varsha ritu nibandh in gujarati

0
5464
varsha ritu nibandh in gujarati
varsha ritu nibandh in gujarati

varsha ritu nibandh in gujarati     

વર્ષાઋતુ

ગ્રીષ્મ ઋતુના પ્રખર આતપથી  કંટાળેલું જનજીવન વર્ષા ઋતુનું આગમન થતાં ની સાથે જ કંઈક હળવાશ અનુભવે છે.    હાશ ! અનુભવે છે. ગ્રીષ્મ આકરા તાપની ઋતુ છે ,

ગરમીથી  સમગ્ર સૃષ્ટિ  ત્રાસી જાય છે. ઉનાળાની ગરમી, લૂ , અને યાતના સહન કર્યા પછી ઠંડો પવન, શીતળતા અને ઝરમર વરસાદને પરિણામે સમગ્ર માનવજાત સુખ, શાંતી અને રાહતનો અનુભવ કરે છે.

 ‘ ઉફ ‘ આ  ગરમીથી તો તોબા ! નું રટણ  રટતો માનવ સમુદાય, હાશ !

નિરાંત થઈ  ! નું રટણ કરતો થઈ  જાય છે . વૈશાખ જેઠ માસ પૂરા થયા ,અને તપ ગરમીનું સામ્રાજ્ય ઓસરી ગયું.

બધી ઋતુ વર્ષા ની ઉપયોગીતા સૌથી વિશેષ છે .વસંતની સૃષ્ટિ શોભાથી  કે શરદની શીતળતા થી જીવન ની ભુખ નથી ભાંગતી .દીન ,દરિદ્ર, દુઃખી અને ભૂખ્યા લોકોને વર્ષા આશીર્વાદરૂપ  છે .

વેરાન જમીનમાં અનાજના ઢગલા કરવાની  વર્ષામાં તાકાત છે . વર્ષા પ્રેયસી નથી, માતા છે .કલ્યાણકારી   ભાવના વર્ષામાં છે, જીવનને ભર્યુંભર્યું બનાવનારી વર્ષાઋતુ પ્રકૃતિના સર્જનનો ઉલ્લાસ છે.

તે સુજળ ,સફળ અને શીતલ છે. તેનું ધાવણ ધાવી પૃથ્વી  ખીલી ઊઠે છે. મનુષ્યો માટે અન્ન , પશુઓ માટે ઘાસ અને પક્ષીઓ માટે ફળફળાદિ વર્ષા જ આપે છે .વર્ષા અન્નપૂર્ણા દેવી છે.

કવિઓએ અને કુદરતપ્રેમીઓએ  જેને ‘ મહારાણી’ કહી છે તે વર્ષાઋતુ સૃષ્ટિનું સૌભાગ્ય ,માનવજીવનની ગંગોત્રી ,જીવન માત્રનો આધાર , દેશની ભાગ્યવિધાત્રી અને આપણી એ અન્નપૂર્ણા છે.

“Rainy season is queen of all seasons”

ઉનાળાના આકરા અને અસહ્ય તાપ પછી સમયસર વર્ષાના. વધામણાં  થતાં જ પ્રકૃતિમાં પ્રાણ પુરાય જાય છે . નદી ,સરોવર ,કૂવા ,વાવ ,તળાવો ,નાળા, ઝરણાને જળાશયો પાણીથી છલકાઈ જાય છે.

ઉનાળાની  નિષ્પ્રાણ  ને સૂકી ધરતી  વરસાદમાં નાહીને લીલીછમ બની જાય છે ને સમગ્ર  કુદરતમાં નવી તાજગી પ્રસરી જાય છે. વનોની     વનસ્પતિ , વૃક્ષો 

નવપલ્લવિત થઈ  વરસાદના તોફાની પવન સાથે ડોલી ઊઠે છે.

ધરતીએ જાણે લીલી ચુંદડી ધારણ કરી હોય કે ધરતી પર જાણીને નીલમના ગાલીચા પથરાઈ ગયા હોય એવી શોભા ચોતરફ વધી જાય છે.

