પાઠ- 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે?

0
1308
STD 10 SCIENCE

સજીવ પ્રજનન શા માટે કરે છે ? 

 

  • વાસ્તવમાં પોષણ, શ્વસન અથવા ઉત્સર્જન જેવી જરૂરી જૈવિક ક્રિયાઓની માફક કોઈ વયસ્ક પ્રાણી (સજીવ)ને જીવિત રહેવા માટે પ્રજનનની ક્રિયા જરૂરી નથી.

 

  • સજીવો પ્રજનન દ્વારા પોતાના જેવી જ સંતતિ નું નિર્માણ કરે છે.

 

  •  આપણને વિવિધ સજીવ એટલા માટે દ્રષ્ટિગોચર થાય છે, કારણ કે તેઓ પ્રજનન કરે છે. જો તે સજીવ એકલો હોય અને કોઈ પણ પ્રજનન દ્વારા પોતાના જેવા જ સજીવની ઉત્પત્તિ ન કરી શકે તો આપણને તેના અસ્તિત્વની પણ ખબર ન પડે. 

 

  • કોઈ જાતિમાં મળી આવતા સજીવોની વિશાળ સંખ્યા જ આપણને તેમના અસ્તિત્વની જાણકારી આપે છે. 

 

   આમ પ્રજનન ની  ક્રિયા દ્વારા દરેક જાતિ નું જીવ સાતત્ય જળવાઈ રહે છે.


સજીવો પ્રજનન દ્વારા  પૂર્ણ રૂપે કેવી રીતે પોતાની આબેહૂબ  પ્રતિકૃતિનું સર્જન કરે છે? 

  •  વિવિધ સજીવોની સંરચના, આકાર (કદ) તેમજ આકૃતિ સમાન હોવાને કારણે જ તે સમાન જોવા મળે  છે.
  • શરીરની સંરચના સમાન હોવા માટે તેમની  બ્લુપ્રીન્ટ પણ સમાન હોવી જોઈએ. આમ, મૂળભૂત રીતે પ્રજનન કરવુ એટલે સજીવની સંરચનાની બ્લુપ્રીન્ટ  તૈયાર કરવાની ક્રિયા છે.
  • કોષના કોષ કેન્દ્રમાં રહેલાં રંગસૂત્રોના DNA (ડીઓક્સી રિબોન્યુક્લિઇક એસિડ)ના અણુઓમાં આનુવંશિક લક્ષણોનો સંદેશ હોય છે. 
  •   જે  પિતૃ તરફથી સંતતિમાં આવે છે. 
  • કોષના કોષકેન્દ્રમાં રહેલ DNA માં પ્રોટીન સંશ્લેષણ હેતુ માહિતી હોય છે. 
  • આ સંદેશ અલગ હોવાની સ્થિતિમાં નિર્માણ કે સંશ્લેષણ પામતો પ્રોટીન પણ ભિન્ન હોય છે. ભિન્ન (અલગ) પ્રોટીન પરિવર્તિત (બદલાયેલ) શારીરિક સંરચના તરફ દોરી જાય છે.
  • આમ, પ્રજનનની મૂળભૂત ઘટના DNAની પ્રતિકૃતિ બનાવવાની છે. DNAની પ્રતિકૃતિ બનાવવા માટે કોષો વિવિધ રાસાયણિક ક્રિયાઓનો ઉપયોગ કરે છે. 
  • જે પ્રજનન કોષમાં DNAની બે  પ્રતિકૃતિઓ બનાવે છે અને તેઓનું એકબીજાથી અલગ હોવું જરૂરી છે.
  • એક જ જાતિના સજીવોમાં ખાસ DNA હોય છે અને તે પ્રજનનની ક્રિયા દ્વારા આગામી પેઢીમાં વારસા સ્વરૂપે મળે છે.
  • DNA પ્રતિકૃતિ ની પ્રક્રિયા માં કેટલી ભિન્નતા હોઈ શકે છે.નિર્માણ પામનાર DNAની પ્રતિકૃતિઓ એક સમાન તો હશે પણ તે મૂળ DNAને સમરૂપ ન હોય.
  • આથી સજીવો થોડી ભિન્નતા સાથે તેમની આબેહૂબ પ્રતિકૃતિઓનું નિર્માણ કરે છે.

 

Q – કોષવિભાજન ફક્ત DNA પ્રતિ કૃતિના સર્જન પૂરતું નથી- સમજાવો અથવા કોષીય પ્રજનન પર ટૂંકનોંધ લખો.

કોષીય પ્રજનન એટલે કોષ વિભાજન.

  • પ્રજનનની મૂળભૂત ઘટના DNAની પ્રતિકૃતિ બનાવવાની છે.
  •  DNAની પ્રતિકૃતિ બનાવવા માટે કોષો વિવિધ રાસાયણિક ક્રિયાઓનો ઉપયોગ કરે છે. 
  • જે પ્રજનન કોષમાં DNAની બે  પ્રતિકૃતિઓ બનાવે છે અને તેઓનું એકબીજાથી અલગ હોવું જરૂરી છે.
  • DNA ની પ્રતિકૃતિ બનાવવાની સાથે સાથે બીજી કોષીય સંરચનાઓનું સર્જન પણ થાય છે.
  • તેના પછી DNA ની પ્રતિકૃતિઓ અલગ થઈ જાય છે.
  • આ રીતે કોષવિભાજન દ્વારા બે બાળકોષોનું  નિર્માણ થાય છે.
  • તેથી કોષવિભાજન ફક્ત DNA પ્રતિકૃતિના સર્જન પૂરતું નથી.

Q-  કોષીય પ્રજનન અને તે દરમિયાન ભિન્નતા નો ઉદ્ભવ સમજાવો.

