Site icon 1clickchangelife

પાઠ–6 બેરોજગારી

CLASS 12 ECONOMICS

પ્રસ્તાવના:

વર્તમાન સમયમાં વિશ્વના ઘણા બધા દેશો ગરીબી, બેરોજગારી, ફુગાવો અને મંદી જેવી અનેક આર્થિક અને સામાજિક સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે.

આ સમસ્યાઓએ વિશ્વમાં આજે ચિંતાજનક પરિસ્થિતિ ઊભી કરી છે. આ સમસ્યાઓમાંથી બહાર નીકળવા માટે દરેક દેશ પોતાની રીતે સતત પ્રયત્નશીલ હોવા છતાં, પણ આ સમસ્યા નું પૂર્ણ નિરાકરણ થયું નથી તે એક વાસ્તવિકતા છે. 

બેરોજગારીનો અર્થ:

સામાન્ય રીતે બેરોજગારી એટલે કામ કરી શકે તેવી વ્યક્તિની  કામ વગર ની સ્થિતિ.

પિગુ ના મતે બેરોજગારી એટલે”કોઈ વ્યક્તિ માત્ર ત્યારે જ બેકાર કહેવાય છે કે જ્યારે તેની કામ કરવાની ઈચ્છા હોવા છતાં કામ મળતું નથી.”

ટૂંકમાં,  બેરોજગારી   એટલે કે “પ્રવર્તમાન વેતનદરે વ્યક્તિની કામ  ક૨વાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં તેને કામ ન મળે ત્યારે તે વ્યક્તિ બેરોજગાર છે તેમ  કહેવાય .”


બેરોજગારીનો ઉપર્યુક્ત અર્થ મુજબ  પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિની કામ  કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોય છતાં તેને કામ વગર રહેવું પડે ત્યારે આવી બેરોજગારીને  “અનૈછિક બેરોજગારો”કે ફરજિયાત સ્વરૂપની બેરોજગારી  કહેવાય છે.

 

તેથી જ રીતે જો વ્યક્તિ કામ ક૨વાની ઈચ્છા અને શક્તિ ન હોય અને પરિણામે તે પ્રવર્તમાન વેતન દરે કામ વગર બેસી રહે તેવી વ્યક્તિને બેરોજગાર કહેવાય. આવા વ્યક્તિને “સ્વૈચ્છિક બેરોજગાર”ગણી શકાય.

આ અર્થ મુજબ બાળકો, વૃદ્ધો, અશક્તો અને પોતાની ઈચ્છાથી કામ વગર બેસી રહેનાર સક્રિય શ્રમ પુરવઠાનો હિસ્સો ના હોવાથી બેરોજગાર ગણાય નહિ.આવી સ્વૈચ્છિક બેરોજગારી એ બેરોજગારીની  સમસ્યા નથી.

બેરોજગારી નો ખ્યાલ સક્રિય શ્રમ પુરવઠાના સંદર્ભમાં સમજાવવામાં  આવે છે.

સક્રિય શ્રમના પુરવઠા માં સામાન્ય રીતે 15થી 64 વર્ષની વયજૂથ માં હોય તેવી વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવે છે.

ભારતમાં બેરોજગારીની સમસ્યા એ માત્ર આર્થિક સમસ્યા જ નથી પણ તે સામાજિક, નૈતિક અને  રાજકીય ક્ષેત્રે સમસ્યા ઊભી કરી શકે છે.


બેરોજગારીના પ્રકારો :

બેરોજગારીનું સ્વરૂપ પ્રકારો નક્કી કરતી વખતે અર્થતંત્રનું સ્વરૂપ પણ જાણવું જરૂરી છે. કારણ કે વિકસિત અને વિકાસશીલ દેશો માં જોવા મળતી બેરોજગારીનું સ્વરૂપ વિભિન્ન હોઇ શકે છે.

વિકસિત દેશોમાં ચક્રીય બેરોજગારી અને ઘર્ષણ જન્ય બેરોજગારી વિશેષ પ્રમાણમાં જોવા મળે  છે. જેને અસ૨કા૨ક માંગમાં વધારો કરીને હલ કરી શકાય છે.

 ભારતમાં જોવા મળતી બેરોજગારી માળખાગત સ્વરૂપની હોય છે અને તે લાંબા ગાળા માટેની હોય  છે. 