“વર્ષા આવી વર્ષા આવી ધન-ધાન્યની પતરાળી લાવી”.


varsha ritu nibandh in gujarati

દૂર  દૂર ગગન માં  વાદળો ના ગડગડાટ અને વીજળીના ચમકાર શરૂ થઈ જાય છે. પવનના સુસવાટા સાથે મેઘરાજાની ભવ્ય સવારી આવી  પહોંચે છે .વરસાદ 

વરસવા  માંડે એક કે સર્વત્ર આણંદ મોજું ફરી વળે છે. બાળકો વરસાદના પાણીમાં છબછબીયા કરી ગીત ગાય છે,

 

              ‘આવ રે વરસાદ ઢેબરીયો પરસાદ ,

                             ઉની ઉની રોટલી ને કારેલાનું શાક’ .


મોર કળા કરે છે ,નાચે છે અને એના ટહુકા થી સમગ્ર વાતાવરણ સંગીતમય બની જાય છે .કોયલની કુક અને દેડકાનું ‘ ડ્રાઉ ….ડ્રાઉ …:વર્ષાનું સ્વાગત કરી વાતાવરણ આહલાદક બનાવી મૂકે છે .ભીની માટીની સુવાસ આપણને તરબતર કરી દે છે.

વર્ષા કલ્યાણકારી છે અને સાથે સાથે તેની સૌંદર્ય શોભા પણ તે ઊતરે તેમ નથી. વર્ષા ઋતુમાં પ્રકૃતિ આનંદમય થઈ જાય છે. પવન  ગાંડોતૂર થાય ,વૃક્ષો પવન ના હીંચકે હિંડોળા ખાય ,બપૈયા અને તેના સ્વાગતગીત ગાય,

ત્યારે આકાશમાં થતી અંધારી રાતની મેઘગર્જના ,વિજળીનો ચમકાર અને મોરલીના ટહુકાર આકાશમાં કોઈ મહાયુદ્ધ થઈ રહ્યું હોય એવો ભાસ પેદા કરે છે.


varsha ritu nibandh in gujarati

ઇન્દ્ર ધનુષ્યની સતરંગી શોભા પ્રકૃતિમાં રહેલ આ રંગોનો પરિચય કરાવે છે. ભૂમિ સર્વત્ર જળબંબાકાર થઈ જાય છે. નદીઓ   ઉન્માદી યૌવન ધારણ કરે છે અને ક્યારેક સંયમયની પાળ તોડી વિનાશ પણ સર્જે છે.

પશુ પંખીઓ પણ વર્ષામાં સ્નાન ની મજા માણે છે .માનવ જીવન સુખ અને  આનંદ માણવા ઉત્સવ અને મેળા યોજે છે, ધાર્મિક પર્વો ઉજવે છે અને ઈશ્વરના આ ઉપકાર પ્રત્યે  પોતાની કૃતકૃત્ય તા નો અનુભવ કરે છે.

ઋતુરાજ વસંત છે, તો  ઋતુરાણી વર્ષા છે .વર્ષા ની ઉદારતા વિશાળતા અને કવિતા કારી વૃત્તિનો જગમાં જોટો નહીં  જડે .એટલે તો વર્ષાને ‘ મેઘરાજ ‘ ની ઉપમા આપી છે માનવજીવનની પ્રાથમિક જરૂરિયાતો મેળવવામાં વર્ષા ઘણી ઉપયોગી  ઋતુ છે.

વરસતા વરસાદમાં બહાર નીકળી ભજીયા અને ચાનો આનંદ માણવા સૌ કોઈ ઉપડી પડે છે .લોકો છત્રી ઓઢીને   કે રેઇનકોટ પહેરીને જાય છે .પવનની સાથે વરસાદ હોય ત્યારે છત્રી ને ‘કાગડો ‘બનતી જોવાની ખૂબ મજા પડે છે.

વરસાદમાં નહાવાની  ખૂબ મજા આવે છે. નદી નાળા તળાવ, પાણીથી ભરાઈ જાય છે , વૃક્ષો  આનંદથી નાચી ઉઠે છે, ખીલી ઊઠે છે .