  • કોષ વિભાજન દ્વારા ઉત્પન્ન થતા બે બાળકો સંપૂર્ણ રીતે સમરૂપ છે કે નથી તે એ વાત પર નિર્ભર છે કે પ્રતિકૃતિ ની પ્રક્રિયાઓ કેટલી ચોકસાઇથી સંપાદિત થાય છે.
  • કોઈપણ જૈવ રાસાયણિક પ્રક્રિયા સંપૂર્ણપણે વિશ્વસનીય હોતી નથી.
  • DNA પ્રતિકૃતિ ની પ્રક્રિયા માં કેટલીક ભિન્નતા હોઈ શકે છે.
  • પરિણામરૂપે નિર્માણ પામનારા DNA ની પ્રતિકૃતિઓ એક સમાન તો હશે પરંતુ મૂળ DNA ને સમરૂપ ન હોય.
  • કેટલીક ભિન્નતાઓ એટલી ઝડપી અને તીવ્ર હોય કે DNA  ની નવી પ્રતિકૃતિ પોતાના કોષીય સંગઠનની સાથે સમાયોજિત થઇ શકે નહીં.
  • આ પ્રકારની સંપત્તિ કે બાળ કોષ  મૃત્યુ (નાશ) પામે છે.
  • બીજી બાજુ DNA  પ્રતિકૃતિ ની અનેક વિભિન્નતાઓ એટલી બધી ઝડપી હોતી નથી.
  • આમ બાળકોષો સમાન હોવા છતાં કોઈને કોઈ સ્વરૂપમાં એકબીજાથી ભિન્ન હોય છે.

પ્રજનનમાં થનારી આ ભિન્નતાઓ જૈવ વિકાસ ઉદ્વિકાસનો આધાર છે.

ભિન્નતાનું મહત્વ 

  • પોતાની  પ્રજનનક્ષમતાનો ઉપયોગ કરી સજીવોની વસ્તી યોગ્ય નિવસનતંત્રમાં સ્થાન અથવા વસવાટ પ્રાપ્ત કરે છે. 
  •    પરંતુ, વસવાટમાં અનેક પરિવર્તન આવી શકે છે. જે સજીવોના નિયંત્રણમાં હોતું નથી.
  •  પૃથ્વીનુ તાપમાન ઓછા કે વધારે થઈ શકે છે. પાણીના સ્તરમાં પરિવર્તન અથવા કોઈ ઉલ્કાની અથડામણ તેના કેટલાક ઉદાહરણ છે. 
  • જો એક વસ્તી કોઈ વસવાટને અનુકૂળ છે અને આ વસવાટમાં કેટલાક અતિ ઝડપી પરિવર્તન આવે તો આવી અવસ્થામાં વસ્તીનો સંપૂર્ણ વિનાશ થવાની પણ સંભાવના છે. 
  •   તેમ છતાં જો આ વસ્તીના થોડા સજીવોમાં કેટલીક ભિન્નતા આવેલી હશે.તેઓ જીવતા  રહેવાની કેટલીક સંભાવના ધરાવે છે. 
  • આમ, જો શીતોષ્ણ પાણીમાં મળી આવનારા જીવાણુઓની વસ્તી  હોય અને વૈશ્વિક ઉષ્મીકરણ (Global Warming)ના કારણે પાણીનું તાપમાન વધી જાય તો મોટા ભાગના આ જીવાણુઓ મરી  જશે. 

પરંતુ તાપમાન પ્રતિરોધી ક્ષમતા ધરાવનારા  કેટલાક પરાવર્તક જીવાણુઓ જીવીત રહી શકે અને વૃદ્ધિ કરી શકે. આમ, ભિન્નતાઓ જાતિની જીવિતતા માટે ઉપયોગી છે.

Intext પ્રશ્નો

 

DNA પ્રતિકૃતિનું પ્રજનનમાં શું મહત્વ છે?

  • સંતતિ ઓમા આનુવાંશિક માહિતીના વહન માટે.
  • DNA ના ફેરફારને કારણે પ્રજનનમાં સર્જાતી ભિન્નતાઓ જાતિના ઉદવિકાસ નો આધાર બને છે.

 

સજીવોમાં ભિન્નતા જાતિઓ માટે તો લાભદાયક છે પરંતુ વ્યક્તિગત રીતે આવશ્યક નથી કેમ?

 

  • DNA પ્રતિ કૃતિના સર્જન ની ક્રિયા કેટલીક ભિન્નતાઓ દર્શાવી શકે છે.
  •  ભલે આ ભિન્નતાઓ વ્યક્તિગત રીતે ઉપયોગી ન હોઈ શકે, પરંતુ જો આ લાંબા સમયગાળા માટે એકત્રિત થતી રહે તો જાતિમાં ફેરફારનું કારણ બને છે.
  • આ ફેરફારો ઉદવિકાસ પ્રેરક બની શકે છે.

 

ભાજન એટલે શું?  ભાજનના વિવિધ પ્રકાર સમજાવો.

એક કોષીય સજીવોમાં કોષવિભાજન અથવા ભાજન દ્વારા નવા સજીવોની  ઉત્પત્તિ થાય છે.કોષ વિભાજન ની પ્રજનન ક્રિયા ને ભાજન કહે છે.

ભાજનના બે પ્રકારો છે : દ્વિભાજન અને બહુ ભાજન

દ્વિભાજન: ઘણા જીવાણુ ઓ  અને પ્રજીવોનું કોષ વિભાજન દ્વારા બે સરખા ભાગમાં વિભાજન થાય છે.

અમીબા જેવા સજીવો માં કોષવિભાજન કોઈપણ સમતલ માં થઈ શકે છે.

કેટલાક એકકોષીય સજીવો માં શારીરિક સંરચના વધારે સંગઠિત થયેલી હોય છે ઉદાહરણ તરીકે કાલા અઝર ના રોગ કારક લેસ્માનિયમાં  કોષના એક છેડા પર ચાબુક જેવી સૂક્ષ્મ સંરચના હોય છે.

આવા સજીવોમાં દ્વિભાજન એક નિયત સમતલમાં જ થાય છે.

 

બહુ ભાજન: મેલેરિયાના પરોપજીવી પ્લાઝમોડિયમ જેવા અન્ય એક કોષીય સજીવ એક સાથે અનેક સંપત્તિ કે બાળકોષોમાં વિભાજીત થાય છે જેને બહુ ભાજન કહે છે.

 

અવખંડન (Fragmentation):-

સરળ સંરચનાવાળા બહુકોષીય સજીવોમાં પ્રજનન સરળ રીત કાર્ય કરે છે.

ઉદાહરણ તરીકે  સ્પાયરોગાયરા સામાન્યતઃ વિકાસ પામીને નાના-નાના ટુકડામાં અવખંડીત થઈ જાય છે.

