Site icon 1clickchangelife

  પાઠ ૧- શેર બહાર પાડવા (PART 2)

STD 12 SP

વિષય- સેક્રેટરીયલ પ્રેક્ટિસ- ભાગ-2 

આપની ચિંતા અને સમસ્યાઓનો હવે અંત આવી ગયો છે. આપની સમક્ષ અમે એક એવી અદભુત પદ્ધતિ લાવ્યા છીએ જેનું નામ છે: “SHORT GOLDEN METHOD”

 

“SHORT GOLDEN METHOD” ના ફાયદા

                      પાઠ ૧- શેર બહાર પાડવા

પ્રસ્તાવના:

જાહેર ભરણા માટે સિક્યોરિટી કોન્ટ્રાક્ટ એક્ટ 1956,કંપનીનો કાયદો 2013 અને સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા એક્ટ 1992 હેઠળ સેબી દ્વારા વખતો વખત બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકાઓ નું કંપનીએ પાલન કરવું જરૂરી છે.

 

 

 

જાહેર કંપની (૧) જાહેર ભરણા દ્વારા (૨) હકના ભરણા દ્વારા (૩) બોનસ શેર દ્વારા અને (૪) ખાનગી ધોરણે શેર વહેંચણી દ્વારા શેર મૂડી ઊભી કરે છે.

 

કંપની ધારા અનુસાર સંચાલક મંડળની પરવાનગી લઈને શેરહોલ્ડર પોતાના પાસેના વધારાના શેર પણ જાહેર જનતા ને આપી શકે છે જેને વેચાણ માટે ની દરખાસ્ત ( offer for sale)  કહે છે.

 

વિજ્ઞાપન પત્ર:- કોઈપણ પ્રકારની નોટીસ સર્ક્યુલર, જાહેરાત અને અન્ય દસ્તાવેજો દ્વારા કંપની જાહેર જનતાને જામીનગીરીઓ ખરીદવા આમંત્રણ આપે છે તેને વિજ્ઞાપન પત્ર કહે છે.

જાહેર ભરણા ની સમગ્ર પ્રક્રિયા પૂરી કરવા માટે કંપની વિવિધ મધ્યસ્થીઓ જેવા કે લીડ મેનેજર, રજિસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટ, ભરણાની  બેંક, બાયંધરી દલાલો, ડિપોઝિટરી, ક્રેડિટ રેટિંગ એજન્સી વગેરેની મદદ લે છે.

જાહેર ભરણા માટેના વિજ્ઞાપન પત્રને સેબીની મંજૂરી બાદ સમગ્ર ભરણાની વિધિ ને બે ભાગમાં વહેંચી શકાય (૧) શેર અરજી ની વિધિ (૨) શેર વહેંચણી

 

શેર અરજી અંગેની વિધિ: આ વિધિ ના ચાર તબક્કાઓ છે. વિભાગ-E

(૧) બેંકમાં ખાતું ખોલાવવું: કંપની દ્વારા શેર મૂડી બહાર પાડવા અંગેના વ્યવહારો કરવા માટે કોઈપણ શિડ્યુલ્ડ બેંક માં ચાલુ ખાતું ખોલાવી શકે છે. આ ખાતા ને એસ્ક્રો બેન્ક ખાતું કહેવામાં આવે છે.

ASBA ની કાર્ય પદ્ધતિ મુજબ શેર અરજીની રકમની જે તે અરજદારના બેંક ખાતામાં શેર મંજુરી ની વિધિ પૂર્ણ થાય ત્યાં સુધી બ્લોક કરી દેવામાં આવે છે. એટલે કે શેર અરજીની રકમની કંપનીના બેંક ખાતામાં ફેર બદલી થતી નથી. શેર મંજુરી ની વિધિ પૂરી થયે જેટલી રકમના શેર અરજદારને મંજૂર થાય તેટલી જ રકમ અરજદારના ખાતામાંથી કંપનીના બેંક ખાતામાં ફેરબદલી થાય છે. તેથી નામંજૂર અરજી ની રકમ પરત કરવાનો મુદ્દો ઊભો થતો નથી.

