે. 

(2) સરકારની બેંક તરીકે નું કાર્ય : RBI કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારોની બૅન્ક, તેમના નાણાકિય
એજન્ટ તથા નાણાકીય સલાહકાર તરીકેની ફરજ બજાવે છે. એજન્ટ તરીકે સરકારના બૉન્ડ, સરકાર ના 
ખાતાઓ, ચલણી સિકકાઓ, એક રૂપિયાની નોટ વગેરે નો વહીવટ કરે છે તથા સરકારને ધિરાણ પણ આપે છે.

(3) બેન્કોની બેંક અને બેંકો ના અંતિમ સહાયક તરીકે નું કાર્ય : RBI ભારતની બધી જ શિડ્યુલ્ડ
બેન્કોની બેંક તથા નિયમનકાર છે. તે બેન્કોની રોકડ અનામતનું સંચાલન કરે છે. વેપારી બેંકોની ધિરાણ અંગેની નીતિની દિશા નક્કી કરે છે અને વ્યાજના દર પણ આદેશિત કરે છે.કોઈ પણ શિડ્યુલડ બેન્કની
નાણાકીય કટોકટી સમયે તે અંતિમ સહાયક તરીકેની જવાબદારી નિભાવે છે.

(4) શાખ નિયમન ની કામગીરી : નાણાકીય નીતિ નાં વિવિધ સાધનોની મદદ વડે RBI વેપારી બેંકોની
શાખ સર્જન ની પ્રવૃત્તિ તથા નાણા ના પુરવઠા નું નિયમન કરે છે.

(5), વિદેશી હૂંડિયામણની જાળવણીનું કાર્ય : જ્યારે હુંડિયામણનો દર કાયદાકીય રીતે સ્થિર રાખવામાં
આવે ત્યારે RBI હૂંડિયામણનો દર નક્કી કરે છે. જ્યારે વિદેશી હૂંડિયામણનો દર બજારમાં તેની માંગ અનેપુરવઠા ના આધારે નક્કી થતો હોય ત્યારે RBI બજારમાં વિદેશી હુડીયામણની ખરીદી કે વેચાણ કરીને વિદેશી
હુડીયામણની સરખામણીમાં ભારતના રૂપિયાનું મૂલ્ય જાળવે છે. આમ, RBI ભારતના ચલણનું મુલ્ય અન્ય
દેશોના ચલણ ની સામે જાળવવાની કામગીરી બજાવે છે.
RBI ભારતનાં વિદેશી હૂંડિયામણ ના જથ્થા ની સાચવણી કરે છે. તેમજ ભારતમાં આવતી વિદેશી મૂડી કે
ભારતની બહાર જતી વિદેશી મૂડી પર ધ્યાન રાખે છે

RBI ના બિન નાણાકીય કાર્યો : (ગુણાત્મક કાર્યો)

(1) નિયમન અને દેખરેખ ની કામગીરી :

RBI ભારતનાં સમગ્ર મૂડીબજાર અને નાણાબજારની
કામગીરી ની દેખરેખ અને નિયમન કરે છે. જેમાં વેપારી બેન્કોના શાખાના વિસ્તરશ, કામ કરવાની પદ્ધતિ,
બૅન્ક સિવાયની નાણાકીય સંસ્થાઓ તથા સહકારી બેંકો ની કામગીરી વગેરે પર ખાસ ધ્યાન રાખે છે.

(2) પ્રોત્સાહન કાર્યો :

આપણા દેશમાં આજે પણ અનેક લોકોએ બેન્ક નાં ખાતાં ખોલાવ્યાં નથી. ઘણા
લોકો તેમની ધિરાણ માટેની જરૂરીયાતો માટે અસંગઠિત નાણાબજાર પર આધારિત છે.  આથી RBI લોકોમાં આ અંગેની જાગૃતતા લાવવા માટે પ્રયત્નો કરે છે.
 
(3) સમાવેશી વિકાસ માટે ના કાર્યો :

લોકોમાં બેન્કિંગ અને નાણાં-વ્યવસ્થા વિશેની જાણકારી અને જાગૃતિ વધે તે માટેનો પ્રચાર કરે છે.