આ ટુકડા અથવા ખંડ વૃદ્ધિ પામીને નવા સજીવમાં વિકાસ પામે છે. 

   પુનર્જનન(Regeneration) 

 

  •   પૂર્ણ સ્વરૂપે વિભેદિત સજીવોમાં પોતાના વાનસ્પતિક ભાગોમાંથી નવા સજીવનું નિર્માણ કરવાની  ક્ષમતા હોય છે. 
  • એટલે કે જે કોઈ કારણે સજીવના ખંડો ને ટુકડાઓ થઈ જાય છે અથવા કેટલાક ટુકડાઓમાં તૂટી જાય છે તો તેના અનેક ટુકડા વૃદ્ધિ પામીને નવા સજીવમાં વિકાસ પામે છે.
  •  ઉદાહરણ તરીકે હાઇડ્રા અને પ્લેનેરિયા જેવા સરળ પ્રાણીઓને જો કેટલાક ટુકડાઓમાં વિભાજિત કરવામાં આવે તો પ્રત્યેક ટુકડા વિકાસ પામીને સંપૂર્ણ સજીવમાં પરિણમે છે. આ ને પુનર્જનન કે પૂનઃ જનન (પુનર્જન્મ) કહેવાય છે. 
  • આ કોષોના ક્રમ-પ્રસરણથી અનેક કોષો બને છે. કોષોના આ સમૂહથી પરિવર્તન દરમિયાન વિવિધ પ્રકારના  કોષો તેમજ પેશી બને છે. 
  •  પુનર્જનન અને પ્રજનન સમાન નથી તેનું કારણ એ છે કે પ્રત્યેક સજીવના કોઈ પણ ભાગને કાપીને કે તોડી ને સામાન્યતઃ નવો સજીવ ઉત્પન્ન કરી શકાય નહિ.


કલિકાસર્જન (Budding):- 

  • હાઇડ્રા જેવા કેટલાક પ્રાણીઓ પુનર્જનનની ક્ષમતાવાળા કોષોનો ઉપયોગ કલિકાસર્જન માટે કરે છે.
  • હાઇડ્રામાં કોષોનું વારંવાર વિભાજન થવાને કારણે એક સ્થાન ઉપસી આવે છે અને તે ભાગ  (ઉપસેલો) વિકાસ પામે છે.
  • આ ઉપસેલો ભાગ એટલે કલિકા જે વૃદ્ધિ પામીને બાળ સજીવમાં ફેરવાય છે અને પૂર્ણ વિકાસ પામતા પિતૃથી અલગ થઈ સ્વતંત્ર જીવ (પ્રાણી) બને છે.


વાનસ્પતિક પ્રજનન (Vegetative Propagation/Vegetative Reproduction):- 

  • ઘણી એવી વનસ્પતિઓ છે કે જેના કેટલાક ભાગ જેવા કે મૂળ, પ્રકાંડ અને પર્ણો યોગ્ય સાનુકૂળ પરિસ્થિતિઓમાં વિકાસ પામીને નવા છોડને ઉત્પન્ન કરે છે. તેને વાનસ્પતિક પ્રજનન કહે છે.
  • કલમ, દાબ કલમ અને આરોપણ જેવી વાનસ્પતિક પ્રજનન તકનિકનો ઉપયોગ ખેતીવાડી (કૃષિ)માં પણ થાય છે. 
  • શેરડી, ગુલાબ કે દ્રાક્ષ તેના કેટલાક ઉદાહરણો છે. વાનસ્પતિક પ્રજનન દ્વારા વનસ્પતિઓને ઉગાડવા કે ઉછેરવા માટેનો સમય, બીજ દ્વારા ઉગાડેલા છોડની તુલનામાં પુષ્પ તેમજ ફળ ઓછા સમયમાં આવવા લાગે છે. 
  • આ પદ્ધતિ કેળા, નારંગી, ગુલાબ તેમજ મોગરા જેવી વનસ્પતિઓને ઉગાડવા માટે ઉપયોગી છે, તે બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા ગુમાવી દે છે. 

વાનસ્પતિક પ્રજનનનો બીજો લાભ એ પણ છે કે, આ પ્રકારે ઉત્પન્ન થયેલી બધી વનસ્પતિઓ આનુવંશિક રીતે પિતૃ વનસ્પતિને સમાન હોય છે.

પાનફૂટી ( પર્ણ ફૂટી) ના છોડની અલિંગી પદ્ધતિ:

  • પાનફૂટી ( પર્ણ ફૂટી) ના પર્ણો ની કિનારી ની ખાંચોમાં કલિકાઓ ઉત્પન્ન થાય છે. 
  • આ કલિકા ઓ જમીન પર ખરી પડે ત્યારે અંકુરણ પામી નવા છોડ તરીકે વિકાસ પામે છે કેટલીક વખત કલિકા વિકાસ પામી પર્ણ કિનારી ની ખાંચમાં જ નવો છોડ વિકાસ પામે છે. 

 

બીજાણુ-નિર્માણ (Spore Formation):-(રાઇઝોપસ માં બીજાણુ-નિર્માણ)

  • અનેક સરળ બહુકોષીય સજીવોમાં પણ વિશિષ્ટ પ્રજનન સંરચના જોવા મળે છે. 
  • બ્રેડ પર તંતુ જેવી કેટલીક સંરચના વિકાસ પામેલી હોય છે. આ રાઇઝોપસ  ફૂગની જાળી રૂપ રચના છે. તે પ્રજનનનો ભાગ નથી. 
  • પરંતુ ઉર્ધ્વસ્થતંતુઓ પર સૂક્ષ્મ ગોળાકાર સંરચનાઓ પ્રજનનમાં ભાગ લે છે. આ ગોળાકાર ગુચ્છ જેવી રચના, બીજાણુધાની છે, 
  • જેમાં વિશિષ્ટ કોષો અથવા બીજાણૂ મળી આવે છે.આ બીજાણુ વૃદ્ધિ પામીને રાઇઝોપસના એક નવા સજીવની રચના ઉત્પન્ન કરે છે. 
  • બીજાણુની ચારેય તરફ એક જાડી દીવાલ હોય છે, જે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં તેનું રક્ષણ કરે છે. 
  • ભેજયુક્ત સપાટીના  સંપર્કમાં આવતાની સાથે જ તે વૃદ્ધિ પામવાની શરૂઆત કરી લે છે અથવા વૃદ્ધિ પામે છે.