(૨) શેર અરજીઓ મેળવવી: વિજ્ઞાપન પત્ર માં જણાવેલ તારીખો દરમિયાન શેરની અરજી કરવા માંગતાં તમામ પ્રકારના રોકાણકારો શેર દલાલ, પેટા દલાલ,સ્ટોક એક્સચેન્જ અને આસ્બા માટે મંજુર થયેલ બેંકની શાખા માંથી અરજીપત્રક મેળવી તેની સંપૂર્ણ વિગતો સાથે ભરી દલાલ કે પેટા દલાલ આસબા માટે નક્કી થયેલ બેંકમાં જમા કરાવે છે.

(૩) શેર અરજીઓ નું વર્ગીકરણ કરવું: શેરની અરજીઓ મળ્યા બાદ તેનું પત્રક તૈયાર કરવામાં આવે છે. અધુરી વિગતો વાળી અરજી નામંજૂર કરવામાં આવે છે. સેબીની માર્ગદર્શિકા મુજબ અરજદારોને (૧) છૂટક રોકાણકારો (૨) બિન સંસ્થાકીય ઉચી નેટવર્થ ધરાવતા રોકાણકારો.(૩) સંસ્થાકીય રોકાણકારો અને (૪) કંપનીના કર્મચારીઓ પૈકી અરજદારો એમ ચાર પ્રકારના અરજદારોમાં અરજીઓ નું વર્ગીકરણ કરવામાં આવે છે. સેબીની માર્ગદર્શિકા મુજબ છૂટક રોકાણકારો માટે કુલ બહાર પાડેલ શેરના ઓછામાં ઓછા 10 ટકા શેર અનામત રાખવા જરૂરી છે.

(૪) શેર વહેંચણી અને વહેચણી પત્રક:દરેક પ્રકારના અરજદારો પાસેથી કેટલી અરજીઓ મળી છે અને તે વર્ગમાં કેટલા શેર મંજુર કરવાના છે તેની સરખામણી કરવામાં આવે છે જો મળેલ અરજીઓ તે વર્ગ માટે ફાળવેલ શેર ની સંખ્યા કરતાં વધારે હોય તો પ્રમાણસર ફાળવણી કરવામાં આવે છે ત્યારબાદ તેને આખરી સ્વરૂપ આપવામાં આવે છે. અરજદારો ને ફાળવેલા શેર તેમના ડિમેટ ખાતામાં જમા કરવામાં આવે છે.

 

શેર ની વહેંચણી અંગે ની વિધિ:

(૧) આસ્બાં માન્ય બેંકની શાખાઓ દ્વારા શેર અરજી ની રકમ જે-તે અરજદારના ખાતામાં સ્થગિત કરવી અને સ્થગિત થયેલ અરજીઓ કંપનીએ જાહેર ભરણા માટે નિમેલ સિન્ડીકેટ મેમ્બર ને સોંપવી.

(૨) સિન્ડિકેટ મેમ્બર દ્વારા અરજી અને તમામ વિગતો ભરણાં ના રજિસ્ટ્રારને મોકલવામાં આવે છે. અરજીની સમગ્ર વિગતો માન્ય શેરબજારોને પણ મોકલવામાં આવે છે.

(૩) ભરણા રજિસ્ટ્રાર દ્વારા શેર ફાળવણી નું પત્રક તૈયાર કરી માન્ય શેરબજાર, ડિપોઝિટરી અને સેબીને મોકલી આપવામાં આવે છે.

(૪) ડિપોઝિટરી દ્વારા અરજદારના ડિમેટ ખાતામાં શેર જમા કરવામાં આવે છે.

 

શેર વહેંચણી અંગેના કાયદેસરના નિયંત્રણો અને જોગવાઈઓ:

વિભાગ- D-E

શેર વહેંચણી અંગે કંપનીધારા 2013 માં તેમજ સેબીની માર્ગદર્શિકા હેઠળ કેટલાક નિયંત્રણો મુકવામાં આવેલ છે.

Keywords: વટાવ, અનામત, આસબા, દસ દિવસ,ડિમેટ ખાતુ, લઘુતમ ભરણુ, માન્ય શેર બજાર, વિજ્ઞાપન પત્ર, લઘુતમ નેટવર્થ,Lock in period.