બેરોજગારીનું  સ્વરૂપ કે પ્રકાર જાણવા માટે શ્રી  રાજકૃષ્ણ સમિતિ રિપોર્ટ 2011-12 એ નીચેના ચાર માપદંડો રજૂ કર્યા છે.

(1) સમય : જે વ્યક્તિ કામ કરવાની વૃત્તિ અને શક્તિ ધરાવતી હોય, પરંતુ અઠવાડિયામાં 28 કલાક કે  તેથી ઓછા કલાક માટે કામ મળે તો તેને તીવ્ર રીતે બેરોજગાર ગણાય. 

(2) આવક :  વ્યક્તિને કામમાંથી  એટલી ઓછી આવક મળતી હોય કે જેથી તેની ગરીબી  દૂર ન થઈ શકે તો તે આવકની દષ્ટિએ બેરોજગાર ગણાય છે. ભારતમાં ગ્રામીણ વિસ્તારમાં આવી બેરોજગારી વિશેષ પ્રમાણમાં જોવા મળે છે.

(3) સંમતિ :

વ્યક્તિને જે કામ કરવા માટેની લાયકાત ધરાવતો હોય પરંતુ તે લાયકાત પ્રમાણેનું કામ તેને ન મળતું હોય તેવા સંજોગોમાં તેને પોતાની લાયકાત કરતાં ઓછી લાયકાત વાળું  અન્ય પ્રકારનુ કામ સ્વીકારવું પડે છે. પરંતુ આ પ્રકારના કામથી  તેને ઓછી આવક પ્રાપ્ત થતી હોવાથી તે અર્ધબેરોજગારી કહેવાય છે.

દા.ત., CA ની ડીગ્રી  મેળવેલ વ્યક્તિએ ક્લાર્ક  તરીકે કામ કરવું પડે.


(4) ઉત્પાદકતા :

શ્રમિક ની  વાસ્તવિક ઉત્પાદકતા જે  હોય તેના ક૨તા તે વ્યક્તિ કે હાલ ઓછી  ઉત્પાદકતા એ કામ કરતો હોય, તો ઉત્પાદન તેની  શક્તિ કે ઉત્પાદકતા કરતા ઓછું હશે.

દા.ત., કોઈ એક વ્યક્તિ એક દિવસમાં 20 મીટર કાપડ બનાવી શકવાની ક્ષમતા ધરાવે છે. પણ તેને  દિવસ માં 10 મીટર જ કાપડ બનાવી શકે તેટલું જ કામ મળતું હોય.


ઉપર્યુક્ત માપદંડ પ્રમાણે બેરોજગારી ના પ્રકાર આ પ્રમાણે પાડી શકાય.


સંપૂર્ણ બેરોજગારી:

અર્થ :


સંપૂર્ણ કે ખુલ્લી બેરોજગારી નો  આંક આધારભૂત રીતે મેળવવો મુશ્કેલ હોય  છે છતાં પણ તેને માપવાની ત્રણ પદ્ધતિ પ્રચલિત છે :

(1) રોજગાર વિનિમય કેન્દ્ર માં થયેલ નોંધણી દ્વારા

(2) શ્રમ પુરવઠાના સેમ્પલ સર્વે દ્વારા

(3) વસ્તી ગણતરીના આંકડા દ્વારા.


અર્ધ બેરોજગારી : વિભાગ C અને D-Most Imp

અર્થ :

શ્રમિકો તેમની  શક્તિનો પૂરો ઉપયોગ કરી શકતા ન હોય એટલે કે ઓછા સમય માટે લાયકાત  ક૨તા ઓછી લાયકાત વાળું કાર્ય સ્વીકારવું પડે તેને અર્પબેરોજગાર કહેવાય.

દા.ત., કમ્પ્યુટર એન્જિનિયરની ડિગ્રી ધરાવનાર વ્યક્તિ ને ગેરેજમાં નોકરી કરવી પડે.

પ્રચ્છન્ન બેરોજગારી: વિભાગ C અને D-Most Imp

પ્રચ્છન્ન બેરોજગારી એટલે છૂપી બેરોજગારી. આ પ્રકારની પ્રચ્છન્ન  બેરોજગારી ભારત જેવા વિકસતા દેશમાં સવિશેષ જોવા મળે છે.