આ  બધી  પદ્ધતિઓમાં સંતતિનું  સર્જન માત્ર એક જ સજીવ દ્વારા થાય છે આને અલિંગી પ્રજનન કહે છે.

 

Intext પ્રશ્નો

દ્વિભાજન એ બહુભાજન થી કેવી રીતે ભિન્ન છે ?

 વિભાજનમાં પિતૃ કોષ બે બાળસજીવ કોષમાં વિભાજન પામે છે.દા.ત. અમીબા

બહુ ભાજનમાં એકકોષી સજીવ એક જ સમયે ઘણા બાળકોષોમાં વિભાજન પામે છે.દા.ત. પ્લાઝ મોડિયમ

બીજાણું  દ્વારા પ્રજનન થી સજીવને કેવી રીતે લાભ થાય છે?

 

  • પ્રતિકૂળ પરિસ્થિતિમાં બીજાણુ  જાડી રક્ષણાત્મક દિવાલથી આવરિત હોય છે.
  • તે પ્રતિકૂળ પરિસ્થિતિમાં અસ્તિત્વ જાળવી રાખવા માટે મદદરૂપ છે.
  • બીજાણુ લાંબા અંતર સુધી વિકિરણ પામે છે.
  • સાનુકુળ પરીસ્થિતી પ્રાપ્ત થાય ત્યારે જ બીજાનો અંકુરણ પામે છે.

આ રીતે બી જાણું  દ્વારા પ્રજનન થી સજીવને લાભ થાય છે.

જટિલ સંરચના વાળા સજીવો પુનર્જનન દ્વારા નવી સંતતિ શા માટે ઉત્પન્ન કરી શકતા નથી? 

  • જટિલ સજીવો વિવિધ પેશીઓ અને વિવિધ અંગો ધરાવે છે.
  • તેમાં વિવિધ કોષ  પ્રકારો વિવિધ ચોક્કસ રીતે કાર્ય કરે છે.
  • આ વિશિષ્ટ પેશીઓ અને અંગો ને લીધે જટિલ સજીવોમાં પુનર્જનન ક્ષમતા દૂર થઈ જાય છે.
  • વળી, જટિલ સજીવોમાં પુનર્જનન માટેના વિશિષ્ટ કોષો હોતા નથી.

 

કેટલીક વનસ્પતિઓ નો ઉછેર કરવા માટે વાનસ્પતિક પ્રજનન નો ઉપયોગ શા માટે કરવામાં આવે છે?

  • બીજ દ્વારા ઉછેરાતી વનસ્પતિઓની સરખામણીએ વાનસ્પતિક પ્રજનન કરતી વનસ્પતિઓમાં વહેલા પુષ્પ અને ફળ આવે છે.
  • જે વનસ્પતિઓ એ બીજ નિર્માણ ક્ષમતા ગુમાવી દીધી હોય તેમનો પણ ઉછેર કરી શકાય છે.
  • તેમજ પેઢી દર પેઢી ઉપયોગી લક્ષણો પણ જાળવી શકાય છે.

DNA ની પ્રતિકૃતિ બનાવવી પ્રજનન માટેની આવશ્યકતા કેમ છે?

  • પિતૃની સમગ્ર જનીનીક માહિતી તેમની બાળ પેઢી માં  DNA દ્વારા વહન પામે છે.
  • કોષ કેન્દ્ર માં રહેલ DNA પ્રોટીન સંશ્લેષણ નો સ્ત્રોત છે.
  • પ્રોટીન શારીરિક સંરચના માટે જરૂરી છે.

લિંગી પ્રજનન (Sexual Reproduction)

સંતતિ ઉત્પન્ન કરવાના હેતુએ બે વ્યક્તિઓની ભાગીદારી હોય છે, ન તો આખલો વાછરડાને જન્મ આપી શકે છે અને ન તો એકલી મરઘીથી નવા મરઘાના બચ્ચાની ઉત્પત્તિ થઈ શકે છે. આવા સજીવોને નવી સંતતિ ઉત્પન્ન કરવા માટે નર  તેમજ માદા, બંને લિંગોની જરૂરીયાત હોય છે. 

લિંગી પ્રજનન લિંગી પ્રજનન થી  કેવી રીતે ભિન્ન છે ? અલિંગી પ્રજનનની મર્યાદાઓ જણાવો.

  • એક જ પિતૃ દ્વારા પ્રજનન કોષો વગર નવા સજીવનું  નિર્માણ કરવામાં આવે તો તેને અલીંગી પ્રજનન કહેવાય.
  • જ્યારે જે પ્રજનન પદ્ધતિમાં નવા સજીવ ના નિર્માણ માટે નર અને માદા એમ  બંને જાતિના પિતૃ સંકળાયેલા હોય તો તેને લિંગી પ્રજનન કહેવાય.

અલિંગી પ્રજનન ની મર્યાદાઓ:

 

  • અલિંગી પ્રજનન માં વિવિધતા સર્જાતી નથી.
  • વસ્તીનો નિયંત્રણ પણ થતું નથી.
  • વારસામાં એક જ પિતૃના લક્ષણો પ્રાપ્ત થાય છે.
  • વસવાટ સ્થાન ઝડપથી ભરાઈ જાય છે.
  • સજીવ નું નિર્માણ ખૂબ જ ઝડપથી અને મોટી સંખ્યામાં થાય છે.

 

પુષ્પ એટલે શું? પુષ્પના પ્રજનન ભાગો અને તેના આધારે પુષ્પના પ્રકાર  સમજાવો.

સપુષ્પી વનસ્પતિઓ મુખ્યત્વે આવૃત બીજધારી ઓના લિંગી પ્રજનન અંગને પુષ્પ કહે છે.

પુષ્પના ભાગો: પુંકેસર અને સ્ત્રીકેસર પુષ્પના પ્રજનન ભાગો છે. આ ઉપરાંત દલપત્ર અને વજ્ર પત્ર હોય છે.