 

 

અનિયમિત શેર વહેંચણી અને ગેરકાયદેસર શેર વહેંચણી:

અર્થ: શેર વહેંચણી અંગેના કાયદેસરના નિયંત્રણો કે જોગવાઈઓનો અમલ કર્યા સિવાય એટલે કે તેનો ભંગ કરીને શેર વહેંચણી કરવામાં આવે ત્યારે તેને અનિયમિત શેર વહેંચણી કહેવામાં આવે છે.

અનિયમિત શેર વહેંચણી ના સંજોગો: (કયા સંજોગોમાં શેરની વહેંચણી અનિયમિત ગણાય?):

વિભાગ-D

Keywords: લઘુતમ ભરણું, વિજ્ઞાપનપત્રની નકલ, દાર્શનિક કિંમત,

એસ્ક્રો બેંક ખાતુ, માન્ય શેર બજાર, ડિપોઝિટરી, સેબીની માર્ગદર્શિકાઓ, વિજ્ઞાપન પત્ર ની માહિતી.

 

અનિયમિત શેર વહેંચણી ની અસરો: વિભાગ-D

જ્યારે શેર વહેંચણી અનિયમિત હોય ત્યારે અરજદાર પોતાની મરજી હોય તો શેર વહેંચણી રદ કરાવી શકે અને પોતે શેર પર ભરેલ નાણાં પાછા મેળવી શકે. અનિયમિત શેર વહેંચણી ના સંજોગોમાં નોંધપાત્ર બાબત એ છે કે અરજદાર ને નુકસાન થયું હોય તો તે ઇચ્છે તો રદ કરાવી શકે છે. તે રદબાતલ અંગેની સમયમર્યાદા નીચે મુજબ છે:

 

(૧)કાયદેસર ની પ્રથમ સભા ભર્યા પછી ના બે માસ સુધીમાં શેર વહેચણી રદ કરાવવા માટે અરજી કરી શકાય.

(૨) જો કાયદેસરની પ્રથમ સભા ભરાઈ ગયા બાદ શેરની વહેંચણી કરવામાં આવી હોય તો વહેચણીની તારીખ પછીના બે માસમાં શેર વહેંચણી રદબાતલ કરાવી શકાય.

(૩) કોઇ સંચાલક જાણીબુઝીને કાયદેસરની વહેંચણીની જોગવાઈઓનો ભંગ કરે અથવા અન્ય કોઇને તેમ કરવા દે તો આવી અનિયમિત શેર વહેંચણી ના પરિણામે કંપનીને કે શેરહોલ્ડર ને જો કોઈ નુકસાન થાય કે ખર્ચ થાય તો તે ચૂકવવા સંચાલક અંગત રીતે જવાબદાર છે.

 

ગેરકાયદેસર શેર વહેંચણી:

શેર વહેંચણી એ શેરધારક અને કંપની વચ્ચે થયેલો કરાર છે અને આવો કરાર ‘સંપૂર્ણ કરાર’ ત્યારે જ કહેવાય છે જ્યારે તેના આવશ્યક તત્વો ની હાજરી હોય એટલે કે આવા આવશ્યક તત્વો નો અભાવ હોય અને જો શેર વહેંચણી થાય તો તે ગેરકાયદેસર ગણાય છે.

શેરની ગેરકાયદેસર વહેંચણી શરૂઆતથી જ રદબાતલ ગણાય છે.

ગેરકાયદેસર શેરની વહેંચણીના ચાર સંજોગો છે: (૧) દરખાસ્ત

(૨) દરખાસ્તનો સ્વીકાર (૩) સ્વીકાર ની જાણ (૪) અવેજ.

 

ત્યાગ પત્ર:- (હક ના શેર ના ત્યાગ પત્ર દ્વારા ભાગલા પાડવા.)

વિભાગ-D

કંપની તેના વર્તમાન શેરધારકોને વધારાના શેર ખરીદવા આમંત્રણ આપે તેને હક ના શેર કહે છે. આમ ત્યાગ પત્ર હક ના શેર  સાથે સંકળાયેલ છે.

કંપની અરજદારોને તેમણે ધારણ કરેલ શેરના પ્રમાણમાં અમુક નિશ્ચિત શેર ખરીદવા આમંત્રણ આપે છે જેને હક ના શેર કહે છે.