કાગડોળે વરસાદની રાહ જોતા ધરતીપુત્ર ખેડૂતો ખેતીના કામમાં લાગી જાય છે વાવણી કરે છે અને થોડા દિવસો પછી તો ધરતી લીલીછમ બની જાય છે.ધરતી માતા એ જાણે લીલી સાડી પહેરી હોય તેવું સુંદર દ્રશ્ય રચાય છે ખેતરોમાં હરિયાળો પાક લહેરાવા લાગે છે .

વર્ષાઋતુ એટલે મજા માણવાની ઋતુ ,આનંદની ઋતુ તેમજ અવનવા તહેવારોની ઋતુ ,રક્ષાબંધન ,જન્માષ્ટમી ,ગણેશ ચતુર્થી ,પર્યુષણ, સ્વાતંત્ર્ય દિન ,નવરાત્રિ જેવા તહેવારો આ ઋતુમાં જ આવે છે.

ઉત્સવપ્રિય લોકો આ બધા તહેવારો આનંદથી ઉજવે છે.

વર્ષાનો વૈભવ ભલે અનેરો હોય કે તેની શોભાને  સૌંદર્ય ભલે ઋતુરાજ વસંત કરતાય શ્રેષ્ઠ હોય પરંતુ જો તેનો વૈભવ અતિવૃષ્ટિ આદરી વિકરાળ રૂપ ધારણ કરે ત્યારે મહાવિનાશ જાય છે .

‘જે પોષતું તે મારતું’ એવો દિસે ક્રમ કુદરતી ના નિયમ અનુસાર વર્ષા  વિનાશક બને ત્યારે જનજીવન છિન્નભિન્ન થઇ જાય છે. જાનમાલની પારાવાર હાનિ થાય છે. અતિવૃષ્ટિથી ખેતરોમાં મબલખ પાક નો નાશ કરીને કે ,

નદીઓમાં વિનાશક ઘોડાપૂર લાવી ,બંધો છલકાવી દેતી વર્ષાઋતુ કેટલીકવાર જનસૃષ્ટિ માટે પ્રલયકારી બની જાય છે.

અતિવૃષ્ટિથી ગામના ગામ  ડૂબી જાય છે ,મહાનગરો ભયમાં  મુકાય છે ,ઘરવખરી તણાઈ જાય છે, પશુ-પંખીઓની દશા બગડે છે, ગામના કે શહેરના રસ્તા ધોવાઇ જાય છે ,વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, તાર ટપાલ  ને બસ સેવા ખોરવાઈ જાય છે.

પંદરમી ઓગસ્ટ વિશે નિબંધ


કરોડો રૂપિયાનું નુકસાન થાય છે. જુના ખખડધજ મકાનો  ભોંય ભેગા થઈ જાય છે, ને પૂર સાથે વાવાઝોડાથી તોતિંગ વૃક્ષો જમીનદોસ્ત થઇ જાય છે.

આમ, પ્રાણીઓના પ્રાણ સમો  વરસાદ જરૂર પૂરતો વરસે તો બધાને અમૃત  જેવો મીઠો લાગે ;પણ જો હદ કરતાં વધુ વરસે  તો મોતનો મહાસાગર બની સર્વત્ર વિનાશ વેરે છે.

ખરેખર વર્ષાઋતુ અન્નપૂર્ણા છે .તેનું જ પ્રાકૃતિક સૌંદર્ય અનોખું અને અનુપમ છે. તેના વગર ચેતન સૃષ્ટિને ચેતનવંતી રાખવી મુશ્કેલ છે. તેનું મહત્વ ખુબ જ છે.

આથી જ કવિઓએ તેને ‘ ઋતુઓની રાણી ‘ કહી છે. વરસાદના સુંદર રૂપ વિશે કવિ બાલમુકુંદ દવે કહે છે કે,

 

        “આ શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલો જી,

                પેલાં રેલી ચાલ્યાં રૂપ કોઈ ઝીલો જી”.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here