પુંકેસર: તે નર પ્રજનન ભાગ છે. તે તંતુ અને પરાગાશય નો બનેલો છે.

સ્ત્રીકેસર: તે માદા પ્રજનન ભાગ છે. તેના ત્રણ ભાગો છે 

અંડાશય, પરાગવાહીની અને પરાગાસન.

પ્રજનનના આધારે પુષ્પના બે પ્રકારો છે: એકલિંગી પુષ્પો અને દ્વીલિંગી પુષ્પો.

એકલિંગી પુષ્પો:જ્યારે પુષ્પ પુંકેસર અથવા સ્ત્રી કેસર ધરાવતું હોય તો તેને એક લિંગી પુષ્પ કહે છે.

દ્વી લિંગી પુષ્પો: જ્યારે પુષ્પ પુંકેસર અને સ્ત્રીકેસર બંને ભાગ ધરાવતું હોય તો તેને દ્વીલિંગી પુષ્પકહે છે.

 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન:-

(Sexual Reproduction in Flowering Plants)

પરાગનયન: 

  • પરાગરજને પુંકેસરમાંથી પરાગાસન સુધી સ્થળાંતર થવાની જરૂરિયાત હોય છે. 
  • જો પરાગરજનું આ સ્થળાંતરણ તે પુષ્પના પરાગાસન પર જ થાય તોતેને સ્વપરાગનયન કહે છે.
  •  પરંતુ એક પુષ્પની પરાગરજ બીજા પુષ્પ પર સ્થળાંતરિત  થાય તો તેને પરપરાગનયન કહે છે. 
  • એક પુષ્પથી બીજા પુષ્પ સુધી પરાગરજનું આ સ્થળાંતરણ હવા, પાણી કે પ્રાણી જેવા વાહકો દ્વારા થાય છે.

ફલન:

  •   પરાગરજને યોગ્ય પરાગાસન પર પહોંચવા ઉપરાંત નર જન્યું કે અંડાશયમાં આવેલા માદાજન્યુ કોષ (અંડકોષ) સુધી પહોંચવું જરૂરી હોય છે. 
  • તેના માટે પરાગરજમાંથી એક નલિકાનો વિકાસ થાય છે અને તે નલિકા પરાગવાહિનીમાં થઈને અંડક કે બીજાંડ સુધી પહોંચે છે. (જેને પરાગનલિકા કહે છે.)
  • પરાગ રજ દ્વારા ઉત્પન્ન થતો નરજન્યું  અંડક માં હાજર રહેલ માદા જન્યું સાથે જોડાય છે. જન્યુ કોષોના આ જોડાણને ફલન કહે છે.

ફલન પછીની ઘટનાઓ: 

  • ફલન પછી,  યુગ્મનજમાં અનેક વિભાજન થાય છે અને અંડકમાં  ભૃણ વિકાસ પામે છે.
  •  અંડક કે બીજાંડમાંથી એક સખત આવરણ વિકાસ પામે છે અને આ બીજમાં પરિવર્તિત થાય છે. 
  • અંડાશય ઝડપથી વૃદ્ધિ પામે છે અને પરિપક્વ થઈને

ફળમાં પરિણમે છે. આ સમયગાળા દરમિયાન વજ્રપત્રો, દલપત્રો અને પુંકેસર, પરાગવાહિની તેમજ પરાગાસન સામાન્ય રીતે કરમાઈ જઈને ખરી પડે છે. 

  •  બીજમાં  ભાવિ વનસ્પતિ અથવા ભ્રૂણ  હોય છે. જે સાનુકૂળ પરિસ્થિતિમાં નવા છોડમાં તેના વિકાસ પામે છે. આ ક્રિયાને કે ઘટનાક્રમ ને અંકુરણ કહે છે.


 માનવમાં લિગી પ્રજનન (Sexual Reproduction in Human Beings):-

ટૂંકનોંધ લખો: કિશોરાવસ્થા ( મુગ્ધાવસ્થા) અથવા 
તરુણાવસ્થા દરમિયાન છોકરી અને છોકરા માં જોવા મળતા જાતીય લક્ષણો ની નોંધ કરો.
  • મુગ્ધાવસ્થા કે કિશોરાવસ્થામાં પ્રારંભિક વર્ષોમાં, કેટલાક એવા પરિવર્તન થાય છે જેને માત્ર શારીરિક વૃદ્ધિ કહી શકાય નહિ.
  • જ્યારે શારીરિક સૌષ્ઠવ બદલાઈ જાય છે. શારીરિક ગુણોત્તર બદલાઈ જાય છે. નવા લક્ષણ આવે છે અને સંવેદનમાં પણ પરિવર્તન આવે છે.
  • આમાથી કેટલાંક પરિવર્તન છોકરા તેમજ છોકરીઓમાં એકસમાન હોય છે.
સામાન્ય ફેરફાર:
  • શરીરના કેટલાક ભાગો જેવી કે બગલ તેમજ  જાંઘોના મધ્ય જનનાંગીય વિસ્તારમાં વાળ ઊગે છે અને તેનો રંગ પણ ઘેરો હોય છે. 
  •  હાથ તેમજ ચહેરા પર પણ નાના રોમ ઊગે છે. ત્વચા સામાન્ય રીતે તૈલી / તેલ યુક્ત બને છે અને ક્યારેક ખીલ પણ ઉદ્ભવે છે. આપણે પોતાની તેમજ બીજાના પ્રત્યે વધારે સજાગ બનીએ છીએ.

બીજી તરફ, કેટલાક એવા પણ પરિવર્તન થાય છે જે છોકરા તેમજ છોકરીઓમાં ભિન્ન હોય છે. 

  • છોકરીઓમાં સ્તનના આકાર (કદ)માં વધારો થાય છે અને સ્તનાગ્રની ત્વચાનો રંગ પણ ઘેરો  બને છે. 
  • આ સમયે છોકરીઓમાં રજોસ્ત્રાવ  થવા લાગે છે.
  • અંડપિંડ અંડકોષ મુક્ત કરવાનું શરૂ કરે છે.
  • છોકરાના ચહેરા પર દાઢી- મૂછ ઉગી આવે છે.
  •  તેમનો અવાજ કર્કશ ને જાડો બને છે.
  •  દીવાસ્વપ્ન અથવા રાત્રિમાં શિશ્ન પણ સામાન્ય રીતે કદમાં વધે અને ટટ્ટાર બને છે.