કંપની જે હક ના શેર મંજૂર કરે છે તે બધા જ શેર અથવા તે પૈકી થોડા શેર  શેર હોલ્ડર બીજી વ્યક્તિને આપવા માગતો હોય તેના માટે તે જે પત્રનો ઉપયોગ કરે છે તેને ત્યાગ પત્ર કહે છે.

આ માટે કંપની પોતાના આર્ટીકલ્સ માં (નિયમન પત્ર માં) જોગવાઈ રાખે છે.

ત્યાગ પત્ર બે ભાગમાં વહેંચાયેલ છે:

(૧) પ્રથમ ભાગમાં ત્યાગ પત્ર છે જેમાં મૂળ શેરહોલ્ડર સહી કરીને પોતે અમુક શેર કે બધા શેરનો  અમુક વ્યક્તિની તરફેણમાં ત્યાગ કરવા માંગે છે તેમ જણાવે છે.

(૨) બીજા ભાગમાં શેર મંજૂરીની વિનંતી છે.જે વ્યક્તિની તરફેણમાં શેર નો ત્યાગ કરવામાં આવતો હોય તે વ્યક્તિ આ વિભાગમાં સહી કરી પોતાને નામે શેર મંજુર કરવા કંપનીને વિનંતી કરે છે.

 

Keywords: એસ્ક્રો ખાતુ, માન્ય શેર બજારો, મધ્યસ્થીઓ ,મહેનતાણાની રકમ, કાનૂની જોગવાઈ ઓ નું પાલન, વર્ગીકરણ અને યાદી, સભા નોંધ, શેર વહેંચણી અને ના મંજૂરીની અરજદારોને જાણ, બાયંધરી દલાલને કમિશન.

 

શેર હપતા અંગે કંપનીધારાની જોગવાઈઓ: SECTION_E

Keywords: નિયમન પત્ર, સમાન ધોરણ-ન્યાયી રીત, ઠરાવ પસાર કરવો, માગણી પત્ર, મતાધિકાર, શેર હપતા ખાતુ, સમયગાળો, વ્યાજ.

શેર હપતા મંગાવવા ની વિધિ -SECTION-E

(૧) શેર હપતા અંગેનો ઠરાવ:શેર પર હપ્તો મંગાવવા માટે સંચાલક મંડળની સભામાં શેર હપ્તા અંગેનો ઠરાવ પસાર કરવામાં આવે છે તેમાં શેરદીઠ હપ્તાની રકમ અને ભરવાની છેલ્લી તારીખ જણાવવામાં આવે છે.

(૨) સભ્ય પત્રક બંધ રાખવું: શેરહોલ્ડરોને હપ્તાની નોટિસ મોકલવા સભ્યોની યાદી તૈયાર કરવાની હોવાથી સભ્ય પત્રક તથા શેર બાજરી પત્રક થોડો સમય બંધ રાખવામાં આવે છે. જેના માટે સાત દિવસ અગાઉ વર્તમાનપત્રમાં નોટિસ આપવામાં આવે છે.

(૩) હપતા ની યાદી તૈયાર કરવી: શેર હપ્તા ની યાદી ની વિગતો

૧.સભ્ય નું નામ સરનામું ૨. શેર ની સંખ્યા.૩. મંગાવેલહપ્તાની રકમ(૪) અગાઉથી ચૂકવેલ હપ્તાની રકમ.(૫) સભ્યએ ચુકવવાની થતી રકમ (૬) હપતા ચૂકવવાની નિયત તારીખ.

(૪) બેંકમાં જાણ કરવી: હપ્તા ની યાદી તૈયાર થઈ ગયા પછી સેક્રેટરી તેની એક નકલ બેંક ને મોકલી આપે છે અને તે રકમ શેર હપ્તા ખાતે જમા થાય છે.

(૫) હપતાની નોટિસ મોકલવી: હપ્તા ની યાદી તૈયાર થયા પછી તેના આધારે દરેક સભ્યોને હપ્તા ભરવા અંગેની જાણ કરતો પત્ર રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા મોકલવામાં આવે છે. આ નોટિસ 14 દિવસ પહેલા સભ્યોને મળી જવી જોઈએ.