હાલના સમયમાં પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન RBI કરે છે.

વળી, બૅન્કોના ગ્રાહકોના હિત અને હકની જાળવણી પણ કરે છે..
બેન્કિંગ પ્રવૃત્તિઓના સુધારા તથા સંશોધન ને વેગ આપવા માટે RBI દરેક પ્રકારના નાણાકીય
આંકડાઓ તથા નિષ્ણાતો ના લેખો પોતાની વેબસાઈટ પર મુકે છે, જે દરેક વ્યક્તિને વિના મૂલ્ય પ્રાપ્ત થઈ શકે છે.

નાણાકીય નીતિ (Monetary Policy)

નાણાની માંગ અને પુરવઠામાં અસમતુલા હોય તો અર્થતંત્રમાં ફુગાવો કે મંદી સર્જાય છે.

સાદા શબ્દોમાં, દેશ માં આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને, પ્રજાનું હિત જાળવીને આર્થિક સ્થિરતા માટે 
 સર્વોચ્ચ બેન્ક દ્વારા નાણાનો પુરવઠો અંકુશિત કરવા અંગેની નીતિ એટલે નાણાકીય નીતિ. 

નાણાકીય નીતિ નાં સાધનો :

નાણાકીય નીતિ ના મુખ્ય સાધન નીચે મુજબ સમજાવી શકાય.

પરિમાણાત્મક સાધનો :

પરિમાણાત્મક સાધનો સમગ્ર અર્થતંત્ર પર એક સરખી અસર પહોંચાડે છે
માટે આ  સાધનો ને સામાન્ય સાધનો (general measures) પણ કહેવાય છે.
 

(1) બૅક રેટ :

જ્યારે વેપારી બેંકો નાણાં ની અછત અનુભવે ત્યારે RBI પાસે નાણાં ઉધાર લે છે.RBI
વેપારી બેન્ક ને લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે તેને બૅન્ક રેંટ કહેવાય.

જ્યારે RBI બૅન્ક રેટ વધારે ત્યારે વેપારી બેન્કો ને ધિરાણ લેવાનું મોંઘુ પડતા તેઓ સામે પ્રજા ને ઊંચા વ્યાજના દરે ધિરાણ આપે છે. વ્યાજનો દર વધતા પ્રજા ઓછું ધિરાણ લે છે અને આમ નાણાંનો પુરવઠો ઘટે છે. જ્યારે અર્થતંત્રમાં ફુગાવો હોય ત્યારેRBI બેન્ક રેટ વધારી નાણાંનો પુરવઠો ઘટાડે છે જેથી ફુગાવો ઓછોથાય. મંદી હોય ત્યારે તેથી ઊલટું કરવામાં આવે છે.

જ્યારે નાણાં ની માંગ કરતાં નાણાં નો પુરવઠો વધુ હોય ત્યારે 
ફુગાવો સર્જાય છે. અને એથી ઊલટું હોય તો મંદી સર્જાય છે…. 

બેંક રેટ ખૂબ નીચે રાખવાની નીતિને સસ્તા નાણાં ની નીતિકહેવાય છે અને બેંક રેટ ખૂબ ઊંચો રાખવાની નીતિને મોંઘા નાણાં ની નીતિ કહેવાય છે.

(2) રેપો રેટ (Repo Rate) અને રિવર્સ રેપો રેટ (Reverse Repo Rate) :

જ્યારે વેપારી બૅન્કોનેખૂબ ટૂંકા ગાળા માટે (1 દિવસ, 7 દિવસ, 15 દિવસ જેટલા ટૂંકા ગાળા માટે) નાણાંની જરૂર પડે છે ત્યારે તેઓ RBI પાસે નાણું લે છે. જે દરે RBI વેપારી બૅન્કોને આવું નાણું આપે તે રેપો રેંટ કહેવાય. મંદીના સમયે RBI રેપો રેટ નીચા કરે છે.

જ્યારે RBI ને ટૂંકા ગાળાનું ધિરાણ જોઈએ ત્યારે તે વેપારી બૅન્કો પાસેથી ધિરાણ લે છે. આવા રેટને રીવર્સ રેપો રેટ કહે છે.