નર પ્રજનન તંત્ર:-પુરુષનું પ્રજનનતંત્ર.(Male Reproductive System)

  • પ્રજનનકોષ ઉત્પાદિત કરનારા અંગ તેમજ જનનકોષોનું ફલનના સ્થાન સુધી પહોંચાડવાવાળા અંગો, સંયુક્ત સ્વરૂપે નર પ્રજનનતંત્ર બનાવે છે. 
  • નર પ્રજનન કોષ અથવા શુક્રકોષનું નિર્માણ શુક્રપિંડ (વૃષણ)માં થાય છે. આ ઉદરગુહાની બહાર વૃષણકોથળીમાં આવેલા હોય છે. 
  • તેનું કારણ એ છે કે શુક્રકોષના ઉત્પાદન માટે જરૂરી તાપમાન શરીરના તાપમાનથી ઓછું હોય છે. 
  • શુક્રપિંડમાં શુક્ર કોષનું ઉત્પાદન થાય છે તેમજ શુક્રપિંડ નર જાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોનનો પણ સ્ત્રાવ કરે છે.
  • ઉત્પાદિત શુક્રકોષોનો ત્યાગ શુક્રવાહિકાઓ દ્વારા થાય છે. જે મૂત્રાશયથી આવનારી નળીની સાથે જોડાઈને એક સંયુક્ત નળી બનાવે છે. 
  • આમ, મૂત્રમાર્ગ , શુક્રકોષો તેમજ મૂત્ર બંનેના વહનનો સામાન્ય માર્ગ દર્શાવે છે. પ્રોસ્ટેટ અને શુક્રાશય પોતાનો સ્રાવ શુક્રવાહિકામાં ઠાલવે છે. જેથી શુક્રકોષ એક પ્રવાહી માધ્યમમાં આવે છે.
  • તેના કારણે તેનું (શુક્રકોષ નું) સ્થળાંતર સરળતાથી થાય છે. તેની સાથે આ સ્રાવ શુક્રકોષોને પોષણ પણ આપે છે. 
  • શુક્રકોષોએ સૂક્ષ્મ સંરચનાઓ છે જેમાં મુખ્યત્વે આનુવંશિક પદાર્થ હોય છે અને એક લાંબી પૂંછડી હોય છે. જે તેને માદા પ્રજનનકોષની તરફ તરવામાં મદદરૂપ થાય છે.


(b) માદા પ્રજનન તંત્ર (Female Reproductive System):-

  • માદા પ્રજનનકોષો અથવા અંડકોષનું નિર્માણ અંડાશયમાં થાય છે. તે કેટલાક અંત:સ્ત્રાવ પણ ઉત્પન્ન કરે છે, 
  •   છોકરીના જન્મના સમયથી જ અંડાશયમાં હજારો અપરિપક્વ અંડપુટિકાઓ હોય છે. યૌવનારંભમાં તેમાંથી કેટલાક  અંડકોષો પરિપક્વ થવા માંડે છે,
  • બેમાંથી એક અંડપિંડ દર મહિને એક અંડકોષ ઉત્પન્ન કરે છે. પાતળી અંડવાહિની અથવા ફેલોપિયન નલિકા દ્વારા અંડકોષ ગર્ભાશય સુધી જાય છે. 
  • બંને અંડવાહિનીઓ સંયુક્ત બનીને એક નાજુક, સ્થિતિસ્થાપક, નાસપતિના આકાર  જેવી સંરચનાનું નિર્માણ કરે છે જેને ગર્ભાશય કહે છે. 
  • ગર્ભાશય ગ્રીવા દ્વારા યોનિમાં ખુલે છે. મૈથુનના સમયે શુક્રકોષ યોનિમાર્ગમાં દાખલ થાય છે જયાંથી ઉપરની તરફ વહન પામીને અંડવાહિની સુધી પહોંચે છે.
  • જ્યાં અંડકોષની સાથે શુક્રકોષનું સંમિલન થાય.
  • ફલિત અંડકોષનું વિભાજન થવાની શરૂઆત થાય છે અને તે એક કોષોના જથ્થામાં એટલે કે ગર્ભમાં ફેરવાય છે. 
  • આ ગર્ભનું સ્થાપન ગર્ભાશયની દીવાલ પર થાય છે જ્યાં તેનો વિકાસ ચાલુ રહે છે અને તે અંગોનું નિર્માણ કરીને ભ્રૂણ  બને છે. 

ગર્ભસ્થાપન થી બાળ જન્મ સુધીની પ્રક્રિયા સમજાવો.

  • માતાના શરીરની સંરચના બાળકના વિકાસને આધાર આપી શકે તેમ થયેલી હોય છે. 
  • આમ, દરેક મહિને ગર્ભાશય ગર્ભને ધારણ કરવા તેમજ તેના પોષણ માટે પોતાને તૈયાર કરે છે. 
  • આથી ગર્ભાશયનું  અંત:આવરણ વધુ જાડું બને છે તથા વિકસતાં ગર્ભના પોષણ માટે તેને પુષ્કળ રુધિર પ્રવાહ પૂરો  પાડવામાં આવે છે.
  • ભૃણને માતાના રુધિરમાંથી જ પોષણ મળે છે, તેના માટે એક વિશેષ સંરચના હોય છે  જેને જરાયુ (Placenta) કહે છે.
  • આ એક ડિસ્ક કે રકાબી જેવી સંરચના છે. જે ગર્ભાશયની દીવાલમાં જ રહેલી હોય છે. 
  • તેમાં ભૂણની તરફની પેશીમાં પ્રવર્ધ હોય છે. માતાની પેશીઓમાં રુધિર કટોરો હોય છે જે પ્રવર્ધને આચ્છાદિત કરે છે.
  • જે માતાના શરીરમાંથી ભૃણને  ગ્લૂકોઝ, ઑક્સિજન તેમજ અન્ય પદાર્થોના સ્થળાંતર માટે એક વિશાળ પ્રદેશ આપે છે. 
  •  વિકાસશીલ ભૃણ દ્વારા ઉત્સર્ગ પદાર્થો ઉત્પન્ન થાય છે જેનો નિકાલ જરાયુના માધ્યમથી માતાના રુધિરમાં સ્થળાંતરણ દ્વારા થાય છે. 
  • માતાના શરીરમાં ગર્ભને વિકસિત થવા માટે લગભગ 9 મહિના લાગે છે. ગર્ભાશયની પેશીઓના લયબદ્ધ સંકોચનથી બાળક/ નવજાત શિશુનો જન્મ થાય છે.