(૬) શેર હપતાની ચુકવણી: શેરહોલ્ડરો હપ્તા પત્ર મળ્યા પછીની તારીખથી 14 દિવસની અંદર બેંકને હપ્તાની રકમ ચૂકવે છે. બેન્ક આ રકમ જમા કરે છે અને ભરણા ચિઠ્ઠી પોતાની પાસે રાખી નોટિસ અને રસીદ શેરહોલ્ડરોને પરત કરે છે.

(૭) હપતા પત્રકમાં નોંધ કરવી: કંપનીનો સેક્રેટરી ભરણા ચિઠ્ઠીના આધારે કેટલા સભ્યો નો હપ્તો ભરાયો છે અને કયા સભ્યોના હપ્તા બાકી છે તેની યાદી તૈયાર કરી સંચાલક મંડળ સમક્ષ રજૂ કરે છે.

 

શેર હપતા અંગે સેક્રેટરીની ફરજો:SECTION-D

(૧) શેર હપ્તો મંગાવા અંગે નિયમનપત્ર માં જોગવાઈ તપાસવી.

(૨) સંચાલક મંડળની સભા બોલાવીને તેમાં શેર હપતા મંગાવવા અંગેનો ઠરાવ પસાર કરાવવો.

(૩) હપ્તો મંગાવતા પહેલા સભ્ય પત્રક અને શેર ફેરબદલી પત્રક બંધ રહેશે તે અંગે સાત દિવસ અગાઉ વર્તમાનપત્રોમાં જાહેર નોટીસ આપવી.

(૪) જે સભ્યોએ હપ્તો ચૂકવવાનો છે તેમની યાદી તૈયાર કરવી અને તેમને તે અંગેની નોટિસ મોકલવી.

(૫) બેંકમાં આ અંગે નું ખાતું ખોલાવવું.

(૬) ભરણા ચિઠ્ઠીના આધારે સભ્ય પત્રકમાં નોંધ કરવી અને માગ્યા છતાં હપતા નહીં ભરનાર સભ્યોની યાદી તૈયાર કરી સંચાલક મંડળ સમક્ષ રજૂ કરવી.

Keywords: નિયમન પત્ર, ઠરાવ પસાર, સભ્ય પત્રક- ફેરબદલી પત્રક, હપ્તાની નોટિસ, બેંકમાં ખાતું, હપતા નહીં ભરનાર ની યાદી.

 

શેર જપ્તી:

અર્થ: શેર જપતી એટલે શેર પર મંગાવેલો હપ્તો વસુલ નહીં આવતા આખર ના ઉપાય તરીકે શેર પર ભરાયેલી રકમ જપ્ત કરવી.

વ્યાખ્યા: શેર જપ્તી એટલે કાયદેસર રીતે મંગાવેલા બાકી હપતા નહીં ચૂકવવા ને કારણે આર્ટિકલ્સની કાયદેસરની વિધિ મુજબ કંપની દ્વારા શેરહોલ્ડરે આજદિન સુધી શેર પર ભરેલી રકમ જપ્ત કરવી અને તેનું નામ સભ્ય પત્રક માંથી રદ કરવું અને તે શેરહોલ્ડર ના સભ્યપદનો ફરજિયાત અંત લાવવો. આમ શેર જપ્તીએ કંપનીના સંચાલકોએ લીધેલું એક પ્રકારનું શિક્ષાત્મક પગલું છે.

 

શેર જપ્તીની વિધિ (કાર્યવાહી) સમજાવો:SECTION D-E                                           

(૧) બાકી હપ્તા ની યાદી તૈયાર કરવી: સેક્રેટરી બેંક પાસેથી મળેલી ભરણા ચીઠ્ઠી પરથી જે સભ્યોએ શેર પરના હપ્તાની રકમ ભરી ન હોય તેમની યાદી તૈયાર કરે છે.

(૨) બાકી હપ્તાની યાદી સંચાલક મંડળ સમક્ષ રજૂ કરવી: આ યાદી તૈયાર થઇ ગયા બાદ તે સંચાલક મંડળ સમક્ષ જરૂરી ચર્ચા વિચારણા કરી જપ્તીના નિર્ણય માટે રજૂ કરવામાં આવે છે.