જયારે રીવર્સ રેપો વધુ હોય ત્યારે વેપારી બેન્કોને RBI ને લોન આપવા માટેનું વધુ આકર્ષણ
 થાય છે અને તેઓ વધારાના નાણાં RBI ને ધિરાણ પેટે આપે છે. આમ તેઓ સામાન્ય પ્રજાને ઓછું ધિરાણ આપી શકે છે અને બજારમાં નાણાંનો પુરવઠો ઘટે છે. રીવર્સ્ રેપો રેટ નીચો હોય ત્યારે નાણાંનો પુરવઠો વધે છે.

(3) કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ :

આ એક વિશિષ્ટ જોગવાાઈ છે. જ્યાં સતત કપરા સંજોગોમાં અને નાણાંની કટોકટીના (અછતના) સમયે વેપારી બેંકો RBI પાસે સરકારી જમીનગીરીઓ મૂકી ને નિર્ધારિત દરે ધિરાણ લે છે. આ દર રેપો રેટ કરતાં વધુ હોય છે. કે 2016માં આ દર 7 ટકાનો હતો.  (જેને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી કહેવાય છે.)

(4) રોકડ અનામત પ્રમાણમાં ફેરફાર: (Cash Reserve Ratio – CRR) :

RBI ની 1934ની ધારા મુજબ દરેક વેપારી બેંકો પોતાની થાપણો ના અમુક ટકા જેટલી રકમ RBI પાસે રોકડ એનામત તરીકેરાખવાની હોય છે. શરૂઆતનાં વર્ષોમાં આ પ્રમાણ ચાલુ ખાતાની થાપણો ના 5 % અને લાંબાગાળાની થાપણો ના 2% જેટલું નક્કી થયું હતું. 1962 પછી કુલ થાપણો ના 3 થી 15 %ની વચ્ચે CRR રાખવાનું નક્કી થયું. RBI જરૂરિયાત મુજબ CRR બદલે છે.
 

CRR નો મુખ્ય હેતુ બૅન્કિંગ-વ્યવસ્થા પાસે પૂરતા પ્રમાણમાં રોકડા નાણાં રહે તે માટેનો છે. જેથી કોઈ
સંજોગો માં ઘણા બધા ગ્રાહકો પોતાની થાપણો પાછી ખેંચે તો તેને આપવા માટે બૅન્કો પાસે પૂરતાં નાણાં હોય. વળી આ સાધન ફુગાવાનું નિયંત્રણ કરવા માટે પણ વપરાય છે.

(5) કાયદામાન્ય પ્રવાહિતાનું પ્રમાણ (statutory Liquility Ratie-SLR):

‘બેકિંગ રેગ્યુલેશનએક્ટ’ મુજબ દરેક વેપારી બેન્ક CRR થી જુદા અને તેથી (ઉપરાંત પોતાની કુલ થાપણોના 25 % જેટલું મૂલ્ય
નકદ,સોનું, સરકારી જામીનગીરીઓ વગેરેના સ્વરૂપે રાખવું જરૂરી છે, જેને કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ કહે છે.

 

SLR ઊંચું હોય તો બેન્ક ની થાપણોનું વધુ પ્રમાણ સરકારી જામીનગીરી માં રોકાય છે, જે રાજ્યના
ખર્ચ ને પૂરો પાડવામાં વપરાય છે. વળી કેટલુક પ્રમાણ નકદ અને સોનામાં રહે છે અને SLR વધુ હોય, તો
પ્રજા ને તેટલા પ્રમાણમાં ઓછું ધિરાણ મળે છે. SLR નીચો હોય તો પ્રજાને વધુ ધિરાણ મળે છે. 