(c) જ્યારે અંડકોષનું ફલન થતું નથી તો શું થાય છે ?  અથવા માસિક ચક્ર ( ઋતુસ્ત્રાવ) સમજાવો.

  • અંડકોષનું ફલન થતું જ નથી તો તે લગભગ એક દિવસ સુધી જીવિત રહી શકે છે. 
  • અંડાશય કે અંડપિંડ પ્રત્યેક મહિને એક અંડકોષને મુક્ત કરે છે.
  • તેથી ફલિત અંડકોષની પ્રાપ્તિ માટે ગર્ભાશય પણ દર મહિને તૈયારી કરે છે અને તેની અંતઃદીવાલ માંસલ તેમજ જાડી બને છે.
  • જો અંડકોષનું ફલન થાય તો તે સ્થિતિમાં ગર્ભને પોષણ મળવું આવશ્યક છે. પરંતુ ફલન નહિ થવાની પરિસ્થિતિમાં આ આવ૨ણની કોઈ જરૂરિયાત હોતી નથી. 
  •  તેથી આ આવરણ ધીરે-ધીરે તૂટી જઈને યોનિમાર્ગમાંથી રુધિર  તેમજ શ્લેષ્મના રૂપે શરીરમાંથી બહાર ત્યજાય છે.
  •  આ ચક્ર માં લગભગ એક મહિના જેટલો સમયગાળો લાગે છે અને તેને ઋતુસ્ત્રાવ અથવા રજોધર્મ કે માસિક સ્રાવ  કહે છે. લગભગ 2 થી 8 દિવસ સુધી ચાલે છે.


 (d) પ્રાજનનિક સ્વાસ્થ્ય  (Reproductive Health):-

ગર્ભાવસ્થા અટકાવવાના વૈજ્ઞાનિક ઉપાયો સમજાવો.

  • જાતીય સમાગમ કે લૈંગિક ક્રિયા દ્વારા ગર્ભધારણની સંભાવના હંમેશાં રહે છે.
  •  ગર્ભધારણની અવસ્થામાં સ્ત્રીના શરીર તેમજ ભાવનાઓની માંગ તેમજ જરૂરિયાત વધી જાય છે. 
  • પરંતુ જો તે (સ્ત્રી) તેના માટે તૈયાર નથી તો આ ઘટનાથી તેના સ્વાથ્ય પર વિપરીત અસર પડે છે. તેથી ગર્ભધારણ રોકવા માટે અનેક રીતોની શોધ થયેલી છે. 
  • આ ગર્ભવિરોધી ઉપચારો અનેક પ્રકારના હોય છે. એક રીત કે પદ્ધતિ યાંત્રિક અવરોધની છે. 
  • જેમાં શુક્રકોષને અંડકોષ સુધી પહોંચવા દેવામાં આવતો નથી. શિશ્નને ઢાંકનારા નિરોધ અથવા યોનિમાં રાખી શકાય તેવા અનેક સાધનોનો ઉપયોગ કરી શકાય છે.
  •  બીજી રીત કે પદ્ધતિમાં અંતઃસ્ત્રાવોના સંતુલનમાં પરિવર્તનનું છે, જેમાં અંડપતનની ક્રિયા થતી નથી, તેથી ફલન થઈ શકતું નથી. 
  • આ દવાઓ સામાન્ય રીતે ગોળીના રૂપમાં લેવાય છે.  પરંતુ(દવાઓ) અંત:સ્ત્રાવોના સંતુલિતને પરિવર્તિત કરે છે જેથી તેની કેટલીક વિપરીત અસર પણ થઈ શકે છે.
  • ગર્ભધારણને રોકવા માટે કેટલીક અન્ય રીતો કે પદ્ધતિઓ છે જેવી કે, આકડી (Loop), કોપર-T (Copper-T)અને ગર્ભાશયમાં સ્થાપિત કરીને પણ કરી શકાય છે. 
  • પુરુષની શુક્રવાહિનીઓને અવરોધીને શુક્રકોષનું સ્થળાંતર અટકાવવામાં આવે. સ્ત્રીની અંડવાહિની કે ફેલોપિયન નલિકાને અવરોધ ઉત્પન્ન કરીને અંડકોષને ગર્ભાશય સુધી જતો અટકાવવામાં આવે.
  • બંને અવસ્થાઓમાં ફલન થતું નથી. શસ્ત્રક્રિયા (Surgery)  તકનીક દ્વારા આ પ્રકારના અવરોધ ઉત્પન્ન કરી શકાય છે. 
  •  જો કે, શસ્ત્રક્રિયાની તકનીક  ભવિષ્ય માટે સંપૂર્ણતઃ સુરક્ષિત છે.પરંતુ સાવચેતી વગર થયેલી શસ્ત્રક્રિયાથી સંક્રમણ અથવા બીજી અનેક સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે.
  •  શસ્ત્રક્રિયાથી અવાંછિત ગર્ભને દૂર પણ કરી શકાય છે. આ ટેકનીકનો દુરુપયોગ તે લોકો દ્વારા થાય છે કે જેઓ કોઈ વિશિષ્ટ પ્રકારની  જાતિના નવજાત શિશુને ઇચ્છતા નથી.
  •  એવા ગે૨કાયદેસર કાર્ય ખાસ કરીને માદાગર્ભને પસંદગીપૂર્વક  ગર્ભપાત હેતુ કરવામાં આવે છે. 

Intext પ્રશ્નો: 

પરાગનયન ની ક્રિયા ફલનની ક્રિયાથી કેવી રીતે ભિન્ન છે?

પરાગનયન એ  પુંકેસર ના પરાગાશયથી સ્ત્રીકેસર ના પરાગાસન સુધી પરાગ રજ ના સ્થળાંતરની ક્રિયા છે.