(૩) સભ્યને સ્મૃતિપત્ર મોકલવો: જે સભ્યોએ નિયત સમય મર્યાદામાં બાકી હપ્તાની રકમ ભરી નથી તેમને સ્મૃતિપત્ર મોકલવામાં આવે છે અને હપ્તાની રકમ વ્યાજ સહિત ચોક્કસ તારીખ સુધીમાં ભરી દેવા જણાવવામાં આવે છે.

(૪) અંતિમ ચેતવણી પત્ર મોકલવો: સભ્યોને પહેલાં સ્મૃતિ પત્ર મોકલવા છતાં તેનો કોઇ પ્રતિભાવ ન મળે તો અંતિમ ચેતવણી પત્ર રજિસ્ટર્ડ પોસ્ટથી મોકલવામાં આવે છે જેમાં પત્ર મળ્યેથી  14 દિવસમાં વ્યાજ સહિત નાણા ભરવાની તાકીદ કરવામાં આવે છે.

(૫) શેર જપ્તી નો ઠરાવ: ચેતવણી પત્ર મોકલવા છતાં જે સભ્યો ૧૪ દિવસમાં હપ્તાની રકમ ન ચૂકવે તો તેમના શેર જપ્ત કરવામાં આવે છે.આ અંગે સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરવામાં આવે છે.

(૬) શેર જપ્તીની નોટિસ મોકલવી: સંચાલક મંડળની સભામાં શેર જપ્તી અંગે પસાર થયેલ ઠરાવ ની રુએ સેક્રેટરી સભ્યને આ નિર્ણયની જાણ કરતી નોટિસ મોકલે છે. તેની સાથે શેર જપ્તી  ના ઠરાવની નકલ પણ મોકલવામાં આવે છે અને ડિમેટ ના સભ્ય ના શેર રદ કરવાની જાણ ડીપોઝીટરીને અને શેર ફેરબદલી એજન્ટને કરવામાં આવે છે. જો મૂળ સ્વરૂપે શેર હોય તો સભ્યને શેર પ્રમાણપત્ર કંપનીને પરત કરવા જણાવવામાં આવે છે.

(૭) જાહેર નોટીસ આપવી: સેક્રેટરી વર્તમાન પત્રમાં જાહેર નોટીસ આપીને જણાવે છે કે અમુક નંબર ના શેર જપ્ત થયા હોવાથી આ શેરોમાં કોઈએ લેવડ-દેવડ કરવી નહિ.

(૮) સભ્ય પત્રકમાં નોંધ કરવી: જાહેર નોટિસ આપ્યા બાદ છેવટે કંપની સેક્રેટરી સભ્ય પત્રકમાં શેર જપ્તીની નોંધ કરે છે અને જેના શેર જપ્ત થયા છે તે સભ્ય નું નામ સભ્ય પત્રક માં થી દુર કરે છે.

 

શેર જપ્તી અંગે સેક્રેટરીની ફરજો: SECTION-E

Keywords: નિયમન પત્ર, બાકી હપ્તા ની યાદી, સ્મૃતિપત્ર, આખરી ચેતવણી, જપ્તી નો ઠરાવ,જપ્તીની નોટિસ, વર્તમાનપત્ર માં નોટિસ, સભ્ય નું નામ રદ, શેર ફરી બહાર પાડવા નો ઠરાવ.

શેર જપ્તીની અસરો: SECTION-C TWO POINT

(૧) શેર જપ્તી ના ઠરાવની તારીખથી સભ્યના સભ્યપદનો ફરજિયાત અંત આવે છે.

(૨) શેર જપ્ત થવાથી શેરહોલ્ડર એ ભરેલ રકમ કંપની પરત આપતી નથી.

(૩) શેરધારક શેર પર અત્યાર સુધી ચૂકવેલા નાણાંની ગુમાવે છે.

(૪) શેરધારક શેર પરનો ડિવિડન્ડ નો હક પણ ગુમાવે છે.

(૫) શેર જપ્તી ના પગલા પહેલા શેરહોલ્ડર શેર પર ભરેલી રકમ ની માલિકી કંપનીની બની જાય છે. શેર ફરી બહાર પાડયા પછી શેર  જપ્તી ખાતુ બંધ થાય છે.