અર્થ:

દા.ત., ધારો કે 10 હેક્ટર જમીનનો ઇષ્ટતમ ઉપયોગ કરવામાં આવે તો વધુમાં વધુ 5 શ્રમિકોને રોજગારી  પૂરી પાડી શકાય તેમ હોય.

પરંતુ અન્ય સ્થળે કામ મળે તેમ ન હોવાથી કુટુંબના બીજા 3 સભ્યો પણ આજ ખેતરમાં કામ માં જોડાય.

પણ તેમના જોડાવાથી  આ ખેતરના કુલ ઉત્પાદનમાં કોઈ જ વધારો થતો ન હોય તો આ વધારાના 3 શ્રમિકો પ્રચ્છન્ન બેરોજગાર છે તેમ કહેવાય.

આવા શ્રમિકો બેકાર દેખાતા નથી, પણ તેમની  સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોવાથી તે પ્રચ્છન્ન બેરોજગાર ગણાય.

ચક્રીય બેરોજગારી:   વિભાગ C અને D-Most Imp

ઘર્ષણજન્ય બેરોજગારી :

અર્થ :


બેરોજગારી ઉદ્દભવવાના કારણો:  (કોઇપણ પાંચ મુદા સારી રીતે કરવા જેમા મુદા નંબર 3,5,8 તો ખાસ કરવા) 

ભારતમાં બેરોજગારીના  પ્રમાણની માહિતી આયોજન પંચ, સેન્ટ્રલ સ્ટેટીસ્ટીકલ ઓર્ગેનાઇઝેશન (C.S.O,) નેશનલ  સેમ્પલ સર્વે અને રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા પ્રકાશિત થતા બેરોજગારીના અહેવાલમાંથી પ્રાપ્ત થાય છે.

તેમજ બેરોજગારીની સમસ્યાના અભ્યાસ અર્થે રચાયેલ ભગવતી  સમિતિના અહેવાલમાં પણ ભારતની બેરોજગારીનું પ્રમાણ અને કારણો દર્શાવવામાં આવ્યા છે.

ભારતમાં બેરોજગારીની સમસ્યાના ઉકેલ માટે ઈ.સ 1951 થી આયોજનબદ્ધ પગલાં ભરવામાં આવ્યા છે.


ભારતમાં બેરોજગારીની  સમસ્યા ઉદ્ભવવાના કેટલાક મુખ્ય કા૨ણો તપાસીએ

(1) વસ્તી વૃદ્ધિ નો ઊંચો દર :

(2) રોજગારીની તકો માં ધીમો વધારો :

(3) બચત અને મૂડીરોકાણનો  નીચો દર :


(4) મૂડીપ્રધાન ઉત્પાદન પદ્ધતિ :


(5) વસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ 🙁ખામી યુક્ત શિક્ષણ પદ્ધતિ બેરોજગારી માટે જવાબદાર છે સમજાવો) 

વિભાગ C અને D-Most Imp


 (6) માનવ શક્તિના  આયોજનનો અભાવ:


(7) જાહેર ક્ષેત્રની બિન કાર્યક્ષમતા :


(8) કૃષિક્ષેત્રના  વિકાસ ની અવગણના : વિભાગ C અને D-Most Imp

(9) શ્રમની ઓછી ગતિશીલતા : 


(10) અપૂરતી માળખાકીય સુવિધા ;

 

બેરોજગારી ઘટાડવાના ઉપાયો: (કોઇપણ પાંચ મુદા સારી રીતે કરવા જેમા મુદા નંબર 7 તો ખાસ કરવો) 

ભારતમાં બેરોજગારીનું પ્રમાણ અને કારણો વિશેના અભ્યાસ ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે, ભારતમાં  બેરોજગારી સમસ્યા દિન-પ્રતિદિન વધુ ને વધુ ચિંતાજનક બનતી જાય છે.

બેરોજગારીનો  પ્રશ્ન એ માત્ર આર્થિક પ્રશ્ન જ નથી; તે સામાજિક, નૈતિક અને માનસશાસ્ત્રીય પ્રશ્નો પણ ઊભા કરે છે. રાજકીય દૃષ્ટિએ પણ આ પ્રશ્ન ચિંતાજનક  છે.