ખુલ્લા બજાર નાં કાર્યો (Open Market Operations-OMo) :

અર્થતંત્રમાં નાણાનો પુરવઠોવધારવા કે ઘટાડવા RBI ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરી નું ખરીદ-વેચાણ કરે છે.જ્યારે RBI સરકાર પાસેથી જામીનગીરી ઓની ખરીદી કરે છે ત્યારે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે.અને જ્યારે ખુલ્લા બજારમાં વેચે છે ત્યારે નાણાંનો પુરવઠો ઘટે છે. આ પ્રકારનું કાર્ય ફુગાવા કે મંદીના નિયંત્રણ માટે કરવામાં આવે છે.

7. RBI ના સરવૈૈયાને હૂંડિયામણના વધતા કે ઘટતા પ્રમાણના આંચકાઓથી મુક્ત કરવા માટે
‘સ્ટરીલાઈઝેશન ની (Sterilization) નીતિ  :

જ્યારે દેશમાં વધુ પ્રમાણમાં વિદેશી હૂંડિયામણ આવે કે દેશની,
બહાર જાય ત્યારે RBI ના હૂંડિયામણ ખાતામાં વધ-ઘટ થતા તેનું સરવૈયું ખોરવાય છે. આવી પરિસ્થિતિનાં
નિયંત્રણ માટે RBI હૂંડિયામણ ની પુરાંત અથવા ખોટ જેટલા પ્રમાણની સરકારી જામીનગીરીઓ ખુલ્લા બજારમાં
ખરીદી કે વેચી ને પોતાના સરવૈયાની સમતુલા જાળવે છે જેથી સમગ્ર નાણાં-વ્યવસ્થાની સમતુલા જળવાઈ રહે છે,

નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો :

ગુણાત્મક સાધનો એટલે જરૂરી ક્ષેત્રો માટે જ તર્કપૂર્વક વપરાતાં સાધનો. આ સાધનો બધાં ક્ષેત્રોને |
એકસરખી અસર પહોંચાડવા માટે હોતા નથી.

(1) સલામતી ની જરૂરિયાત’:

સામાન્ય પ્રજાને જ્યારે વેપારી બેન્ક ધિરાણ આપે ત્યારે આ ધિરાણ પાછું
આવે તે ની ચોકસાઈ બેંકે રાખવી પડે છે. આથી બેન્ક ધિરાણ લેનાર દરેક વ્યક્તિ પાસે તેમની કોઈ મિલકત
જેવી કે ઘરેણાં, થાપણો, કાર, ઘર, જમીન વગેરે સલામતી /બાંહેધરી પેટે લખાવે છે.જો કોઈ ગ્રાહક બેન્કની 
શરતો મુજબ ધિરાણ ની રકમ પાછી ન ચૂકવે તો બેન્ક આવું સલામતી પેટે રાખેલું સાધન જપ્ત કરે છે.

 (2) માર્જીન ની જરૂરિયાત:

સલામતી, બાંહેધરી પેટે બતાવેલી મિલકત અમુક જ ટકા અથવા માંગેલી,
લોનના અમુક જ ટકા જેટલી ૨કમનું ધિરાણ એકમને કે વ્યક્તિને મળી શકે છે. આવી ટકાવારીને ધિરાણનું
માર્જિન (margin) કહે છે. RBI જુદા-જુદા વર્ગો માટે જુદા-જુદા માર્જિન રાખવાની ભલામણ કરે છે.

(3) ધિરાણ ની ટોચ મર્યાદા :

કોઈ પણ એક વ્યક્તિને કે એકમને માટે ધિરાણની ટોચમર્યાદા RBI નક્કી કરેે છે.

 

(4) ભેદભાવયુક્ત/ભેદપારખું વ્યાજના દર:

અલગ-અલગ પ્રકારના ધિરાણ માટે અલગ-અલગ વ્યાજના દર રાખવાની પદ્ધતિ RBI સૂચવે છે. જે ને
ભેદપારખું/ ભેદભાવ યુક્ત વ્યાજના દર ની નીતિ કહે છે દા.ત., એક ગરીબ ખેડૂતને ખેતીની પ્રવૃત્તિ માટે ખૂબ
નીચા દરે ધિરાણ આપવામાં આવે છે, તો પૈસાદાર વ્યક્તિઓને ઘર કે કાર ખરીદવા માટે ખૂબ ઊંચા દરે
ધિરાણ મળે છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here