જ્યારે ફલન એ  નર જનન કોષની ની માદા જનન  કોષ સાથે સંમિલનની ક્રિયા છે.

 

શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિની ભૂમિકા શું છે?

પ્રોસ્ટેટ ગ્રંથિ અને શુક્રાશયના સ્ત્રાવ શુક્રકોષોના સ્થળાંતરણ ને સરળ બનાવે છે તેમજ શુક્ર કોષોને પોષણ આપે છે.

યૌવનારંભના સમયે  છોકરીઓમાં કયા પરિવર્તનો જોવા મળે છે?

યૌવનારંભના સમયે છોકરીઓમાં સ્તન ગ્રંથિના કદમાં વધારો થાય છે અને  સ્તનાગ્રની ત્વચાનો રંગ ઘેરો બને છે અને ઋતુચક્ર શરૂ થાય છે.

માતાના શરીરમાં ગર્ભસ્થ ભ્રૂણ ને પોષણ કેવી રીતે પ્રાપ્ત થાય છે?

માતાના શરીરમાં ગર્ભસ્થ ભ્રૂણને પોષણ જરાયું વડે પ્રાપ્ત થાય છે જરાયુ ની ભ્રૂણ તરફની પેશી માં આવેલા માં આવેલા રસાંકુર પ્રવર્ધો દ્વારા પણ ભ્રૂણ  માતાના શરીરમાંથી ગ્લુકોઝ ઓક્સિજન અને અન્ય પદાર્થો મેળવે છે.

જો કોઈ સ્ત્રી કોપર T  નો ઉપયોગ કરી રહી છે તો શું આ તેણીનું જાતીય સંક્રમિત રોગોથી રક્ષણ કરશે?

નહી, કોપર T નો ઉપયોગ કરતી સ્ત્રીને જાતીય સંક્રમિત રોગોથી રક્ષણ મળી શકે નહીં કારણ કે જાતીય સમાગમ દરમિયાન પુરુષ અને સ્ત્રી શરીરના પ્રવાહી અને સીધા સંપર્કમાં આવે છે.

સ્વાધ્યાય ના પ્રશ્નો

 

અલિંગી પ્રજનન ની તુલના માં લિંગી પ્રજનન થી શુ લાભ થાય છે?

  • લિંગી પ્રજનન માં સંતતિને બે જુદાજુદા પિતૃના DNA પ્રાપ્ત થતાં ભિન્નતા જોવા મળે છે.
  • આ ભિન્નતા જાતિના અસ્તિત્વ માટે ઉપયોગી છે.
  • લિંગી પ્રજનન દરમિયાન એકત્રિત થતી ભિન્નતાઓ લાંબા ગાળે ઉદવિકાસ નું કારણ બને છે.

માનવના શુક્રપિંડ નું  કાર્ય શું છે?

માનવના શુક્રપિંડ નું કાર્ય શુક્ર કોષોનું  ઉત્પાદન અને ટેસ્ટોસ્ટેરોન નો સ્ત્રાવ છે.

ઋતુસ્ત્રાવ શા માટે થાય છે?

જ્યારે અંડકોષનું ફલન  થતું નથી ત્યારે સ્ત્રીના ગર્ભાશયની અંદરની જાડી  અને પુષ્કળ રુધિર યુક્ત દિવાલ તૂટવા લાગે છે તેના કારણે સ્ત્રીમાં ઋતુસ્ત્રાવ થાય છે.

ગર્ભ નિરોધનની  વિવિધ રીતો કઈ છે?

યાંત્રિક: પુરુષમાં નિરોધ અને સ્ત્રીમાં કોપર T

રાસાયણિક: સ્ત્રી માટે ગર્ભનિરોધક ગોળીઓ.

શસ્ત્રક્રિયા: શસ્ત્રક્રિયા દ્વારા શુક્રવાહિની અને અંડવાહિની બંધ કરવી.

એક કોષીય અને બહુ કોષીય સજીવ ની પ્રજનન પદ્ધતિ માં શું તફાવત છે?

  • એકકોષીય સજીવો સરળ કોષવિભાજન એટલે કે ભાજન પદ્ધતિ વડે પ્રજનન દર્શાવે છે.
  • જ્યારે બહુ કોષીય સજીવો  જટિલ શરીર રચના ધરાવતા હોવાથી લિંગી પ્રજનન પદ્ધતિ દર્શાવે છે.

પ્રજનન કોઈ જાતિ ની વસ્તી ની સ્થાયિતામાં કેવી રીતે મદદરૂપ થાય છે?

  • પ્રજનન દ્વારા નવી સંપત્તિનું નિર્માણ થાય છે કોઈ સજીવ અમર નથી. ઊંચો મૃત્યુદર વસ્તી નું કદ ઘટાડે છે.
  • તેથી પ્રજનન ક્રિયા દ્વારા સજીવ તેમની વસ્તીનો વધારો કરે છે જે જાતિની વસ્તી ની સ્થાયીતા માં  મદદરૂપ થાય છે

ગર્ભનિરોધક યુકતીઓ  કે સાધનો અપનાવવાના કયા કારણ હોઇ શકે છે? 

(૧) અનિચ્છિત ગર્ભધારણ રોકવા માટે.

(૨) માનવ વસતીના નિયંત્રણ માટે.

(૩) જાતીય સંક્રમિત રોગોનો ફેલાવો અટકાવવા માટે.

અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન નો તફાવત જણાવો.

અલિંગી: તેમાં સજીવની જાતિઓ સાથે કોઈ નિસ્બત હોતી નથી.

લીંગી: તેમાં સજીવ ઉભયલિંગી અથવા બે વિજાતીય એકલિંગી સજીવો હોવા જરૂરી છે.

અલિંગી: આ પ્રજનનમાં આનુવાંશિક લક્ષણો બદલાતા નથી.

લિંગી: આ પ્રજનનમાં આનુવાંશિક લક્ષણો બદલાય છે.

અલિંગી: ભાજન કલિકાસર્જન અવખંડન બીજાણું નિર્માણ વગેરે અલિંગી પ્રજનન ના પ્રકારો છે.

લિંગી: આ પ્રજનનના કોઈ વિશિષ્ટ પ્રકાર નથી.







   

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here