ભારતમાં  બેરોજગારીની સમસ્યા હળવી  કરવા નીચે પ્રમાણે ના ઉપાયો યોજી શકાય.

(1) વસ્તી નિયંત્રણ :

(2) આર્થિક વિકાસ નો દર ઊંચો લઈ જવો :

(3) રોજગારલક્ષી આયોજન :

આયોજન કાળ દરમિયાન  ભારતમાં વિકાસને જ મહત્ત્વ અપાયું હોય તેવું જોવા મળે છે.

જેમ કે બીજી પંચવર્ષીય  યોજનાથી જાહેર ક્ષેત્રના વિકાસ અને પ્રાધાન્ય આપીને પાયાના ચાવીરૂપ મૂડી પ્રધાન  ઉઘોગો પ્રત્યે વિશેષ ધ્યાન અપાયું છે.

દેશમા ઔધૌગીકરણનો પાયો મજબૂત કરવા માટે આ જરૂરી હતું. પરંતુ વર્તમાન સમયમાં રોજગારલક્ષી આયોજન અપનાવવાની તાતી જરૂર છે.

(4) રોજગારલક્ષી શિક્ષણ :

(5) ગૃહ અને નાના પાયાના ઉધોગોનો વિકાસ :

(6) આંતર માળખાકીય સેવાનો વિસ્તાર:

(7) કૃષિક્ષેત્રે હરિયાળી ક્રાંતિ નો વેગ અને વિસ્તાર:

વિભાગ C અને D-Most Imp

આ વાતને પી. સી. મહાલનોબિસે કરેલ રોજગારીની તકોની ગણતરીના અંદાજ થી સમર્થન મળે છે.


બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે રાજયની યોજનાઓ 

 જેવા કે સંકલિત ગ્રામવિકાસ કાર્યક્રમ, કામના બદલામાં અનાજ, જવાહર  રોજગાર યોજના, સુવર્ણ જયંતિ ગ્રામ રોજગાર યોજના, સુવર્ણ જયંતિ શહેર રોજગાર યોજના ,ગ્રામીણ  યુવકને સ્વ રોજગારી માટે તાલીમ આપતો કાર્યક્રમ, નેશનલ ગ્રામીણ રોજગારી ગેરંટીનો કાર્ય ક્રમે, મનરેગા, કૌશલ્ય વિકાસ કાર્યક્રમો, શ્રમેય જયતે યોજના, સ્કિલ ઇન્ડિયા, મેક ઇન્ડિયા તેમજ મુદ્રા જેવી અનેક રોજગારલક્ષી યોજનાઓ અમલમાં મુકવામાં આવી.

જેમાંની કેટલીક યોજનાઓ નીચે પ્રમાણે હતી.

(1) મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી ધારો (MGNREGA):


(2) પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયતે યોજના (PDUSJY) : 


(3) દીનદયાળ ઉપાધ્યાય ગ્રામજ્યોતિ યોજના (DUGJY) : 

અગાઉની ગ્રામીણ વિદ્યુતીકરણ યોજનાના સ્થાને આ યોજના શરૂ કરવામાં આવી. જેનો મુખ્ય ઉદેશ ગ્રામ્ય વિસ્તારમાં 24 x 7 સતત વીજળીની સેવા  ઉપલબ્ધ કરવાનો છે.

(4) દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના ( DUGKY)

આ યોજનાની શરૂઆત 25 સપ્ટેમ્બર,2014થી કરવામાં આવી. જેનો મુખ્ય ઉદ્દેશ 18 થી 35 વર્ષના યુવાનોને રોજગારી આપવાનો છે.

(5) પ્રધામંત્રી  કૃષિ સિંચાઈ યોજના : 

આ કાર્યક્રમની શરૂઆત 1 જુલાઈ, 2015થી કરવામાં આવી.

“હર  ખેત કો પાની” એ સૂત્ર ને સાર્થક કરવાના ઉદેશથી ખેત-ઉત્પાદકતા વધારવા અને દેશનાં ઉપલબ્ધ  સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ થઇ શકે તે પ્રમાણે કૃષિક્ષેત્ર માટે સિંચાઈ યોજનાઓનું આયોજન કરવાનું લક્ષ્ય  આ કાર્યક્રમમાં રાખવામાં  આવ્યું છે.

 

Exit mobile version