(૬) જપ્ત કરાયેલા શેર કંપની ની માલિકીના બને છે અને સંચાલક મંડળ વાજબી લાગે તે રીતે તેનો નિકાલ કરી શકે છે.

(૭) શેરમુડી માં ઘટાડો થાય છે. કંપની જપ્ત થયેલ શેર ફરીથી બહાર પાડી શકે છે.

 

શેર સોપણીના સંજોગો: સામાન્ય અર્થમાં શેર સોંપણી એટલે કંપનીને શેર પ્રમાણપત્ર પરત કરવા.

જ્યારે કંપનીનો સભ્ય સ્વેચ્છાએ પોતાના શેર કંપનીને પરત કરે અને પોતાનો હક જતો કરે એને શેર સોપણી કરી કહેવાય.

શેર સોંપણીના સંજોગો:

(૧) શેર પ્રમાણપત્ર માં શેર ફેરબદલી અંગે નોંધ કરવાની જગ્યા ન હોય ત્યારે.

(૨) શેર પ્રમાણપત્ર ફાટી જાય.

(૩) શેર પ્રમાણ પત્ર વાંચી શકાય તેમ ન હોય.

(૪) શેરનું એકત્રીકરણ કરવાનું હોય.

(૫) શેરનું  વિભાગીકરણ કરવાનું હોય.

 

શેર પર વિશેષ હક ( શેર લિયન):

સૌપ્રથમ તો લિયન એટલે કોઈપણ દેવાદાર વ્યક્તિ પોતાની જવાબદારી ચુકવવામાં નિષ્ફળ જાય ત્યારે તેના લેણદારો ને તેના નાણાં પેટે દેવાદાર ની મિલકત પર કબજાનો ,વેચાણનો, લેણું વસૂલ કરવાનો હક મળે છે જેને લીયન કે વિશેષ હક કહેવાય છે.

શેર લિયન: જ્યારે શેરહોલ્ડર કંપનીને શેર હપ્તાના ન ચૂકવે ત્યારે કંપનીને શેરહોલ્ડર ના શેર ના સંદર્ભમાં જે વિશિષ્ટ મળે છે તેને શેર લીયન કહે છે.

કંપની આવા હક નો ઉપયોગ કરી મતાધિકાર અટકાવી શકશે, શેર ફેરબદલી અટકાવી શકે, ડિવિડન્ડ, બોનસ શેર અટકાવી શકે.

શેરહોલ્ડર શેર પર આપવા જોગ નાણાં ન ચૂકવે તેના સંબંધમાં કંપની શેર પર વિશેષ હક એટલે કે લીયન ધરાવે છે.

 

શેર ડિવિડન્ડ: SECTION-E

કંપની વર્ષના અંતે મળેલ નફામાંથી કરવેરા ચૂકવે છે. કરવેરા ચૂકવ્યા બાદ રહેતા નફાને વહેંચણી પાત્ર નફો કહે છે.

વહેંચણી પાત્ર નફા પૈકી કેટલોક નફો કંપનીમાં અનામત રાખવામાં આવે છે અને બાકીનો નફો વધે તો શેરહોલ્ડરો વચ્ચે વહેંચવામાં આવે છે જેને ડિવિડન્ડ કહે છે.

આમ ડિવિડન્ડ એટલે કંપનીના વહેંચણી પાત્ર નફામાંથી કંપનીએ તેના શેરહોલ્ડરોને આપેલ ભાગ જે રોકડ સ્વરૂપે હોય શેર સ્વરૂપે હોય કે અન્ય સ્વરૂપે હોય.

ભારતમાં કંપની ના કાયદા મુજબ કંપની ફક્ત રોકડ સ્વરૂપે જ ડિવિડન્ડ વહેંચી શકે છે.

ડિવિડન્ડ બે પ્રકારના હોય છે: (૧) વચગાળાનું ડિવિડન્ડ

(૨) આખર ડિવિડન્ડ કે વાર્ષિક ડિવિડન્ડ.

(૧) વચગાળાનું ડિવિડન્ડ: કંપનીની બે વાર્ષિક સામાન્ય સભાઓ વચ્ચેના ગાળા દરમિયાન જાહેર થતા ડિવિડન્ડ ને વચગાળાનું ડિવિડન્ડ કહેવામાં આવે છે. આ ડિવિડન્ડ સામાન્ય રીતે અર્ધવાર્ષિક રીતે આપવામાં આવે છે.

(૨) વાર્ષિક ડિવિડન્ડ કે આખર ડિવિડન્ડ: આ ડિવિડન્ડ વર્ષના અંતે વહેંચણી પાત્ર નફામાંથી ચૂકવવામાં આવે છે.

ડિવિડન્ડ કોને કઇ રીતે ચૂકવાય છે?:

અનિયમિત શેર વહેંચણી અને ગેરકાયદેસર શેર વહેંચણી વચ્ચે નો તફાવત

ક્રમ મુદ્દા અનિયમિત શેર વહેંચણી ગેરકાયદેસર શેર વહેંચણી
અર્થ શેર વહેંચણી અંગેના કાયદેસરના નિયંત્રણ કે જોગવાઈઓનો અમલ કર્યા સિવાય એટલે કે તેનો ભંગ કરીને શેર વહેંચણી કરવામાં આવે ત્યારે તેને અનિયમિત શેર વહેંચણી કહેવામાં આવે છે. શેર વહેંચણીએ શેરધારક અને કંપની વચ્ચે થયેલો કરાર છે અને આવો કરાર સંપૂર્ણ કરાર ત્યારે જ કહેવાય કે જ્યારે તેના આવશ્યક તત્વો ની હાજરી હોય એટલે કે આવા આવશ્યક તત્વો નો અભાવ હોય અને જો શેર વહેંચણી થાય તો તે ગેરકાયદેસર શેર વહેંચણી કહેવાય.
સંજોગો લઘુતમ ભરણું ના મળ્યું હોય કે વિજ્ઞાપન પત્રની નકલ નોંધાવેલી ન હોય ત્યારે થયેલી શેર વહેંચણી અનિયમિત શેર વહેંચણી બને છે. કંપની દ્વારા દરખાસ્ત થઇ ન હોય કે દરખાસ્ત નો સ્વીકાર ન થયો હોય અથવા કંપની દરખાસ્ત સ્વીકારી જાણ ન કરે કે અવેજ નો અભાવ હોય ત્યારે ગેરકાયદેસર શેર વહેંચણી ગણાય.
અસરો અનિયમિત શેર વહેંચણી શેર મેળવનાર ઈચ્છે તો રદબાતલ કરાવી શકે તે માટે તેણે નક્કી કરેલ સમયમર્યાદામાં કાર્યવાહી કરવી પડે છે. આ શેર વહેંચણી રદ કરાવવા શેર મેળવનારે કોઈ પગલાં લેવા પડતા નથી કારણ કે ગેરકાયદેસર શેર વહેંચણી પ્રથમથી જ રદબાતલ ગણાય છે.
સભ્યપદ પર અસર આ શેર વહેંચણી રદબાતલ કરવામાં આવે તો શેરહોલ્ડર નું નામ સભ્ય પત્રક માં થી દૂર થવાથી તેના સભ્યપદ નો અંત આવે છે. ગેરકાયદેસર શેર વહેંચણી ની બાબતમાં સભ્યપદ મળ્યું ન હોવાથી રદ થવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.
જવાબદારી આ શેર વહેંચણી માં જવાબદાર અધિકારીઓ કંપની તથા શેરહોલ્ડરોને નુકસાન કે ખોટ ભરપાઈ કરી આપવા માટે જવાબદાર છે. ગેરકાયદેસર શેર વહેંચણી માં કરાર થયેલો ગણાતો નથી તેથી કોઈ પગલાં લેવાની જરૂર પડતી નથી.

click here for economics lesson-1
અર્થશાસ્ત્ર પાઠ -૧ અર્થશાસ્ત્રમાં આલેખ
click here for B.A. lesson-1
વિષય: વાણિજ્ય વ્યવસ્થા 1. સંચાલનનું સ્વરૂપ અને મહત્વ


 

મિત્રો આ મુજબ દરેક પાઠ આપ તૈયાર કરશો તો તમારું result અકલ્પનિય આવશે જ.

દરેક પાઠ જો આપને જોઈતો હોય તો નીચે આપેલ બોક્સમાં તમારું નામ, email,અને contact

no. મોકલી આપો.















 

 

 

 

Exit mobile version